ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા 14 જૂનથી 6 જુલાઇ દરમિયાન કરાયેલા સીરો સર્વેના તારણો અનુસાર, 11 રાજ્યોમાં કરવામાં આવેલા સર્વેમાં ઓછામાં ઓછી બે તૃતીયાંશ વસ્તીમાં કોરોનાવાયરસ એન્ટિબોડીઝ વિકસિત થઈ હોવાનું જાણવા મળ્યું છે. મધ્યપ્રદેશ 79 ટકા ‘સિરોપ્રિવેલેન્સ’ સાથે પ્રથમ ક્રમે છે જ્યારે કેરળ 44..4 ટકા સાથે તળિયે છે. ‘સેરોપ્રિવેલેન્સ’ આસામમાં 50.3 ટકા અને મહારાષ્ટ્રમાં 58 ટકા છે. ક્યા રાજ્યમાં કેટલા ટકા છે એન્ટી બોડીઝ? કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે આઈસીએમઆર દ્વારા ભારતના 70 જિલ્લાઓમાં હાથ ધરવામાં આવેલા રાષ્ટ્રીય સીરો સર્વેના ચોથા રાઉન્ડના તારણો શેર કર્યા છે. સર્વેક્ષણની વસ્તીમાં ‘સેરોપ્રિવેલેન્સ’ રાજસ્થાનમાં 76.2 ટકા, બિહારમાં 75.9 ટકા, ગુજરાતમાં 75.3 ટકા, છત્તીસગઢમાં…
Author: Satya-Day
ઝારખંડના ધનબાદમાં ડિસ્ટ્રિક્ટ અને એડિશનલ જજ ઉત્તમ આનંદના મોતે હવે સસ્પેન્સ વળાંક લીધો છે. શરૂઆતમાં આ કેસ હિટ એન્ડ રન કેસ તરીકે સામે આવ્યો હતો પરંતુ હવે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા બાદ ખૂનનું કાવતરું હોવાનું જણાય છે. ધનબાદમાં પોસ્ટીંગ પર જજ ઉત્તમ આનંદ બુધવારે સવારે મોર્નિંગ વોક કરી રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલી એક ઓટો રીક્ષાએ તેમને ટક્કર મારી હતી. ત્યાર બાદ તેઓ લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ ઢળી ગયા હતા. બાદમાં શહીદ નિર્મલ મહાતો મેડિકલ કોલેજ હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું. પાછળથી બહાર પાડવામાં આવેલા સીસીટીવી ફૂટેજના વિશ્લેષણથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે હત્યાના ઈરાદાથી…
તિહાર જેલમાં બંધ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની હાલત અચાનક કથળી ગઈ છે, ત્યારબાદ ગુરુવારે તેને નવી દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) માં દાખલ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે છોટા રાજનને પેટમાં તીવ્ર દુખાવા અને અન્ય કોઈ સમસ્યાની તપાસને લીધે એઈમ્સમાં દાખલ કરવો પડ્યો હતો. અગાઉ, જ્યારે છોટા રાજન એપ્રિલ મહિનામાં કોરોના પોઝિટિવ બન્યો હતો, ત્યારે પણ તેને એઈમ્સમાં જ દાખલ કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૂત્રોએ જણાવ્યું છે કે મંગળવારે બપોરે તિહાર જેલ નંબર 2 માં બંધ છોટા રાજન આ દુખાવો થયો હતો. અચાનક તેના પેટમાં તીવ્ર દુખાવો થયો હતો. આ અંગેની જાણ…
કોરોના વાયરસ મહામારીનાં કારણે દેશ અને દુનિયા પીડાઈ રહી છે, મહામારીનાં કારણે ગરીબ અને મધ્યમ વર્ગને સૌથી વધારે નુકસાન થયું છે જ્યારે ખેતી ક્ષેત્રને પણ જોરદાર ફટકો પડ્યો છે. એવામા ખેડૂતોનાં દેવા માફીને લઈને કેન્દ્ર સરકારે સંસદની અંદર જવાબ આપ્યો છે. ગુજરાતનાં ખેડૂતોનાં માથે 90 હજાર કરોડથી વધારે રૂપિયાનું દેવું છે. મોદી સરકારનો નારો છે કે દેશનાં ખેડૂતોની આવકને ડબલ કરી દેવામાં આવશે. તે જ દિશામાં વડાપ્રધાન મોદી દ્વારા અમુક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે અને પીએમ મોદી પોતે પણ આ મુદ્દે અનેક વાર કહી ચૂક્યા છે કે ખેડૂતોની આવક વધારવામાં આવશે. કેન્દ્ર સરકારે સંસદમાં સાફ કહ્યું છે દેવા માફીની…
ફિલ્મમેકર મહેશ ભટ્ટની ઓફિસમાં ફાયરિંગ સહિત અનેક ગુનામાં સંડોવાયેલા ગેન્ગસ્ટર રવિ પૂજારીના શાર્પશૂટરને ખંડણી વિરોધી શાખાએ ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ સાદિક ઇબ્રાહિમ બંગાળી (૪૪) તરીકે થઇ હોઇ તેની પાસેથી પિસ્તોલ, રિવોલ્વર અને પંદર કારતૂસ જપ્ત કરવામાં આવી હતી. લોનાવલામાં સ્થાનિક રાજકારણી રાહુલ શેટ્ટીની હત્યાના કેસમાં સાદિક ફરાર હતો, એમ પોલીસે જણાવ્યું હતું. ખંડણી વિરોધી શાખાના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે ૨૩ જુલાઇએ કોટન ગ્રીન પૂર્વ સ્થિત એરફોર્સ રોડ પર છટકું ગોેઠવ્યું હતું અને શસ્ત્રો વેચવા આવેલા સાદિક બંગાલીને તાબામાં લીધો હતો. ધરપકડ બાદ સાદિકને સ્થાનિક અદાલતમાં હાજર કરવામાં આવતાં તેને ૩૦ જુલાઇ સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર…
જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં આભ ફાટતા ભારે તારાજી અને ખાનાખરાબી સર્જાઈ છે. જમ્મૂ-કાશ્મીરમા કિશ્તવાડ જિલ્લાના એક ગામમાં વાદળ ફાટવાના કારણે કહેર સર્જાયો છે. આ દરમિયાન ચાર લોકોનાં મોત નીપજ્યાં છે અને ઓછામાં ઓછા 30-40 લોકો ગુમ થયાનાં અહેવાલ છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે કહ્યું કે કિશ્તવાડના જિલ્લા મેજિસ્ટ્રેટ અશોક શર્મા સાથે વાતચીત કરવામાં આવી છે. ક્લાઉડબર્સ્ટ પછી 30 થી 40 લોકો લાપતા છે, 4 મૃતદેહો હજી સુધી મળી આવી છે. એસડીઆરએફ અને આર્મીની મદદથી બચાવ કામગીરી ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બચાવ ટુકડીને દચ્છન તહસીલના હોંજર ગામ મોકલી દેવામાં આવી છે અને વિગતવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે.…
પેગાસસ જાસૂસી કાંડ અંગે સંસદમાં ચર્ચાની માંગણી કરતા આજે પણ હંગામો થયો હતો. પેાસસ, ફુગાવા અને ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરી લેવા માટે, કોંગ્રેસની આગેવાની હેઠળના 14 વિપક્ષી પાર્ટીઓએ આજે એકઠા થઈને રણનીતિ બનાવી હતી. કોંગ્રેસ સહિત 14 વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ બુધવારે પેગાસસ જાસૂસી અને અન્ય મુદ્દાઓને લઇને સંસદના ચાલી રહેલા ચોમાસા સત્ર દરમિયાન સરકારને ઘેરી લેવા અને દબાણ કરવા માટેની વ્યૂહરચના પર ચર્ચા કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે તેઓ આ મુદ્દાઓની ચર્ચા ગૃહમાં રાખશે અને તેઓ પીછેહઠ નહીં કરે.જ્યારે આજે સંસદમાં ‘ખેલા હોબે’ ના નારા લગાવવામાં આવ્યા હતા, જેમાં પેગાસસ પર ચર્ચાની માંગ કરવામાં આવી હતી.…
બસવરાજ બોમ્માઇએ કર્ણાટકના 23 મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેઓ પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પાની જગ્યા લેશે. શપથ લેતા પહેલા બાસાવરાજે કહ્યું કે તેમને યેદિયુરપ્પાના લાંબા અનુભવથી ફાયદો થશે. એટલું જ નહીં, શપથ લીધા પછી બોમ્માઇએ યેદિયુરપ્પાના પગને સ્પર્શ કર્યો અને તેમનો આશીર્વાદ લીધા હતા. બે દિવસ પહેલા બી.એસ. યેદીયુરપ્પાએ ભાજપના રાજ્ય એકમ અને સરકારમાં થયેલી ઝઘડા વચ્ચે આ પદ પરથી રાજીનામું આપ્યું હતું. જોકે તેમના રાજીનામાનું એક કારણ વૃદ્ધાવસ્થા હોવાનું જણાવાયું છે. સીએમ તરીકે બીએસ યેદિયુરપ્પાના નજીકના હોવાનું કહેવાતા બોમ્મઇને બનાવીને ભાજપે પૂર્વ સીએમ અને લિંગાયત સમુદાય બંને સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. બોમ્માઇ પણ એ જ લિંગાયત સમુદાયમાંથી…
કાશ્મીર સરહદે તણાવને પગલે કચ્છ સરહદ પર બોટ પેટ્રોલિંગ વધાર્યું છે. આ દરમિયાન સોમવારે કચ્છમાં કોરી ક્રીક વિસ્તારમાં બીએસએફના જવાનોએ ભારતીય સેનાના જવાનોને ડૂબતા બવાવ્યા હતા. સેનાના જવાનો નિયમિત અભ્યાસ કરી રહ્યા હતા તે દરમિયાન સમુદ્રમાં અચાનક ઉઠેલી ઊંચી લહેરોને પગલે સેનાની બોટ પલટી ગઈ હતી. પરિણામે બોટમાં સવાર સેનાના છ જવાનો ડૂબવા લાગ્યા હતા. સરહદ પર સતત એલર્ટ પર રહેતા બીએસએફના જવાનોને આ દુર્ઘટના અંગે તરત જ ખબર પડી ગઈ હતી. જે બાદમાં તેઓ સ્પીડ બોટથી મદદ માટે દોડી ગયા હતા અને તમામ જવાનોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. તમામ જવાનોને બચાવીને લક્કી નાલા કિનારે લઈ જવાયા હતા. અહીંથી એમ્બ્યુલન્સ…
2015માં શરુ થયેલા પાટીદાર અનામત આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવાનારા વરુણ પટેલ ભાજપમાં જોડાયા બાદ ક્યાંક ખોવાઈ ગયા છે. ભાજપમાં જોડાયા બાદ હાંસિયામાં ધકેલાઈ ગયા હોવાનું હાલમાં પ્રતિપાદિત થઈ રહ્યું છે. વરુણ પટેલની ભાજપમાં સ્થિતિ કફોડી બની હોવાનું તેમના નજીકના સૂત્રો જણાવી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલનમાં મીડિયાનાં દરેક સવાલના જવાબ તથા મોદી અને ભાજપ સરકાર ઉપરાંત ટીવી ડિબેટમાં આવતા ભાજપનાં પ્રવક્તાઓને મુદ્દાસર અને તર્કબદ્વ દલીલો સાથે જવાબ આપવમાં વરુણ પટેલ કોઈ કસર બાકી રાખી ન હતી. તેમની વાકછટાના કારણે પાટીદાર અનામત આંદોલન દરમિયાન તેઓ આંદોલનના પ્રવક્તા બની ગયા હતા. બાદમાં હાર્દિક પટેલ સાથે વધુ ફાવટ નહીં આવતા વરુણ પટેલ અને…