સુરત મહાનગર પાલિકા દ્વારા હાલ સૌથી વધારે ફોક્સ કો-મોર્બીડ અને વૃદ્ધો છે. મનપા દ્વારા અમુક દિવસો પહેલાં તેમને ધ્યાનમાં રાખી એપીએક્સ પદ્ધતિ મુજબ સરવે હાથ ધરવામાં આવ્યો હતો. આ સરવે હાલ પૂરો થવાની તૈયારીમાં છે. થોડા દિવસો પહેલાં મનપા દ્વારા શહેરમાં 2.96 લોકો કો-મોર્બીડ તેમજ વૃદ્ધો હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેમજ તેમને વધારે તકેદારી રાખવાની સૂચના પણ આપવામાં આવી હતી. મનપા કમિશનરે વડીલોને કારણ વગર બહાર નહીં નીકળવાની અપીલ કરી હતી. કમિશનરે ગુરુવારે જણાવ્યું હતું કે, મનપા દ્વારા જે વડીલોને વધારે તકેદારીની જરૂર છે તેવા વડીલોની ઝોન પ્રમાણે યાદી તૈયાર કરાઇ રહી છે. હાલ પ્રાથમિક તબક્કામાં મનપા 50 વડીલોની યાદી…
Author: Satya-Day
સુરત શહેરમાં પોઝીટીવ કેસનો આંક સતત વધી રહ્યો છે. સુરત શહેરમાં લોકડાઉન 4.-0 લાગુ કરાયું છે. પરંતુ તેમાં ઘણી છુટછાટો પણ આપવામાં આવી છે, સુરત શહેરમાં જે વિસ્તારોમાં કેસો ઓછા છે તેવા નોન-કન્ટેનમેન્ટ ઝોનમાં કામકાજ માટે ઘણી છુટ છે. ત્યારે તેની અસર સુરત શહેરમાં દેખાવા લાગી છે. અને કોરોના પોઝીટીવ કેસો વધી રહ્યા છે. સુરત શહેરમાં શુક્રવારે બપોર સુદીમાં વધુ 21 પોઝીટીવ કેસો નોંધાયા હતા. જેમાં સુરત મનપાના કર્મચારી તેમજ એર પી.એસ.આઈ પણ ચપેટમાં આવ્યા છે. સુરત શહેરમાં શુક્રવારે બપોર સુધી નોંધાયેલા કેસોમાં સૌથી વધુ કેસો લિંબાયત તેમજ કતારગામ ઝોનમાં નોઁધાયા છે. સુરત શહેરમાં અછવા ઝોનમાં ફરજ બજાવતા પટાવાળાનો પણ…
હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ covp-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. અને ભારતમાં પણ COVIp19ના કેસો નોંધાઈ રહ્યા છે. જે બાબતે ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ coVID-19ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લેતા, શહેરના કેટલાક વિસ્તારમાં સોશિયલ ડીસ્ટન્સીંગ (Social Distancing) જળવાતું જોઈએ તે જળવાતું નથી. જેથી નોવેલ કોરોના વાયરસ coVid-19 નું સંક્રમણ ફેલાવવાનું ઘણી શક્યતા રહેલી છે. જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા ઘણા વિસ્તારોને ક્લસ્ટર જાહેર કરવામાં આવી રહ્યા છે. જેથી સંક્રમણનો ફેલાવો વધુ ન થાય. સુરત શહેરમાં વધુ આ વિસ્તારોના લોકોને પણ…
UGC એ બુધવારે દેશની મોટા ભાગની પ્રાપ્યતા ન ધરાવતી યુનિવર્સિટીઓને પોતાના નામની પાછળથી યુનિવર્સિટી શબ્દ હટાવી લે. યુજીસી દ્વારા ઉચ્ચ શિક્ષણ માચે માન્યતા ધરાવતી 127 યુનિ. ના નામ જાહેર કર્યા છે, જેને યુનિ. તરીકે જાહેર કરવામાં આવી છે. યુજીસી દ્વારા આ તમામ ફેક યુનિ.ઓને પોતાની જાહેરાતો, વેબસાઈટ, વેબસાઈટનું સરનામું, ઈ-મેઈલ, લેટરપેડ, હોર્ડીંગ્સ આ તમામ જગ્યાએથી યુનિ. શબ્દનો ઉપયોગ નહીં કરવા માટે આદેશ કર્યો છે. જો કે યુજીસી દ્વારા આ તમામ ફેક સંસ્થાઓ જે પોતાને યુનિ. ગણાવે છે તેમની વુરુદ્ધ ફરીયાદ કરવામાં આવશે. યુજીસીએ પરિપત્રમાં જણાવ્યું છે કે યુનિ. ની જગ્યાએ આ તમામ સંસ્થાઓ કૌસમાં યુનિવર્સિટી હોઈ શકે એવા શબ્દનો ઉલ્લેખ…
લોકડાઉન 3માં કેટલાક પ્રકારની ગતિવિધિઓને છુટ આપવામાં આવી છે. જેમાં અમુક પગલા આગળ વધતા 12મેથી સરકારે ટ્રેન સેવાઓને ફરીથી શરૂ કરી. દિલ્હીમાં ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે. આનાથી એ પ્રશ્ન ઉભો થાય કે સરકાર દેશમાં હર્ડ ઈમ્યુનિટી માટે તૈયારી તો નથી કરી રહી ને? સ્વાસ્થ્ય વિશેષજ્ઞો અને મહામારીનો ઉકેલ મેળવવા માટે ઉપાય શોધનારા વિદ્વાનોનો એક વર્ગ માને છે કે કોરોના વાઈરસની સામે લડવા દેશની પાસે એકમાત્ર હથિયાર હર્ડ ઈમ્યનિટી છે.આ છૂટછાટના કારણે એવુ લાગે કે, સરકાર લોકોને હર્ડ ઇમ્યુનિટી માટે તૈયાર કરી રહી છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞો અને આ મહામારીની સામે લડનારા વિદ્વાનોનો એક વર્ગ માને છે કે, કોરોના વાઇરસ સામે…
શહેરમાં આજે દિવસભર 20 કિલોમીટરની ઝડપે પવનો ફુંકાતા મીનીવાવાઝોડાનો અનુભવ શહેરીજનોએ કર્યો હતો. આ હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે મોડી સાંજે શહેરના છુટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડયા હતા. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ છુટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડે તેવી આગાહી છે. જેને પગલે આજે મોડી સાંજે શહેરના સ્ટેશન વિસ્તારમાં અને વરાછા સહિતના છુટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડયા હતા. આજે વહેલી સવારથી શહેરમાં ભારે પવનો ફુંકાતા જાણે મીનીવાવાઝોડું સર્જાયું હોય તેવું લાગ્યું હતું. શહેરમાં આજે 20 કિલોમીટરની ઝડપે દક્ષિણ-પશ્ચિમનો પવન ફુંકાયો હતો. 20 કિલોમીટરની ઝડપે પવન ફુંકાતા વાવાઝોડાના આગમન પહેલાનો અનુભવ થયો હતો.…
શહેરમાં લોકડાઉન વખતે પણ કોરોના કાબૂમાં રહ્યો ન હતો. ત્યારે હવે તો લોકડાઉનમાં છૂટછાટ અપાતાં અનેક પ્રકારના ધંધા-રોજગાર ખૂલી ગયા છે. અમે લોકો જાગૃતિ નહીં દાખવે તો કોરોનાનો ચેપ વધશે એવી જે આશંકા હતી તે સાચી પડી રહી છે. કેમ કે, છૂટછાટના 10માં દિવસે શહેરમાં એક જ દિવસમાં કોરોનાના 53 કેસ નોંધાયા છે. તેમાં પણ અગાઉ માત્ર સુપરસ્પ્રેડરો અને તેના કોન્ટેક્ટવાળા લોકોને ચેપ લાગતો હોવાના કિસ્સા વધુ હતા. પરંતુ હવે તો જુદાં જુદાં ક્ષેત્રના વેપારીઓ, ધંધાર્થીઓમાં કોરોનાનો ચેપ જણાઇ રહ્યો છે ગુરુવારે મળેલા નવા 53 કેસમાં સુપરસ્પ્રેડર એવા એક શાકભાજીવાળા અને એક કરિયાણાવાળા તેમજ મનપાના સફાઇ કામદારની સાથે સાથે કાપડની…
સુરતમાં કાપડ માર્કેટ, હીરાના કારખાના અને હીરા બજારો શરૂ કરવા માટે સ્થાનિક જિલ્લા વહિવટી તંત્રથી લઇ રાજ્ય સરકાર પર દબાણ વધતા આજે સુરત મહાનગર પાલિકામાં મેયર ડો. જગદીશ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ડે. મેયર, સ્થાયી અધ્યક્ષ અને પાલિકા કમિશનર અને અધિકારી તથા પદાધિકારીઓની યોજાયેલી બેઠકમાં લાંબી ચર્ચા વિચારણાને અંતે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, છેલ્લા 28 દિવસથી સેન્ટ્રલ ઝોન અને લિંબાયત ઝોનમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ એરિયા, મહિધરપુરા હીરા બજાર અને ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારને ક્લસ્ટર ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યું છે. આ નિર્ણય લેવા માટે એવું કારણ આપવામાં આવ્યું છે કે, છેલ્લા 28 દિવસમાં 1 પણ પોઝિટિવ કેસ નહીં નોંધાતા આ…
અમેરિકા સતત કોરોના વાઈરસને લઈને ચીન પર નિશાન સાધે છે. હવે ચીનના શોધકર્તાઓએ ખતરનાક કોરોના વાઈરસને લઈને એક દાવો કર્યો છે. ચીનના રિસર્ચનું કહેવુ છે કે આ ઘાતક કોરોના વાઈરસ વુહાનની વેટ માર્કેટથી નીકળ્યો નથી.અમેરિકાએ કોરોનાને ચીનના વુહાનની લેબમાં બનાવવામાં આવેલા આરોપોને ચીન ફગાવતો આવ્યુ છે. પ્રમુખ ચીની વીરોલોજિસ્ટ, જેના રહસ્યમય રીતે ગાયબ થયા બાદ કોરોના વાઈરસના વુહાન ઈન્સ્ટિટ્યુટ ઑફ વાયરોલૉજીથી નીકળવાની અટકળો લગાવાઈ હતી. હવે ચીને એક ન્યુઝ ચેનલને કોરોના વાઈરસને લઈને ઈન્ટરવ્યુ આપ્યો છે. એટલુ જ નહીં તેમણે સાયન્સ પર રાજકારણ થતુ હોવા પર ચિંતા વ્યક્ત કરી છે. બુધવારે ચીની વૈજ્ઞાનિકોએ તે રિપોર્ટને ફગાવી દીધી જેમાં કોરોના વાઈરસ…
સુરત નવી સિવિલ, કોવિડ હોસ્પિટલ માટે કોરોના મહામારીમાં આજે એક સુખદ ઘટના સામે આવી હતી. 17 દિવસ વેન્ટિલેટર પર જિંદગી અને મોતની વચ્ચે લડતા કોરોનાના વૃદ્ધ દર્દીને હોસ્પિટલની ટીમે યોગ્ય સારવાર અને દેખરેખ રાખી મોતના મુખમાંથી બચાવી લીધો હતો. આ દર્દી 17 દિવસ વેન્ટિલેટર અને કુલ 21 દિવસની સારવાર બાદ કોરોનાને માત આપી ગઈકાલે ઘરે પહોંચ્યો હતો. શહેરના ગોડાદરા ખાતે આસપાસનગરમાં રહેતા 65 વર્ષીય ધર્મરાજ રામદેવ પાટીલને 7 મેએ 108માં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. ધર્મરાજભાઈને ત્રણ દિવસથી તાવ, કફ અને શ્વાસ લેવામાં તકલીફ હતી. તબીબોએ તેમને સ્મીમેરમાં પ્રાથમિક સારવાર બાદ તાત્કાલિક શ્વાસનળીમાં નળી નાંખેલી હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાંથી કોવિડ-19 હોસ્પિટલમાં રિફર…