વલસાડ આર. ટી.ઓ ઇન્સ્પેકટર એન.ડી.પટેલ ની અરજદારો સાથે ગેરવર્તન થી આર. ટી.ઓ વલસાડ ની છબી ખરાબ થઈ રહી છે, નવા લાયસન્સ ધારોકે ને હેરાન કરી તોતરું વર્તન કારી જાણી જોઈ ને હેરાન કરી કલાક સુધી પરેશાન કરવાની ફરિયાદ ઉઠી છે, મીડિયા સમક્ષ કલેકટર પણ મારુ કાઈ કરી ન લેય જેવા શબ્દો ઉચ્ચારી ખુલી દાદાગીરી કરતા નજરે પડ્યા, વલસાડ મીડિયા ના તમામ પત્રકારો સામે પણ ખુલ્લી દાદાગીરી બતાવી વર્દી વગર આર. ટી.ઓ કચેરી માં રોબ જમાવી રહ્યા છે,આર. ટી.ઓ ના લર્નીગ લાયસન્સ ઇન્સ્પેકટર દ્વારા કોમ્પ્યુટર એક્ઝામ આપવા આવેલ અરજદાર, તથા ફિસ ભરવા આવેલ અરજદાર સાથે ગેરવર્તન કરતા આર. ટી.ઓ કચેરી પર…
Author: SATYA DESK
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ના અવસર પર નેપાળ સરકારે બાબા રામદેવને મોટો ઝાટકો આપ્યો છે. નેપાળની દવાનિયામ કે બાબારામદેવ ની પંતજલિની સાત આયુર્વેદિક દવાઓ લેબટેસ્ટમાં હલકી ગુણવત્તાની જણાતા પરત લેવાનો આદેશ આપ્યો છે. નેપાળના દવા પ્રશાસનવિભાગે બુધવારે જારી એક સાર્વજનિક નોટિસમાં કહ્યુંકે, ઉત્તરાખંડ સ્થિત દિવ્યફાર્મસીમાં બનેલ સાત દવાઓ પરીક્ષણમાં હલકી ગુણવત્તાની મળી આવી છે. સૂક્ષ્મજીવી સંબંધી ટેસ્ટમાં જે દવા હલકી ગુણવત્તાની મળી આવી છે તે પતંજલિની બક્તોલવ, આંબળાચૂર્ણ, દિવ્યગૈસહરચૂર્ણ, બકુચીચૂર્ણ, ત્રિફલાચૂર્ણ, અગંધા અને અદ્વેયચૂર્ણ છે. મહત્વનું છે કે દવાઓના એક જથ્થાનું વિભાગ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું અને તેમાં રોજગીવી બેક્ટેરિયા મળ્યા આવ્યા હતા. જો કે વિભાગે સંબંધિત પક્ષોને તાત્કાલીક અસરથી આ…
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા આગામી 24 જૂનથી એસજી હાઇવે પરની કર્ણાવતી કલબથી એરપોર્ટ સુધી એટલે કે કુલ 22.7 કિ.મી. સુધીના રૂટ પર એસી બસની શટલ સર્વિસ શરૂ કરવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશન દેશભરમાં સૌપ્રથમ વખત એરપોર્ટને સાંકળતી શહેરી બસ સર્વિસ શરૂ કરવા જઈ રહ્યું છે. તંત્ર દ્વારા શરૂ થનારી આ એરપોર્ટ બસ શટલ સર્વિસને એરપોર્ટ શટલ સર્વિસ રૂટ નં. 1000 નામ આપવામાં આવ્યું છે. આ સેવામાં મુસાફરો કર્ણાવતી કલબથી એરપોર્ટ સુધી માત્ર 50 રૂપિયામાં મુસાફરી કરી શકશે. સવારના 4 વાગ્યાથી રાતના 10:45 સુધી ઉતારુઓને દર અડધા કલાકે એસી બસ મળશે. પ્રારંભમાં આ રૂટ પર પાંચ બસ અને ત્યારબાદ વધુ…
તા. ૨૩ :. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીને હટાવવા માટે હઠ પકડીને બેઠેલા વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાના મિજાજમાં દિલ્હીની મુલાકાત બાદ પણ ફરક જણાતો નથી. પ્રમુખ બદલવાની ખાનગીમાં માંગ કરતા બાપુ આ પ્રશ્ને હજુ પણ અડગ છે. બાપુની દિલ્હી મુલાકાતના આગલા દિવસે ગુજરાતના પ્રશ્ને સોનીયાજીને મળેલા તેમના રાજકીય સલાહકાર અહેમદભાઈ પટેલ સાથે બાપુએ લંબાણભરી ગોષ્ઠી કરી હતી પરંતુ વાત ખીલે બંધાઈ નહોતી. કોંગી વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ શંકરસિંહ બાપુને ટોચના અગ્રણીઓએ આવતીકાલનો શકિત પ્રદર્શન કાર્યક્રમ મુલત્વી રાખવાનું સમજાવ્યા પરંતુ બાપુ માન્યા નથી અને આવતીકાલે બપોરના ૩ વાગ્યે અંગત સમર્થકોનું શકિત પ્રદર્શન કોઈપણ ભોગે યોજવા મક્કમ છે. કોંગી ઉપાધ્યક્ષ રાહુલ…
શિકાગોઃ શિકાગો ઇન્ડો યુ.એસ.સાન્યસ કલબના પ્રેસિડન્ટ, GOPIO શિકાગો તથા ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશન્શના પૂર્વ પ્રેસિડન્ટ તથા અનેક સામાજીક અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી હિના ત્રિવેદીનું લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા એવોર્ડ આપી બહુમાન કરાયું છે. હયુમેનીટી સર્વિસ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ મેલવિન જોન્સ ફેલો એવોર્ડ આપી લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના પ્રેસિડન્ટએ તેઓને સન્માનિત કર્યા હતા. ઉપરાંત તેમની નિમણુંક હોસ્ટ કમિટી મેમ્બર ફોર હન્ડ્રેડ ઇયર્સમાં કરાઇ હતી. લાયન્સ કલબની સફળતાની ઉજવણી શિકાગો મુકામે આગામી ૨૯ જુનથી ૪ જુલાઇ ૨૦૧૭ દરમિયાન કરાશે. સુશ્રી ત્રિવેદી જુદી જુદી સાત ભાષાઓના જાણકાર હોવાથી તેઓ એશિયન કોમ્યુનીટીને જરૂરી બાબતોનો અનુવાદ કરી આપવાની…
તાતા ગ્રુપ સિંગાપુર એરલાઇન્સની સાથે એર ઇન્ડિયાને ખરીદી શકે છે. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જો આ ડીલ ફાઇનલ થઇ જાય છે તો તે એર ઇન્ડિયા માટે ઘર વાપસી જેવી ડીલ રહેશે. કારણ કે વર્ષ ૧૯૫૩ પહેલા એર ઇન્ડિયાના માલિક તરીકે તો તાતા ગ્રુપ જ હતુ. અત્રે નોંધનીય છે કે એર ઇન્ડિયાના રાષ્ટ્રીયકરણ કરી દેવામાં આવ્યા બાદ તે સરકારના નિયંત્રણ હેઠળ આવતા તેની ચર્ચા રહીહતી. એર ઇન્ડિયા પર ૫૦૦૦૦ કરોડ રૂપિયાનુ દેવુ છે અને હિસ્સેદારી વેચી દેવામાં આવશે તેવી વાત હાલમાં ચાલી રહી હતી. પ્રાપ્ત માહિતી મુજબ તાતા ગ્રુપના ચેરમેન એન. ચન્દ્રશેખરનને એર ઇન્ડિયાને ખરીદી લેવાને લઇને સરકારની સાથે…
એક અહેવાલ મુજબ લખનૌમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદીના યોગ દિવસના કાર્યક્રમમાં વરસાદમાં ભીંજાવવાથીકેટલાક બાળકો બીમાર પડ્યા છે જેને લોકબંધુહોસ્પિટલમાં લવાયા છે અંદાજે 50 બાળકોને ઈલાજ બાદરજા અપાઈ છે જ્યારે અંદાજે 22ને દાખલ કરાયા છેઅત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ વરસાદમાં પણયોગ કર્યો હતો
તા., ૨૧: ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા અને મોવડી મંડળથી નારાજ શંકરસિંહજી વાઘેલા કાલે સવારે દિલ્હી જશે. વાઘેલા અને અહેમદભાઇ વચ્ચે વિસ્તૃત ચર્ચા થશે. અહેમદભાઇના માધ્યમથી બાપુ સોનીયાજીને પણ મળશે. ગેહલોતજી પણ દિલ્હી જશે તેમ મનાય છે. બાપુના અંગત વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ શંકરસિંહજી વાઘેલા ર૮ મીએ કોંગ્રેસના નિરીક્ષકો સાથે મળનારી બેઠકમાં હાજર રહેશે. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ પણ હાજર રહેશે. શંકરસિંહજી વાઘેલા ૨૪મીએ તેમના સમર્થકો સાથે વિચાર વિમર્શ કરીને ભવિષ્યની રણનીતી નક્કી કરવાના છે ત્યારે ૨૪મીન શકિત પ્રદર્શન પહેલા સોનીયાજીના રાજકીય સલાહકાર અને ગુજરાત કોંગ્રેસના સર્વેસર્વા શ્રી અહેમદભાઈ સાથે ચોક્કસ બાબતોએ ચર્ચા તથા સ્પષ્ટતા કરી લેશે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ…
નવી દિલ્હી : રાષ્ટ્રપતિ ચૂંટણી સાથે જોડાયેલી રણનીતિ મુદ્દે ગુરૂવારે યોજનારી વિપક્ષી બેઠકનાં એક દિવસ પહેલા જ નીતીશ કુમાર દ્વારા એનડીએ ઉમેદવાર કોવિંદને સમર્થનની જાહેરાતથી વિપક્ષી એકતાને ઝટકો લાગ્યો છે. બીજી તરફ બિહારમાં મહાગઠબંધનનાં સૌથી મોટા પાર્ટનર આરજેડીનાં વડા લાલુ યાદવે કહ્યું કે તેઓ ગુરૂવારે વિપક્ષની બેઠકમાં નક્કી કાર્યક્રમ અનુસાર જ કામગીરી કરશે.તેમણે કહ્યું કે નીતીશે પોતાનાં ધારાસભ્યોને શું કહ્યું તે અંગે હું નથી જાણતો. આ પ્રકારે રાષ્ટ્રપતિ ચૂંટણીનાં મુદ્દે બિહારમાં મહાગઠબંધનનાં બે મહત્વનાં પાત્રો નીતીશ અને લાલૂ બે અલગ અલગ છેડા પર જોવા મળી રહ્યા છે. ભાજપે જે દિવસે એનડીએની તરફ રાષ્ટ્રપતિ પદ માટે રામનાથ કોવિંદનાં નામની જાહેરાત કરી,…
પંજાબ વિધાનસભા ચૂંટણી અને દિલ્હીના એમસીડી ચૂંટણીમાં મળેલી હાર બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આ વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. આપપાર્ટીના સૂત્રોના કહેવા પ્રમાણે, આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણી લડશે નહીં. જૂનના પ્રથમ સપ્તાહમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના ઘર પર ગુજરાતની ટીમ સાથે થયેલી બેઠકમાં ગુજરાતના સંગઠન પાસે રિપોર્ટ માંગવામાં આવી હતી.આ બેઠકમાં ગુજરાત સાથે જોડાયેલા અનેક પદાધિકારીઓએ આ પ્રસ્તાવ આપ્યો હતો કે આપ ગુજરાતમાં કેટલીક સીટો પર જ ચૂંટણી લડવી જોઇએ. આપના સૂત્રોના કહેવા પ્રમાણે, પાર્ટી ગુજરાતમાં મજબૂતીથી ચૂંટણી લડવા લાયક સંગઠન બનાવી શકી નથી. સાથે પંજાબ અને દિલ્હીમાં થયેલી હાર બાદ પાર્ટીનું…