ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની જુલાઈમાં લેવાતી પુરક પરીક્ષાઓ માટે રજિસ્ટ્રેશન તો કરાવવામા આવી રહ્યુ છે પરંતુ જુલાઈમાં પરીક્ષાઓ નહિ લેવાના નિર્ણય થી વિદ્યાર્થીઓ નું આખું વર્ષ બગડે તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે. કેન્દ્ર સરકારે ચાલુ મહિને જુલાઈમાં લેવાનારી ઈજનેરી માટેની જેઈઈ મેઈન અને મેડિકલ માટેની નીટ ફરી મોકુફ કરી સપ્ટેમ્બરમાં લેવાની જાહેરાત કરી છે ત્યારે હવે ગુજરાત બોર્ડની પુરક પરીક્ષાઓ પણ જુલાઈમાં લેવાશે નહી. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાતી ધો.10અને 12ની જાહેર બોર્ડ પરીક્ષામાં એકથી બે વિષયમાં નાપાસ થતા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે જુલાઈમાં પુરક પરીક્ષા લેવામા આવે છે. નોંધનીય છે કે તા. 25મી માર્ચથી…
કવિ: Halima shaikh
બેરોજગારી ફાટી નીકળતા યુવાનો માં આક્રોશ છે અને મોંઘવારી વધતા સામે ઈન્કમ જરૂરી હોય રોજગાર નો પ્રશ્ન હલ કરવા સરકાર ને યુવાનો હવે સવાલ કરી રહ્યા છે, ગાંધીનગરના નવા સચિવાલય, જૂના સચિવાલય, વિધાનસભા, સેન્ટ્રલ વિસ્ટા અને સત્યાગ્રહ છાવણીમાં બંદોબસ્ત ગોઠવાયો છે. સાથે જ ગાંધીનગરમાં પ્રવેશતા તમામ રસ્તા પર પણ પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આંદોલનની શક્યતાને લઇને એસઆરપીની બે કંપની પણ બંદોબસ્ત માટે ફાળવવામાં આવી છે. રાજ્યમાં કોરોના સંકટ અને લોકડાઉનના કારણે અટકેલી ભરતી પ્રક્રિયા મામલે ફરી ગાંધીનગરમાં આંદોલનના મંડાણ થયા છે. ત્યારે આજે મોટી સંખ્યામાં શિક્ષિત બેરોજગાર યુવાનો એકત્ર થાય તેવી શક્યતા છે. જેના પગલે સમગ્ર ગાંધીનગરમાં ચુસ્ત…
હમણાં હમણાં વિવિધ સંપ્રદાય ના કેટલાક સ્વામીઓ અને મુનિઓ ના માથા ઉપર જાણે સેક્સ નું ભૂત સવાર થયું હોય તેમ મહિલાઓ પાસે પપ્પી અને સેક્સ વગેરે માંગણી કરી રહ્યા હોવાના સમાચારો આવતા રહે છે અને સૌથી મોટી વાત એ કે મોબાઇલ આવતા આવા કાંડ હવે બહાર આવવા મંડ્યા છે. જૂનાગઢના ખોરાસા મુકામે આવેલા ૧૫૦ વર્ષ જૂના તિરુપતિ મંદિરના ગાદીપતિ સ્વામી શ્યામનારાયણ આચાર્યજીના કથિત ઓડીયોએ સમગ્ર ગુજરાતમાં સનસનાટી મચાવી દીધી છે. સ્વામીએ એક મહિલા સેવિકાને ફોન ઉપર મંદિરે આવવા અને પપ્પી બાકી છે…તેમ કહીને બીભત્સ માંગણી કર્યાની વાતચીતનો ઓડિયો વાઇરલ થતા સ્વામી સામે મંદિરના ટ્રસ્ટીઓ પણ નારાજ છે. ખોરાસામાં આવેલ વૈંકટેશ…
રાજ્ય માં વરસાદી માહોલ જામ્યો છે અને અમદાવાદ , વડોદરા ,સહિત મધ્ય ગુજરાત , દક્ષિણ ગુજરાત માં વરસાદ પડી રહ્યો છે.સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. વડોદરા માં વહેલી સવાર થી વરસાદ ચાલુ છે અને સાર્વત્રિક વરસાદ ને પગલે ખેડૂતો માં ખુશી ની લાગણી પ્રસરી ગઈ છે. કાઠીયાવાડ માં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયામાં બે કલાકમાં ૧૨ ઈંચ અને ૮ કલાકમાં ૧૮ ઈંચ વરસાદ વરસી જતા ખંભાળીયા જળતરબોળ બની ગયું હતું. ગામમાં નીચાણવાસમાં પાણી ભરાયા હતા. અનેક કાર પાણીમાં ડૂબી ગઈ હતી. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જેમાં કોડિનારમાં ૫ થી ૬ ઈંચ, તાલાલા, ઉના, મોટી પાનેલી, ખાંભા,…
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં તૈયાર થઈ રહેલા કૃષ્ણ મંદિરનો પાયો કટ્ટરવાદીઓ એ તોડી પાડી ને કટ્ટર ધાર્મિકતા નું પ્રદર્શન કર્યું હતું મતલબ ત્યાં લઘુમતિ હિંદુઓ ની સ્થિતિ અત્યંત ખરાબ છે કારણ કે ત્યાં તેમનો પક્ષ લઈને રાજકારણ રમવા વાળા કોઈ નથી. ત્યાં લઘુમતિ હિન્દૂ ની છોકરીઓ ને બળજબરીથી ઉઠાવી જઇ ધર્મ પરિવર્તન કરાવવા માં આવી રહ્યું છે.જે મંદિર નો પાયો તોડી પડયો તે મંદિરનું નિર્માણ પાક.નું રાજધાની વિકાસ સત્તામંડળ કરી રહ્યું હતું. મુસ્લિમ કટ્ટરવાદી મૌલવીઓએ મંદિર વિરુદ્ધ ફતવો જારી કર્યો હતો, જેના પગલે વડાપ્રધાન ઇમરાન ખાને બે દિવસ અગાઉ મંદિરનું કામ રોકવા આદેશ આપ્યો હતો. સરકારે મંદિરનિર્માણ અંગે ઇસ્લામિક આઇડિયોલોજી કાઉન્સિલની…
સરહદ ઉપર યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામથાન કોવિંદ વચ્ચે તાત્કાલીક અસર થી ઓચિંતી બેઠક મળતા આ બેઠક ને નવાજૂની થવાના સંકેત માનવામાં આવી રહ્યા છે અને ગમેત્યારે ચાઈના ની કોઈપણ હરકત સામે લડી લેવા આદેશ અપાય તેવી અટકળો વહેતી થઈ છે. રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીની આ બેઠક અડધો કલાક જેટલી લાંબી ચાલી હતી. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.ચીન સરહદ પર જઈને સ્થિતિ જાણ્યા બાદ અચાનક જ પીએમ મોદીનું રાષ્ટ્રપતિને મળવું મોટા સંકેત માનવામાં આવે છે. કારણ કે , ભારતની ત્રણેય સેનાના સુપ્રીમ કમાંડર રાષ્ટ્રપતિ હોય છે અને યુદ્ધ…
વલસાડ માં દારૂની રેલમછેલ અને તેના એડ્રેસ અને નામ સત્યડે માં પ્રકાશિત કરાયા બાદ સંબંધિતો દોડતા થઇ ગયા હતા અને આ બધા વચ્ચે હમણાં હમણાં પાર્થ પટેલ નામનો ઈસમ દારૂ પ્રકરણ માં વલસાડ માં ભારે ચર્ચામાં રહ્યો છે અને તેનું નામ વિવાદ માં આવ્યું છે. નોંધનીય છે કે ગત તા.27મેના રોજ વલસાડ ના અબ્રામાં મણીબાગમાં રાધાકૃષ્ણ મંદિર સામે આવેલા એક મકાન માં LCB પોલીસે છાપો મારીને 74 બોટલ દારૂ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. LCBએ કુલ 97,925નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને આ દારૂનો જથ્થો મુકનાર પાર્થ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.ત્યારબાદ પાર્થ અમ્રતભાઈ પટેલના બંગલે પણ રેડ કરવામાં આવી…
આજે ગુરૂપૂર્ણિમાના પવન પર્વ નિમિતે 5 જુલાઈએ વર્ષનું ત્રીજુ ગ્રહણ છે આજે આ ગ્રહણ પર ગજ કેસરી યોગની રચના હોવાથી ચંદ્ર અને ગુરુ ધનરાશિમાં રહેશે. જેના કારણે એક રાશિમાં બંને ગ્રહોનું સંયોજન ગજ કેસરી યોગ બને છે. ચંદ્રગ્રહણ દરમિયાન ગજ કેસરી બનતા આ યોગ કેટલાક જાતકો ને લાભ થવાના યોગ બને છે.આપને જણાવી દઈએ કે મિથુન, કર્ક, વૃશ્ચિક, ધન અને મકર રાશિના જાતકોને ચંદ્રગ્રહણ પર ગજ કેસરી યોગનો વધુ લાભ મળવાનો છે આવો જોઈએ આ જાતકો ને શુ લાભ મળશે. મિથુન રાશિ આ રાશી ના જાતકો માટે ખાસ તો લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થશે. સ્વાસ્થ્ય સંબંધિત જે સમસ્યાઓ છે…
આજે ગુરુ પૂર્ણિમા ના દીને ગૌરી વ્રત ના અંતિમ દીને આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 37 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં દોઢ ઇંચ અને અમરેલીના ધારી અને ખાંભામાં સવા ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. 24 કલાકમાં રાજ્યના 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં પણ 11 તાલુકામાં સારો વરસાદ પડ્યો છે. રાજ્યના 11 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 16 જિલ્લામાં 1થી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળિયામાં 5 ઇંચ અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લામાંથી 26…
મુંબઇ માં ભારે વરસાદ પડી રહ્યો છે અને ગુજરાત ના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ નથી આ બધા વચ્ચે દક્ષિણ ગુજરાતના વલસાડ તાલુકામાં 1 ઇંચ,વાપી પોણા 2 ઇંચ અને ઉમરગામ તાલુકામાં પોણા 2 ઇંચની આસપાસ વરસાદ નોંધાયો હતો.જ્યારે ધરમપુર અને પારડી તાલુકામાં પણ અડધા ઇંચની સરેરાશ સાથે વરસાદ થતાં ખેડૂતો માં રાહતની લાગણી જોવા મળી હતી. વલસાડ ના 5 તાલુકામાં સરેરાશ 1 થી પોણા 2 ઇંચ સુધીનો વરસાદ થયા ના અહેવાલ છે આમતો દર વર્ષે 16 જૂનથી ચોમાસા નો પ્રારંભ થાય છે પરંતુ ચાલુ વર્ષે જૂનના પ્રારંભમાં નિસર્ગ વાવાઝોડાની અસર હેઠળ 3 જૂન આસપાસ વરસાદ…