પશુપાલન નિયામક ફાલ્ગુનીબહેન ઠાકર કોરોના ચેપગ્રસ્ત થતા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયા, કૃષિ વિભાગના સેક્રેટરી મનિષ ભારદ્વાજ, તેમના પતિ અને કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડા ક્વોરન્ટાઈન થયા છે. અનલોક-૨માં જીમ ખોલવા પ્રતિબંધ હોવા છતાંયે કેબિનેટ મંત્રી કૂંવરજીએ જસદણમાં શુક્રવારે જીમ ખોલતા વિવાદ સર્જાયો હતો. શનિવારે ફાલ્ગુનીબહેન ચેપગ્રસ્ત કુંવરજી બાવળિયા પોતાના ગામ અમરાપુરામાં જ ક્વોરન્ટાઈન થઈને ગઢડાનો પ્રવાસ પડતો મૂક્યો હતો. પશુપાલન મંત્રીના કાર્યાલયમાંથી મળતી વિગતો મુજબ પશુપાલન નિયામક વહિવટી ફાઈલ લઈને કૂંવરજીને મંત્રી નિવાસે મળ્યા હતા, બાદમાં કાર્યાલયમાં યોજાયેલી મિટિંગમાં હાજર રહ્યા હતા. આ તરફ કૃષિ વિભાગના સેક્રેટરી મનિષ ભારદ્વાજ પણ પશુપાલન ડાયરેક્ટરના સંપર્કમાં હતા. તેમણે ટેસ્ટ કરાવ્યો છે, જે નેગેટિવ આવ્યો છે.…
Author: Satya-Day
અયોધ્યામાં 5 ઓગસ્ટે પીએમ મોદી મંદિરનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. નિર્માણ માટે ખાસ પત્થર મંગાવાયા છે. ઈતિહાસને સાચવીને રાખનારી ટાઈમ કેપ્સ્યૂલ પણ મંદિરને લઈને ચર્ચામાં છે. આ સિવાય રામ મંદિરને ભવ્ય અને ખાસ ચીજોથી શણગારવામાં આવી છે અને રામલલા માટે નવરત્ન જડિત ખાસ લીલા રંગના વસ્ત્રો પણ તૈયાર કરવામાં આવ્યા છે. મંદિરને ડિઝાઈન કરનારા ગુજરાતના સોમપુરા અને તેમના પરિવારની. તેમનો પરિવાર 15 પેઢીથી મંદિર ડિઝાઈન કરી રહ્યો છે અને અત્યાર સુધીમાં પરિવારે 131 મંદિરો ડિઝાઈન કર્યા છે. મૂળ ડિઝાઈનમાં ફેરફાર કર્યા બાદ હવે મંદિરમાં 318 સ્તંભ હશે. નવી ડિઝાઈનની રીતે મંદિરની પહોળાઈ 235 ફીટ અને લંબાઈ 360 ફીટ હશે.ઉંચાઈ…
ગાંધીનગર સ્થિતિ રાજ્યના ઇર્મજન્સી ઑપરેશન સેન્ટરમાં નોંધાયેલા આંકડા મુજબ આ 24 કલાક દરમિયાન 27 જિલ્લામાં સૌથઈ વધુ મહેસાણાના ખેરાલુમાં વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં મહેસાણા જિલ્લાના ખેરાલુમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. દરમિયાન 24 કલાકમાં ખેરાલુમાં 3 ઇંચ, સિદ્ધપુર પાટણમાં પોણા ત્રણ ઇંચ, સુરેન્દ્રનગરના વઢવાણમાં પોણા ત્રણ ઇંચ, સુરેન્દ્રનગરના ચુડામાં 54 એમ.એમ, પાટણના રાધનપુરમાં 46 એમએમ, બનાસકાંઠાના દિયોદરમાં 39 એમ.એમ. પાટણ શહેરમાં 36 એમ.એમ વરસાદ વરસ્યો છે. જ્યારે છોટાઉદેપુરના ક્વાંટમાં 31 એમ.એમ. પાટણના સરસ્વતીમાં 30 એમ.એમ. જૂનાગઢનાં વંથલીમાં 29 એમ.એમ. નર્મદાના સાગબારામાં 28 એમ.એમ. પાટણના સાંતલપુરમાં 27 એમ.એમ.જામનગના કાલાવાડમાં 27 એમ.એમ. રાજકોટના જેતુપરમાં 23 એમ.એમ. જૂનાગઢના ભેસાણમાં 22 એમ.એમ. તેમજ…
સ્ટ્રીટ ફુડ હોય કે પછી રેસ્ટોરા અને દુકાનો, ચાટથી લઈને મીઠાઈઓ સુધી બધી જ જાતના પકવાનોનો સ્વાદ લોકોને ફરી લલચાવવા લાગ્યો છે. આશરે ત્રણેક મહીનાના લાંબા લોકડાઉન બાદ દિલ્હીની લિજ્જત સામે લોકોની ધીરજનો બંધ હવે તૂટવા લાગ્યો છે. એક તરફ કોરોનાનો ડર પણ છે પરંતુ સ્વાદ અને લિજ્જતની સામે લોકો પોતાને રોકી પણ નથી શકતા. અનલોકમાં જેમ જેમ વેપાર, રોજગાર ફરી ચાલુ થવા લાગ્યા છે તેમ તેમ દિલ્હીમાં ખાણી પીણીની દુકાનો, રેસ્ટોરામાં લોકોની લાઈન લાગવાનું ચાલુ થઈ ગયું છે. અત્યાર સુધી જે લોકો કોરોનાના સંક્રમણના ડરથી બહારનું ખાવાનું ટાળી રહ્યા હતા તેઓ હવે ફરી ધીરે ધીરે ચટાકેદાર ભોજનની લિજ્જત તરફ…
સુરત, અમદાવાદ હવે રાજકોટ કલેક્ટરે તહેવારોને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. શ્રાવણ મહિનામાં આવનારા ગણેશોત્સવ, જન્માષ્ટમી, સંવત્સરીના તહેવારોને લઈને નાગરિકોની સુખાકારી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ગણેશોત્સવમાં ગણેશ અને કૃષ્ણની મૂર્તિ 2 ફૂટથી ઉંચી ન હોવી જોઈએ તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય ખંડિત મૂર્તિને બિનવારસી હાલતમાં નહીં મૂકવાનો પણ નિર્ણય લેવાયો છે. જળાશયોમાં મૂર્તિ વિસર્જન ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજકોટ કલેક્ટરનું જાહેરનામું 2 સપ્ટેમ્બર સુધી અમલી રહેશે. બકરી ઇદમાં કુરબાની પછી માસ, હાડકા, અવશેષો જાહેરમાં ફેંકવા પર પ્રતિબંધ મુકાયો છે. તેમજ જાહેરમાં પંડાલ બાંધવા પર પ્રતિબંધ મુકાયો છે. રાજકોટના કોઈ પણ સ્થળે ધાર્મિક અને સામાજિક…
શહેરમાં પોઝિટિવ કેસ (positive cases) નો રાફડો ફાટી નીકળ્યો છે. જેમાં પણ ખાસ કરીને હાલની પરિસ્થિતિ પ્રમાણે ઉધના, રાંદેર અને અઠવા ઝોન (Udhna, Rander and Athwa Zone) માં પોઝિટિવ કેસ વધી રહ્યા છે. જે અંગે મનપા કમિશનરે જણાવ્યું હતું કે, શહેરમા કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને ખાસ કરીને આ ત્રણ ઝોનમાં વધુ કેસ નોંધાઈ રહ્યા છે. અઠવા ઝોનમાં સિનિયર સિટીઝન વધુ છે. જેથી વડીલોને ક્વોરન્ટાઈન કરવા માટે મનપા કમિશનરે અપીલ કરી હતી. શહેરમાં દરેક સોસાયટી, કોમર્શિયલોમાં પલ્સ ઓકિસમીટર (Oxi Meter) વસાવી દરરોજ ઓકિસજન લેવલ (Oxygen Level) ચેક કરવા માટે જણાવાયું છે. અને જેઓનું પણ ઓકિસજન લેવલ 95થી નીચે જાય તો…
માર્ચ મહિનાથી ભારતમાં કોરોનાવાયરસ (coronavirus) જોર પકડ્યું છે, પરંતુ જુલાઇમાં તે અત્યાર સુધી તેનું ભયાનક રૂપ બતાવી રહ્યો છે. માત્ર જુલાઈ(July) માં દેશભરમાં 11 લાખથી વધુ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તે જ સમયે, કોરોના વાયરસના કુલ કેસો વિશે વાત કરવામાં આવે તો આ આંકડો 16 લાખને પાર કરી ગયો છે. શુક્રવારે કોરોનાએ ભારત(India)માં તમામ રેકોર્ડ તોડ્યા હતા અને એક જ દિવસમાં 55 હજારથી વધુ કેસ નોંધાયા હતા. આ રીતે જુલાઇ મહિનામાં કોરોના વાયરસના 11.1 મિલિયન પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે 19122 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જો અગાઉના મહિનાના આંકડાની તુલના કરવામાં આવે તો જુલાઈમાં લગભગ 2.8 ગણા વધુ…
15 મી ઓગસ્ટની ઉજવણીને લઈ ગુજરાત સરકારે એક એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં રાજ્યકક્ષાથી લઈ ગ્રામ્ય વિસ્તાર માટે એક ગાઈડલાઈન બનાવીને અમુક નિયમો બનાવવામાં આવ્યા છે છે. 15મી ઓગસ્ટ સ્વતંત્ર્ય દિવસની ઉજવણી ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. જેમાં ધ્વજ વંદન, રાષ્ટ્રગાન, ગાર્ડ ઓફ ઓર્નર બાદ CM રૂપાણીનું સંબોધન રાખવામાં આવ્યું છે. જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં મંચ પર 5થી વધુ લોકો નહીં રહી શકે તેવું એડવાઈઝરીમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અડધા કલાકના કાર્યક્રમનું આયોજન કરવા સમયપત્રક અપાયું છે. જિલ્લાના કાર્યક્રમમાં 150 આમંત્રિતોને રાખવાનો હુકમ કરાયો છે, જ્યારે ઉજવણી દરમિયાન મંચ પર 5 જ મહાનુભાવો જ ઉપસ્થિત રહેશે. તાલુકા કક્ષાના કાર્યક્રમમાં 100 આમંત્રિતો…
ગુજરાત (Gujarat) માં 12મા ક્રમે 1153 કેસ નોંધાયા છે. રાજ્યમાં આરોગ્ય વિભાગ (state health department) દ્વારા સતત કોરોના ટેસ્ટ (increased testing in Gujarat) વધુ કરવામાં આવી રહ્યા છે. જેમાં શુક્રવારે રાજ્યમાં કુલ 26,704 ટેસ્ટ કરવામાં આવ્યા છે. શુક્રવારે નવા 1153 કેસ સામે 833 દર્દી સાજા થઈ ગયા છે. જેના પગલે રાજ્યમાં દર્દીઓ સાજા થવાનો દર વધીને 73.09 સુધી પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 64,777 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજની તારીખે રાજ્યમાં 4,83,569 લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. હાલમાં રાજ્યમાં 14090 દર્દી સારવાર હેઠળ છે. જે પૈકી 81 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 14009 દર્દીની સ્થિતિ સ્થિર છે. શુક્રવારે…
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારના રોજ તાજા આંકડા પ્રમાણે છેલ્લાં 24 કલાકમાં Covid-19ના સૌથી વધુ 57,117 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ કુલ સંક્રમિત કેસોની સંખ્યા 17 લાખના આંકડાની નજીક પહોંચી ગયા છે.. આપને જણાવી દઇએ કે કુલ સંક્રમિતોની સંખ્યા 16,95,988 થઇ ચૂકી છે. આ દરમ્યાન 764 લોકોના મોત થઇ ચૂકયા છે, ત્યારબાદ કુલ મૃતકોની સંખ્યા 36,511 થઇ ગઇ છે. તો અત્યાર સુધીમાં 10,94,374 લોકો આ વાયરસને માત આપીને સાજા થઇ ગયા છે. જુલાઇ મહિનામાં કોરોનાના કેસ ઝડપથી વધતા દેખાયા. 1 જુલાઇ થી 31 જુલાઇની વચ્ચે કુલ સંક્રમિતોના 64 ટકા કેસ સામેલ છે તો ત્યાં 54 ટકા મોત આ સમયગાળા દરમ્યાન…