દેશમાં કોરોના મહામારી (Corona Epidemic) એ જેવી રીતે પગ પસાર્યો છે તેનો ભોગ નાગરિકો સાથે સેલેબ્રિટીઓ, ખેલાડીઓ અને રાજનેતાઓ પણ બન્યા છે. દેશમાં આજે સતત ચોથા દિવસે 60 હજારથી વધુ કેસો નોંધાય છે પરંતુ તેના સાથે સૌથી સારા સમાચાર એ છે કે દેશમાં ગત 24 કલાકમાં નોંધાયેલા 62064 કેસો (Corona Cases)ની સરખામણીમાં 54859 જેટલાં દર્દીઓ રિકવર (Patients recover) પણ થયા છે. દેશમાં નોંધાયેલા 60 હજાર કેસોનાં લીધે અત્યાર સુધી દેશમાં નોંધાયેલા કુલ કેસોનો આંકડો 22 લાખને વટાવી ચૂક્યો છે. દેશમાં સર્વાધિક એક દિવસમાં 1007 મોત (1007 deaths in one day at most) નોંધાયા છે જેની સાથે કુલ મોતનો આંકડો 44386 થઈ…
Author: Satya-Day
કોરોનામાં હાલ ચારેબાજુ ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યો છે, પરંતુ અમદાવાદની સ્થિતિ થોડી સારી થતા ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષાની જાહેરાત કરાઈ હતી. પરંતુ આજે આ નિર્ણયને ફેરવી તોળવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રખાઈ છે. ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા મોકૂક રખાતા વિદ્યાર્થી આલમમાં સન્નાટો ફેલાઈ ગયો છે. તમને જણાવીએ કે 21 ઓગસ્ટથી ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા શરૂ થતી હતી. આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 21 ઓગસ્ટથી શરૂ થનારી ઓફલાઇન પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ઓફલાઇન પરીક્ષાની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા માટે વિકલ્પ પસંદ કરી શકશે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે મોત (Corona Death)ના આંકડામાં સૌથી મોટો કૂદકો જોવા મળ્યો છે. દેશમાં પ્રથમ વખત એક જ દિવસમાં કોરોનાએ 1000થી વધુ લોકોનો ભોગ લીધો છે. આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 62,064 નવા કેસ (Corona Positive Case) સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 1007 લોકોના મરણ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 22,15,075 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધી 44,386 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે રાહતની વાત છે કે, દેશના કુલ કેસોમાંથી 15,35,744 દર્દીઓ કોરોનાને…
“કોરોના-લૉકડાઉનના પગલે અઢી મહિના સુધી બંધ રહેલા TTD સંચાલિત ભગવાન વેંકટેશ્વર મંદિરને 11 જૂને ફરીથી ખોલી દેવામાં આવ્યું હતું. દેશની અલગ-અલગ ભાગોમાંથી લગભગ 2.38 લાખ શ્રદ્ધાળુઓએ જુલાઈ મહિનામાં ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા હતા. TTDએ પોતાની તિજોરી ભરવા માટે મંદિરને સામાન્યજન માટે ફરીથી ખોલવામાં આવ્યું હોવાની વાતને રદિયો આપ્યો હતો. શરૂઆતમાં તમામ લોકોએ TTDના પગલાની પ્રશંસા કરી, પરંતુ જેવું તિરુપતિમાં કેસો વધવા લાગ્યા તેવા સોશિયલ મીડિયા પર અમારા પર સવાલ ઉઠાવવામાં આવ્યા. કેટલાક લોકોએ એ પણ કહ્યું કે, અમે માત્ર રૂપિયા કમાવવા માટે ફરીથી દર્શન શરૂ કરાવ્યા છે. અમને તીર્થયાત્રીઓ તરફથી જ પણ પૈસા મળી રહ્યાં છે, તેનો ઉપયોગ અમે કોરોના…
શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટાછવાયા પરંતુ ભારે વરસાદી ઝાપટા પડવાને કરાણે તાપી નદીનું જળસ્તર વધી રહ્યું છે. નદીનું જળસ્તર વધતાં કોઝવે ઓવરફ્લો થયો હતો. જેથી વાહનવ્યવહાર માટે તેને બંધ કરાયો હતો.આ તરફ શનિવારે રાત્રે ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા. રવિવારે પણ સુરતમાં સમગ્ર દિવસ દરમ્યાન વાદળછાયું વાતારવણ રહ્યું હતું. સાથેજ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા અલગ અલગ વિસ્તારમાં પડ્યા હતાં. સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં ઉકાઈમાંથી પાણી છોડાયા બાદ કોઝવે ઓવરફ્લો થાય છે. પરંતુ આ વખતે કોઝવે ઓગસ્ટની શરૂઆતમાં જ ઓવરફ્લો થયો છે. મહારાષ્ટ્રમાં નાસિક ઉપર સક્રિય થયેલી અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ નબળી પડી છે. જેથી શનિવારે શહેર-જિલ્લામાં વરસાદનું…
સુરત શહેરમાં (Surat City) છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં અને મોતની સંખ્યામાં ઘટાડો થયો છે. કોરોનાની રફતાર હવે ધીરેધીરે ઘટી રહી છે. જેની પાછળ અમદાવાદનું મોડલ કામ કરી ગયું હોવાનું કહેવાય છે. છેલ્લા 15 દિવસમાં શહેરમાં સુરત મહાનગર પાલિકા દ્વારા વધુમાં વધુ રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.જેના કારણે મોટાપાયે પોઝિટિવ દર્દીઓની સંખ્યા સામે આવતા તેઓને હોમ આઈસોલેટ કરાયા છે. જેને પગલે શહેરમાં વાયરસનો ફેલાવા ઘટાડી શકાયો છે. શહેરમાં સતત વધતા જતા કોરોના પોઝિટિવ કેસોના (coronavirus) ડામવા માટે તંત્ર દ્વારા અમદાવાદનું મોડલ (Ahmedabad Model) અપનાવ્યા બાદ છેલ્લા એક સપ્તાહથી કેસમાં અને મોતની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં અમદાવાદમાં થોડાક સમય અગાઉ…
રક્ષણ પ્રધાન રાજનાથસિંહે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલી ‘આત્મનિર્ભર ભારત’ (Aatma Nirbhar Bharat) પહેલ માટે સંરક્ષણ ઉત્પાદનના સ્વદેશીકરણને વધારવા 101 ચીજવસ્તુઓના ઇમ્પોર્ટ/આયાત (ban on 101 defense items) પર પ્રતિબંધ મુકવાના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા છે. સાથે જ તેમણે જાહેરાત કરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે. જેમાં વડા પ્રધાન ‘આત્મનિર્ભર ભારત’ માટે નવી રૂપરેખા રજૂ કરશે. આજે અંદામાન અને નિકોબાર ટાપુઓ (Andaman and Nicobar Islands) માટે “સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલ સુવિધા” (submarine optical fibre cable facility) નું ઉદ્ઘાટન કરવાના એક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે તેઓ…
એક દિવસમાં રેકોર્ડ 64,399 કેસ નોંધાતા રવિવારે ભારતનો કોવિડ-19 (Covi-19/Corona Virus cases in India) નો આંક ઝડપથી 21 લાખને પાર ગયો હતો. જ્યારે નવા 861 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક વધીને 43,379 થયો હતો, એમ આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 53,879 દર્દીઓ સાજા થતા કોવિડ-19થી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા વધીને 14,80,884 થઈ હતી .જેના પગલે સાજા થવાનો દર (રિકવરી રેટ Recovery rate) 68.78 ટકા થયો હતો. મૃત્યુદર (fatality rate) વધુ ઘટીને 2.01 ટકા થયો હતો, એમ આરોગ્ય મંત્રાલયના આંકડાઓમાં જાણવા મળ્યું હતું. વર્તમાનમાં દેશમાં કોરોના વાયરસ બીમારના કુલ સક્રિય કેસ (active cases) 6,28,747 છે જ્યારે કુલ કોરોના વાયરસના કેસ વધીને…
કોરોનાવાયરસને (Coronavirus) હરાવવા માટે હાલ વિશ્વભરમાં ઘણી વેક્સિન પર કામ (Corona Vaccine) ચાલુ છે. ભારતમાં પણ, બાયોટેક અને ઝાયડસ કેડિલા (BharatBiotech and Zydus Cadila) નામની બે કંપનીઓએ હ્યુમન ટ્રાયલની શરૂઆત કરી દીધી છે. આ ઉપરાંત ઓક્સફોર્ડ યુનિવર્સિટીની (Oxford University) વેક્સિનને પણ ભારતમાં ત્રીજા પ્રવાસની ક્લિનિકલ ટ્રાયલ માટે લીલી ઝંડી મળી ગઈ છે. વિશ્વભરમાં ઘણી વેક્સિન પર કામ તો ચાલી રહ્યું છે,પરંતુ સવાલ એ ઉભો થાય છે કે આ વેક્સિન દરેક નાગરિક સુધી કેવી રીતે પહોંચશે. કોઈ પણ દેશ માટે આ સૌથી મોટો પડકાર હશે. તેથી મોદી સરકારે હમણાંથી જ બે પેનલ બનાવી છે. તેમની જવાબદારી છે કે દેશભરમાં વેક્સિન પહોંચાડવા…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે પીએમ-કિસાન યોજના (PM-KISAN scheme) ના ભાગ રૂપે 8.5 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતાઓમાં ₹ 17,100 કરોડ ટ્રાન્સફર કર્યા છે. જેનો હેતુ તેમને વાર્ષિક 6,000નો સીધો ટેકો પૂરો પાડવાનો છે. આ રકમ 2018 માં શરૂ કરાયેલી યોજનાના છઠ્ઠા હપ્તાનો એક ભાગ હતી. સરકારનો દાવો છે કે યોજનાના ભાગ રૂપે 10 કરોડથી વધુ ખેડૂતોને ₹ 90,000 કરોડથી વધુનો સીધો રોકડ લાભ આપવામાં આવ્યો છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે ખેડૂતો માટે ફાઇનાન્સિંગ સુવિધા શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યુ કે, ‘વડા પ્રધાન-કિસાન સન્માન નિધિના રૂ. 17,000 કરોડ એક જ ક્લીકથી કરોડો ખેડૂતોના બેંક ખાતામાં…