કોરોના બાદ હવે દેશમાં એક નવા રોગની ચર્ચા વધી ગઈ છે અને તે છે બ્લેક ફંગસ (મ્યુકોરમાઇકોસિસ) ફંગસનું એ રૂપ જે જાનલેવા બની ગયું છે. આ બીમારીને લઈને લોકોમાં ડરનો માહોલ બનતો જાય છે. એટલું જ નહીં બ્લેક ફંગસ બાદ હવે વ્હાઇટ ફંગસ પણ ચર્ચામાં આવી ગયું છે. આ ફંગસને કારણે લોકોનું સ્વાસ્થ્ય પ્રભાવિત થઇ રહ્યું છે. જોકે, કેટલાંક એવા ફંગસ પણ છે જેનો ઉપયોગ જડી બૂટી બનાવવા માટે પણ ઉપયોગ થયા છે. તે જીવન માટે ઘણી જ મહત્વની છે. એવામાં આજે તમને એવા ફંગસ અંગે જણાવવા જઈ રહ્યા છી જે લાખો રૂપિયામાં વેચાય છે. આ દુનિયાની સૌથી મોંઘી ફંગસ…
Author: સત્ય ડે - ડેસ્ક ન્યુઝ
કોરોનાના કાળમાં ડાકોરના ઠાકોરના દર્શનની ઇચ્છા થઇ તો કોરોનાની મહામારીમાં કલેકટરે જાહેર કરેલા જાહેરનામાના છોતરા ઉડાવીને એક સાથે વારા દારી પરિવારની સાતથી વધુ મહિલા શ્રદ્ધાળુઓ ડાકોરના રણછોડરાયજી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશી..આ મહિલાઓએ રણછોડરાયજીના આરામથી દર્શન કરીને ચરણ સ્પર્શ કરવાનો નિષેધ હોવા છતા ચરણ સ્પર્શ કરીને દક્ષિણા પણ ધરી.આ સમગ્ર ઘટના આજે સવારે જ બની છે અને આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે એક પછી એક સાતથી વધુ મહિલાઓ ડાકોર મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશીને દર્શન કરતી જોવા મળી હતી.ડાકોર મંદિરની વર્ષોથી પરંપરા તોડીને આ મહિલા શ્રદ્ધાળુઓએ ઠાકોરજીના ચરણસ્પર્શ કર્યા..ત્યારે આ સમગ્ર મામલે વિવાદ થયો સીસીટીવીના ફૂટેજ વાયરલ થતા…
આ તસ્વીર જોઈ તમે પણ હેરાન થઇ જશો, પરંતુ જો તમને આ રીતે જમવાનું સર્વ કરવામાં આવ્યું તો તમને જમવાનું પણ નહિ ભાવે. અહીં પ્લેટ્સની જગ્યાએ બીજી વસ્તુમાં જમવાનું સર્વ કરવામાં આવે છે. જુઓ ફુડ સ્ટાઇલિંગની અજીબ વાયરલ ફોટોસ. કેટલીક રેસ્ટોરન્ટમાં ગેજેટ્સને અટ્રેકટ કરવા માટે મેન્યુ અને ફૂડ સ્ટાઇલિંગની રીત પર ખુબ જોર આપવામાં આવે છે. એમને ત્યાં બધું ખુબ યુનિક હોય છે અને એને જોઈ હેરાન પણ થઇ જાય છે. We Want Plates ટ્વીટર એકાઉન્ટ ફૂડ બ્લોગ છે જે ફૂડ સર્વિસ સ્ટાઇલની એવી ફોટો શેર કરે છે જેને જોઈ લોકોની ભૂખ પણ વધી શકે છે અને ઘટી પણ જશે.…
કોરોના સાથેના આ યુદ્ધ દરમિયાન અસંખ્ય ડોક્ટરો સંક્રમિત થયા અને જીવ પણ ગુમાવ્યા તેવા કિસ્સાઓ બન્યા છે. તેવામાં હાલમાં જ એક અભ્યાસમાં ખુલાસો થયો છે કે, સામાન્ય માણસોની સરખામણીએ હેલ્થ વર્કર્સને કોરોના મહામારી દરમિયાન સંક્રમિત થવાનો ખતરો 3 ગણો વધારે છે. લગભગ દર પાંચમાંથી એક હેલ્થ વર્કર કોઇ પણ લક્ષણો વગર અજાણ હોય છે કે તે કોવિડ-19 સંક્રમિત છે. આ દરમિયાન સંક્રમણ ફેલાવવાનું જોખમ પણ તેટલું જ વધી જાય છે. ઇઆરજે ઓપન રિસર્ચ (ERJ Open Research)માં પ્રકાશિત થયેલ એક અભ્યાસ અનુસાર, મે અને સપ્ટેમ્બર, 2020ની વચ્ચે કુલ 2063 હેલ્થકેર સ્ટાફનું કોરોના વાયરસ સામે લડવા માટે એન્ટિબોડીઝ (Antibodies) અંગે પરીક્ષણ કરાયું…
વિચિત્ર સપનાના (weird dreams) કારણે આપણું મગજ (Mind Fitness) ફિટ રહે છે. આ સાથે જ સ્વપ્નો માનવીઓને વાસ્તવિકતામાં જીવવા વધુ સારી રીતે મદદ કરે છે, તેવા ચોંકાવનારા તારણો તાજેતરમાં થયેલા અભ્યાસમાં સામે આવ્યા હતા. સ્વપ્નની આસપાસના રહસ્યો વિજ્ઞાનિકોને (Scientist) મૂંઝવે છે. માનવી શા માટે સ્વપ્ન જુએ છે? તેના જુદા જુદા કારણો કેટલીક થિયરી અને અધ્યયન સૂચવે છે. સિગ્મંડ ફ્રોઈડના (Sigmund Freud) સિદ્ધાંતમાં સપનાને આપણી ભૂતકાળની યાદોનું અભિવ્યક્તિ ગણાવ્યા છે. લોકોની દબાયેલી ઇચ્છાઓના કારણે તેનો જન્મ થતો હોય છે, તેવુ આ સિદ્ધાંત પરથી ફલિત થાય છે. સ્વપ્નને ડીકોડિંગ કરતા પણ ઘણા અભ્યાસો થયા છે. આ અભ્યાસ મુજબ સપના આપણને વાસ્તવિકતા માટે…
અમેરિકન એરલાઈનમાં સફર કરી રહેલી વાલ્કા સુઝુલી નામની 26 વર્ષીય યુવતીએ ચાર્જિંગ ઈશ્યુને કારણે એવો તાંડવ કર્યો કે પાયલટે પ્લેન લેન્ડ કરવાની ફરજ પડી. ટોક્યોથી ડલાસ જતી ફ્લાઈટમાં સવાર વાલ્કા તેની સીટ પાસેના ચાર્જિંગ પોઈન્ટ કામ ન કરી રહ્યું હોવાથી અકળાઈ હતી તેને અનેક વખત એર હોસ્ટેસને તેનો મોબાઈલ ફોન ચાર્જ કરવા માટે સુવિધા કરવા કહ્યું પરંતુ તેની સમસ્યાનું સમાધાન ન મળતાં તે ક્રુ મેમ્બર પર લાલગુમ થઈ. વાલ્કા ચાર્જર માટે એટલી બેબાકળી થઈ ગઈ કે તેણે રનિંગ ફ્લાઈટમાં તાંડવ કરવાનો શરૂ કર્યો. તે દોડીને કોકપિટ પાસે જઈ ધમપછાડા કરવા લાગી અને પાયલટને ચાર્જર માટે મદદ કરવા કહેવા લાગી. ક્રુ…
ઘાતક કોરોના મહામારીના આ સમયમાં જ્યારે ઘરની બહાર નીકળવાનું અને હોસ્પિટલોના ધક્કા ખાવાના એક મોટો પડકાર ગણવામાં આવે છે. અને સંક્રમણનો પણ ખતરો રહે છે. જ્યારે આ સંકટ વચ્ચે જો તમે આઈવીએફ દ્વારા પ્રેગન્સીની યોજના બનાવો છો તો પરિસ્થિત વધુ મુશ્કેલ થઈ જાય છે ત્યારે ઘણા લોકોએ કોરોના કાળમાં ઈન્ફર્લિટી અથવા આઈવીએફ સારવાર લેવાની યોજનાને થોડાક સમય માટે ટાળી દીધું છે અને તે સ્થિતિને સામાન્ય થવાની રાહ જોવામાં આવે છે.કોવિડનું સંકટ સમગ્ર માનવજાતિ માટે નવું છે. અને તેમાં માં અને તેના ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર અસરને લઈને કોઈ પ્રાથમિક પુરાવો પણ હાલ ઉપલબ્ઘ નથી. આ વચ્ચે એક અમેરીકી રિસર્ચમાં…
પાછલા વર્ષમાં, પુન COVID દર્દીઓએ શોધી કાઢ્યું છે કે કોરોનાવાયરસને કારણે તેમના શરીરના વિવિધ અંગોને અસર થઈ છે અથવા નુકસાન થયું છે. ફેફસાના નુકસાનમાં સૌથી સામાન્ય છે, પરંતુ યકૃત, હૃદય અને કિડની જેવા અન્ય અવયવો પણ મજબૂત COVID-19 ચેપ પછીની અસરોથી રોગપ્રતિકારક શક્તિ નથી રહી .હકીકતમાં, તાજેતરના અધ્યયનો દર્શાવે છે કે COVID-19 વાયરસ પણ પુરુષોમાં ફૂલેલા ફેફસાની તકલીફનું કારણ બને છે અને તેમની પ્રજનન શક્તિને અસર કરે છે. એક જર્નલમાં માર્ચ 2021 માં પ્રકાશિત ‘માસ્ક અપ તેને ચાલુ રાખવા માટે’ નામના એક ખૂબ જ યોગ્ય શીર્ષકવાળા સંશોધન પેપરમાં, એવી દરખાસ્ત કરવામાં આવી હતી કે ઇરેક્ટાઇલ ડિસફંક્શન અને કોવિડ -19 વચ્ચેનો…
મ્યાનમારના મંદિરમાં સાપની હાજરીને પેગોડાની “શક્તિનો સંકેત” માનવામાં આવે છે. સ્થાનિક લોકો તેને સાંપોનું મંદિર કહે છે.મ્યાનમારના યાંગોન શહેરમાં તળાવની મધ્યમાં આવેલા આ મંદિરને અજગરોએ પ્રખ્યાત બનાવ્યું છે. મંદિરના ફ્લોર પરથી લઈને બારીઓ ઉપર અજગર લટકતા દેખાય છે. સ્થાનિકોએ તેને “સાપ વાળું મંદિર” કહેવાનું શરૂ કર્યું છે. મંદિરનું નામ બુંગદોગ્યોક પેગોડા છે. મંદિરમાં રહેતી સાનદાર થેરી કહે છે, “લોકો માને છે કે તેમની માનતાઓ અહીં પૂર્ણ થાય છે.” થેરી અનુસાર, “નિયમ પણ છે કે ભક્તો ફક્ત એકજ માનતા માંગી શકે છે, એક કરતા વધારે ઇચ્છા વ્યક્ત કરવી તે સારું નથી.” અહીંની પ્રચલિત વાર્તાઓ અનુસાર, એકવાર ગૌતમ બુદ્ધ એક ઝાડ નીચે…
આ વખતે સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ, સોમ્ય અને શિવયોગમા બુધવારે વૈશાખ પૂર્ણિમા પર્વ ઊજવવામાં આવી રહ્યો છે. આ દિવસને પીપળા અને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આજે પૂર્ણિમા તિથિ સાંજે 04:40 સુધી રહેશે. પુરાણો અને જ્યોતિષ ગ્રંથો પ્રમાણે વૈશાખ પૂર્ણિમાના દિવસે પીપળાનું ઝાડ વાવવાથી અનેક પ્રકારના દોષ દૂર થાય છે અને અનેક યજ્ઞ કરવા જેટલું પુણ્ય મળી શકે છે. દર વર્ષે આ દિવસે લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન અને માંગલિક કાર્યો કરવામાં આવે છે, પરંતુ આ બીજુ વર્ષ છે જ્યારે કોરોના મહામારીના કારણે આ બધા શુભ કાર્યો ઉપર પ્રતિબંધ છે. એટલે આ દિવસે સનાતન ધર્મને માનતા લોકો ભગવાન વિષ્ણુની પૂજા કરશે. ઘરના…