મહેસાણામાં 21 વર્ષના અસ્થિર મગજના યુવક ઉપર ત્રણ ઈસમોએ સામૂહિક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યનો ગેંગરેપ કરતા ભારે ચકચાર મચી ગઇ છે. મહેસાણાના ઊંઝાના હાજીપુરથી ભવાનીપુરા નજીક કેનાલ ઉપર આ ઘટના બની હતી જેમાં પોલીસે ત્રણ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્રણેય શખ્સોએ સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યનો વીડિયો પોતાના મોબાઇલમાં ઉતાર્યો હતો. વિગતો મુજબ અસ્થિર મગજનો એક યુવક કેનાલ નજીક ફરતો હતો ત્યારે ત્યાં આવી ચડેલા ત્રણ ઈસમો તેને કેનાલમાં લઈ ગયા હતા અને ત્રણેય યુવકોએ વારાફરતી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ દરમિયાન તેઓએ વીડિયો પણ બનાવ્યો હતો. આ ઘટનાને લઈ ભારે હોબાળો મચી જતા પોલીસે તરતજ એક્શન…
કવિ: Halima shaikh
રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહયા છે ત્યારે વડોદરાની વાત કરવામાં આવેતો કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં નવા 34 કેસ નોંધાયા છે. વધુ 21 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 162 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 5 દર્દી દાખલ છે. હાલમાં શહેરમાં 136 લોકો ક્વોરન્ટીન છે. આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા વડોદરામાં છેલ્લા 36 કલાકમાં દિવાળીપુરા, ગોત્રી, સમા, માંજલપુર, સુભાનપુરા, અકોટા, અટલાદરા, સીયાબાગ, મંજુસર, હરણી, છાણી, નવાપુરા, જેતલપુર, તાંદલજા, મકરપુરા, સવાદ, સેવાસી, ભાયલી, વદોદર, સુદામાપુરીમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ,કોરોનાના કેસ સતત વધતા તંત્ર દ્વારા લોકોને…
તાજેતરની રાજ્યસભાની ચૂંટણીમાં શિવસેનાને હરાવનાર ભાજપ અને મહારાષ્ટ્રમાં સત્તાધારી (MVA) ગઠબંધન સોમવારે ફરી ચૂંટણી લડવા જઈ રહ્યું છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદની દ્વિવાર્ષિક ચૂંટણીનો મુદ્દો ગરમાયો છે. રાજ્યમાં 10 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે અને 11 ઉમેદવારો મેદાનમાં છે. દરમિયાન, જેલમાં બંધ NCP ધારાસભ્યો અનિલ દેશમુખ અને નવાબ મલિકે વિધાન પરિષદની ચૂંટણીમાં મતદાન કરવાની પરવાનગી માંગી છે. મહારાષ્ટ્રમાં, શિવસેનાની આગેવાની હેઠળની મહાવિકાસ અઘાડી ગઠબંધન એમવીએના ત્રણેય પક્ષો, એટલે કે કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાએ આજે યોજાનારી વિધાન પરિષદની ચૂંટણી માટે 2-2 ઉમેદવારો ઊભા રાખ્યા છે, જ્યારે ભાજપે 5 ઉમેદવારો ઊભા કરીને ગઠબંધનને પડકાર આપ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભાની વર્તમાન તાકાતને ધ્યાનમાં લેતાં…
ભારત સરકાર તથા રાજય સરકાર દ્રારા તા. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ભરૂચ જિલ્લાવહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ગોલ્ડન બ્રીજ ખાતે રાખવામાં આવી હોય છે. બ્રિજ ઉપર વાહનોની અવર-જવર ઉપર આજથી પ્રતિબંધ ફરમાવ્યો છે. ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ ઉપર યોગ દિવસની ઉજવણી કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો તેમજ નાગરિકો ભાગ લેનાર હોય આજે તા. 20જૂનના રોજ પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજે બપોરના 12 વાગ્યાથી તા. 21 જૂનના રોજ યોગ દિવસની ઉજવણી પૂર્ણ થતાં સુધી બપોરના 12 વાગ્યા સુધી ગોલ્ડન બ્રિજ ઉપરથી દક્ષિણ તથા ઉત્તર તરફથી પ્રવેશતાં તમામ વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે,વાહન…
દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે લોકોને સજાગ થવા નિષ્ણાતો સલાહ આપી રહયા છે અને માસ્ક,વેકશીન, કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવા અપીલ કરી છે દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, લોકોમાં વધી રહેલી બેદરકારીને પણ નિષ્ણાતો જવાબદાર ગણાવી રહયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,781 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે. આ દરમિયાન, સક્રિય કેસોમાં 4226 નો વધારો થયો હતો અને તે 76,700 થઈ ગયા હતા. દૈનિક ચેપ દર 4.32 ટકા નોંધાયો છે. આજે સોમવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં 8537 લોકો કોરોનાથી સ્વસ્થ થયા…
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ફરીથી ED સમક્ષ હાજર થશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ અત્યાર સુધીમાં રાહુલ ગાંધીની લગભગ 30 કલાક પૂછપરછ કરી છે. આ દરમિયાન કોંગ્રેસ મોટા પ્રદર્શનની તૈયારી કરી રહી છે. EDની કાર્યવાહીનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસી નેતાઓ દિલ્હીમાં એકત્ર થઈ રહ્યા છે, જ્યારે કોંગ્રેસ પણ અગ્નિપથ યોજના સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે. દરમિયાન કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ પણ આજે રાષ્ટ્રપતિને મળે તેવી શક્યતા છે. EDની પૂછપરછ પહેલા પ્રિયંકા ગાંધી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ઘરે પહોંચ્યા છે. માનવામાં આવે છે કે પ્રિયંકા રાહુલ સાથે ED ઓફિસ પણ જઈ શકે છે. કોંગ્રેસના નેતાઓ…
સતત છ દિવસના ઘટાડા બાદ આખરે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે આજે સોમવારે શેરબજાર ગ્રીન નિશાન પર ખુલ્યું હતું.બીએસઈ સેન્સેક્સ 140 પોઈન્ટના ઉછાળા સાથે 53,500ના સ્તરે ખુલ્યો હતો, જ્યારે એનએસઈનો નિફ્ટી 25 પોઈન્ટ વધીને 15,318ના સ્તરે ખુલ્યો હતો. . સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજારે ગ્રીન નિશાન પર ટ્રેડિંગ શરૂ થતાં પાછલા દિવસોથી સતત ઘટાડા પર બ્રેક લાગી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 140 પોઈન્ટ ઉછળીને 53,500ના સ્તરે ખૂલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 25 પોઈન્ટ વધીને 15,318ના સ્તરે ખુલ્યો હતો. નોંધનીય છે કે ગત સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજાર સતત છઠ્ઠા દિવસે ઘટાડા સાથે બંધ…
દેશનો સૌપ્રથમ મલ્ટી લેયર બ્રિજ સુરતમાં તૈયાર થયા બાદ સુરતીલાલાઓમાં ખુશી પ્રસરી છે અને ટ્રાફીકમાંથી મુક્તિ મળી છે. દેશનો સૌપ્રથમ મલ્ટી લેયર બ્રિજ સુરતમાં બન્યો છે, રૂ.133.50 કરોડના ખર્ચે બનેલો આ થ્રી લેયર બ્રિજને સાંસદ સી.આર.પાટીલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યા બાદ સુરતીઓમાં ખુશી ફેલાઈ છે અને ટ્રાફિકમાંથી મુક્તિ મળી છે,આ બ્રીજ બનતા રિંગ રોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. ગુજરાતના સૌ પ્રથમ મલ્ટીલેયર અને મલ્ટી ડિરેક્શન રેલવે ઓવરબ્રિજ/ફ્લાય ઓવરબ્રિજનું સાંસદ સી.આર.પાટીલના હસ્તે આજે 19 જૂને સાંજે લોકાર્પણ બાદ કડોદરાથી સહારા દરવાજા તરફ આવેલા અવધ ટેક્ષટાઈલ માર્કેટ ખાતે યોજાયેલા લોકાર્પણ સમારોહમાં કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, માર્ગ…
જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર કુપવાડા એન્કાઉન્ટરમાં વધુ બે આતંકવાદીઓ માર્યા ગયા છે. એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં કુલ 4 આતંકવાદીઓ માર્યા ગયા છે. ઘટનાસ્થળેથી આપત્તિજનક સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. રવિવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. ઘટનાસ્થળેથી મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે. પોલીસે જણાવ્યું કે કુપવાડાના લોલાબ વિસ્તારમાં એક આતંકી શૌકત અહેમદ શેખની ધરપકડ કરવામાં આવી છે. તેના કહેવા પર આતંકીઓના ઠેકાણાની શોધ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન છુપાયેલા આતંકવાદીઓએ ઘેરાબંધી કડક થતી જોઈને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષા…
PM મોદી આજે સોમવારે બેંગલુરુમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc) ખાતે સેન્ટર ફોર બ્રેઈન રિસર્ચ (CBR)નું ઉદ્ઘાટન કરશે. તેઓ બાગચી-પાર્થસારથી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ પણ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી એટલે કે સોમવાર, 20 જૂનથી કર્ણાટકની બે દિવસીય મુલાકાતે છે, જે દરમિયાન તેઓ ઘણા વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. પીએમ મોદીઃ આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કર્ણાટકના મૈસૂરમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. કોરોના મહામારીને કારણે બે વર્ષથી આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું ન હતું. બે વર્ષ પછી આ કાર્યક્રમ ભૌતિક મોડમાં હાથ ધરવામાં આવશે. પીએમઓએ આ જાણકારી આપી. PMOએ જણાવ્યું કે તેમની બે દિવસીય…