પ્રવાસી મજૂરોને લઈને સુપ્રીમ કોર્ટે મંગળવારે મહત્વનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, પ્રવાસી મજૂરોને 15 દિવસની અંદર પોતાના વતન મોકલવામાં આવે. પ્રવાસી મજૂરોને નોકરી આપવા માટે એક યોજના તૈયાર કરવામાં આવે અને તેમના માટે કાઉન્સિલિંગ સેન્ટર પણ બનાવવા આવે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે, પ્રવાસી મજૂરોની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા લોકડાઉનના ઉલ્લંઘનના કેસને પરત લેવામા આવે. કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને વ્યવસ્થિત રીતે પ્રવાસી મજૂરોની ઓળખ માટે એક યાદી તૈયાર કરવા માટે જણાવ્યું છે. કોર્ટે સરકારોને મજૂરોની સ્કિલ મેપિંગ તૈયાર કરવા જણાવ્યું છે જેથી એ નક્કી કરવામાં સરળતા રહે કે તેમને સ્કીલ અને અનસ્કીલ કામ સોંપવામાં…
Author: Satya-Day
લોકડાઉન(Lockdown)નો ત્રીજો તબક્કો શરૂ થતાની સાથે જ શ્રમિક(Labour) પરિવારોની હિજરતïનો આંકડો ૧૭ લાખને પાર કરી ચુક્યો છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે ઠપ્પ થયેલા રોજગાર – ધંધાïને કારણે નાસીપાસ થયેલા શ્રમિકો(Labour)ને હેમખેમ વતન પહોîચાડવા માટે જિલ્લા કલેકટરï ડો. ધવલ પટેલ દ્વારા શ્રમિકોનીï વતન વાપસી માટેï ભારે સક્રિયતા દાખવવામાં આવી હતી. જ્યારે બીજી તરફ ડિજીટલ પોર્ટલ થકી અરજી કરીને દેશ – રાજ્ય(State)ના વિવિધ શહેરોમાં પહોîચનારા શ્રમિકો મધ્યમ વર્ગીય પરિવારોનો આંકડો પણ લાખ્ખોએ પહોîચ્યો છે. રેલવેથી માંડીને જે તે રાજ્યના વહીવટી તંત્ર સાથે સંકલન સાધીને સુરત ઉધના રેલવે સ્ટેશનેથી પ્રતિદિન ૩૦થી વધુ ટ્રેનો દોડાવવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, અોરિસ્સા અને રાજસ્થાન…
ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર: સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર યથાવત છે. ચોમાસું પૂરબહારમાં ખીલ્યું હોય એમ અત્યારથી જ નદીઓ ખળખળ વહેવા લાગી છે. ત્યારે ભાવનગરમાં બે કલાકમાં જ સાડા ત્રણ ઇંચ પાણી પડી ગયું હતું. દેમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં આવેલાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં. જ્યારે રસ્તાઓ પણ પાણીથી રેલમછેલ થઈ ગયા હતા. ભરતનગરના યોગેશ્વરનગર અને કાળિયાબીડ સાગવાડીમાં મકાનોમાં પાણી ઘૂસી જતાં લોકોને હાડમારી વેઠવી પડી હતી. ઘણા લોકોનું અનાજ તેમજ ઘરવખરી પણ પલળી ગઈ હતી. એ જ રીતે હાદાનગર કુંભારવાડા, સહિત નીચાણવાળા વિસ્તારોમાં પણ એ જ હાલત જોવા મળી હતી. જ્યારે ઘોઘા સહિત ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજાએ મહેર કરી હતી.…
સમગ્ર રાજ્ય(Gujarat)માંથી 10.83 લાખ વિદ્યાર્થી(Students)ઓએ પરીક્ષા (Exam) આપી હતી, જેમાં સમગ્ર રાજ્યમાં સુરત(Surat)નું ધો. 10 નું સુરત પરિણામ (Result)74.66 ટકા નોંધાયું છે. રાજ્યમાં સૌથી વધુ એ-વન ગ્રરેડ ધરાવતા તારલાઓની સંખ્યા પણ સુરતમાં જ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે સુરતના જુદા-જુદા 282 બ્લોકમાંથી 79 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા(Exam) આપી હતી, જેમાંથી સુરતના 350 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યા છે. નોંધનીય છે કે સમગ્ર ગુજરાતનું ધો. 10નું 60.64 ટકા પરિણામ(Result) આવ્યું છે. ગત વર્ષ કરતાં 6 ટકા જેટલુ ઓછુ પરિણામ આવ્યું છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતનામ વલસાડ, નવસારી, તાપી જિલ્લાનું પરિણામ એવરેજ રહેવા પામ્યુ હતું. વલસાડ જિલ્લાનું 58.52 ટકા પરિણામ નોંધાયું છે. અહીં…
કોરોનાને લઈને આજે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના સિનિયર IAS અધિકારીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. જયંતિ રવિની ટીમના આઇ.એ.એસ હારિત શુક્લાને કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. રાજ્યના સિનિયર આઈએએસ હારિત શુક્લા કોરોના સંક્રમિત થયા છે. તેઓ સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સેક્રેટરી છે અને તેમને કોરોના પોઝિટિવ આવતા ભારે ખળભળાટ મચ્યો છે. મહત્વપૂર્ણ છે કે તેઓ છેલ્લા અઢી મહિના જેટલા સમયથી આરોગ્ય સચિવ જયંતિ રવિ સાથે આરોગ્ય વિભાગમાં ફરજ બજાવી રહ્યા હતા. અઢી માસથી શુક્લા આરોગ્ય વિભાગમાં સેવા આપી રહ્યા હતા. છેલ્લા એક સપ્તાહથી શુક્લા રજા પર હતા. ત્યારબાદ તેમનો રિપોર્ટવ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને કોરોના…
ગુજરાત સરકારે કેસ ઘટાડવા માટે નવો કિમિયો અપવાવ્યો હોય એવું પ્રતિત થી રહ્યું છે. જો કે પહેલેથી જ ગુજરાત સરકારે કોરોના ટેસ્ટ કરવામાં લાપરવાહી દાખવી હતી, જેનું પરીણામ હવે ભોગવવું પડી રહ્યું છે. ગુજરાતમાં ૧૯ માર્ચથી લઈ ૭મી જૂન સુધીના કુલ ૮૧ દિવસમાં માત્ર અઢી લાખ ટેસ્ટ કરવામાં આવ્યાં છે જેની સામે તામિલનાડુમાં માત્ર એક મહિનામાં જ ૪ લાખ જેટલા ટેસ્ટ કરાયા છે. થોડા સમય પહેલા ગુજરાત કોરોના પોઝિટિવના કેસમાં મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે હતું. પરંતુ આજે બીજા ક્રમે તામિલનાડુ અને ત્રીજા ક્રમે દિલ્હી આવતા ગુજરાત ચોથા ક્રમે આવ્યું છે. તેના પાછળનું મૂળ કારણ એ છે કે, આ બંને રાજ્યોમાં…
મનપા(SMC) કમિશનર બંછાનિધિ પાનીએ શહેરીજનોને સાવચેત કરતા જણા્વ્યું હતું કે, શહેરીજનો અનલોક(Unlock)માં એકદમ બિન્દાસ્ત થઈને ફરી રહ્યાં છે. અને એમ પણ કહી રહ્યા છે કે, કંઈ થતું નથી. પરંતુ કોરોના એ એક ડેડલી વાયરસ(Virus) છે અને તેનાથી મોત પણ થાય છે જે લોકોએ ધ્યાનમાં રાખવાની જરૂર છે. ઘણા કોરોના પોઝિટિવ દર્દીઓ એવા પણ છે કે, જેઓ 1 મહિના સુધી હોસ્પિટલ(Hospital)માં સારવાર લઈ રહ્યા છે. શહેરીજનો આ વાયરસને બહુ જ લાઈટલી લઈ રહ્યા છે જે ઉચિત નથી. લોકોએ ચેપ ન લાગે તે માટે તમામ પ્રયાસો કરવા જ પડશે. ફરજીયાત ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક(Mask) પહેરવું જરૂરી છે. અને હાથ વારંવાર મોઢા…
આવતીકાલે એટલે મંગળવારે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. વિદ્યાર્થીઓને કોઈ અસુવિધા ઉભી ન થાય તે માટે શિક્ષણ વિભાગે પણ તૈયારી બતાવી છે. વિદ્યાર્થીઓ આવતીકાલે સવારે 8 વાગે શિક્ષણ વિભાગની વેબસાઈટ પર ઓનલાઇન જોઈ શકાશે ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે (મંગળવારે) ધોરણ-10નું પરિણામ જાહેર કરવાનું હોવાથી તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. ધોરણ-10ના વિદ્યાર્થીઓ વહેલી સવારે 8 વાગ્યાથી શિક્ષણ વિભાગની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન પરિણામ જોઈ શકાશે. પરિણામ પછી માર્કશીટના વિતરણની તારીખ જાહેર કરાશે
રોનાની મહામારીને કારણે મોકુફ રાખવામાં આવેલી વીર નર્મદ યુનિ.ની પરીક્ષાઓ તેમજ સંલગ્ન કોલેજો ક્યારે શરૂ થશે તે અંગે વિદ્યાર્થીઓમાં લાંબા સમયથી મબંઝવણ પ્રવર્તતી હતી. લોકડાઉન વચ્ચે શિક્ષણ વિભાગ દ્વારા 25 જૂનના રોજ પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવી હતી, જે અંગે પણ થોડી અસંમજ હોવાથી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ.દ્વારા આજ રોજ એકેડેમિક કાઉન્સિલીંગની મિટીગ યોજાઈ હતી, જેમાં પરીક્ષાને લઈને કેટલાક મહત્વના મુદ્દાઓ પર સ્પષ્ટતા કરવામાં આવી હતી. યુનિ. માં આગામી 25 જૂનથી પરીક્ષાઓ યોજાશે અને તેનું વિગતવાર ટાઈમટેબલ યુનિ. ની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. યુ.જી તેમજ પીજીની પરીક્ષા લેવા તથા ગ્રેસિંગ અંગે નિર્ણય યુજીના વિદ્યાર્થીઓની સેમ.6 ની અને પી.જી.…
ન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ આવતીકાલે સોમવારથી હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ ઉદ્યોગ 76 દિવસ પછી શરૂ થશે. સાઉથ ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશને નવી ગાઇડલાઇન પ્રમાણે વેપાર કરવા માટે સુચન કર્યુ છે. જોકે કરફ્યુ લાગવાનો સમય રાતે 9 વાગ્યાનો હોવાથી મોટાભાગની રેસ્ટોરન્ટ ડિનરનું આયોજન કરવાને બદલે ટેક અવે સિસ્ટમથી પાર્સલ સર્વિસ આપશે. રાતે 8 વાગ્યા સુધીમાં આ પાર્સલ સર્વિસ ચલાવશે. હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશનના સિનીયર વાઇસ પ્રેસિડેન્ટ સનત રેલિયાએ જણાવ્યું હતું કે સ્ટેનઅલોન રેસ્ટોરન્ટ એક ટેબલ છોડીને બેઠક વ્યવસ્થા ગોઠવશે ફેમિલિને એકજ ટેબલ પર બેસવાની છૂટ આપવામાં આવશે.લંચનો સમય મર્યાદિત હોવાથી મોટાભાગે ડિનરની આવક પર રેસ્ટોરન્ટ ચાલતી હોય છે. હોટેલમાં ફેમિલિને એકજ…