ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડવાને લઇને બુકીઓ હવે હાઇટેક બન્યા છે. વિશ્વમાં કોઇપણ ખૂણે રમાઇ રહેલી મેચ માત્ર એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેના પર સટ્ટો રમાડતી એપ હાલ બુકીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આવા જ ગુરુકુળના વિશાલ નામના બુકીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ સટ્ટાના રેકેટમાં જોડાયેલા લોકોને પકડવા ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે. વિશાલ ઉર્ફે ભૂરો વસ્ત્રાપુર પાસે આવેલા એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હતો. એ સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં ત્રાટકી હતી અને બુકીને ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ કરતા તે મોબાઈલ એપ્લિકેશન મારફતે…
કવિ: satyadaydesknews
તેલંગણાના શ્રીસેલમ ખાતે આવેલા ટીએસ જેંકો પાવર પ્લાન્ટમાં ગુરુવારે રાતે આગ લાગી હતી. હાલ આ આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાઈ રહ્યું છે. 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી 6 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પ્લાન્ટની અંદર પણ હાલ 9 લોકો ફસાયેલા હોવાની શકયતા છે. મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે કહ્યું છે કે આ ઘટનાનું હું સતત અપડેટ લઈ રહ્યો છું. મંત્રી જગદીશ્વર રેડ્ડી અને ટ્રાંસકો-જેંકો કંપનીના સીએમડી ડી પ્રભાકર રાવ સાથે વાત કરી છે. તેઓ બંને હાલ ઘટના સ્થળે છે. આગ લાગ્યા બાદ પ્લાન્ટમાં ખૂબ ધુમાડો ભરાઈ ગયો છે. તેના કારણે બચાવ અભિયાનમાં મુશ્કેલી આવી રહી…
કેન્દ્ર સરકારે કોરોના મહામારીમાં નોકરી ગુમાવનારા કામદારોને ત્રણ મહિના સુધી તેમના પગારના 50% બેકારી ભથ્થું આપશે. આ લાભ એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ હેઠળ આવતા લોકોને મળશે. કોરોના કાળમાં ઈએસઆઈમાં રજિસ્ટર્ડ 80 લાખ લોકોએ નોકરી ગુમાવી છે. આ વર્ષે 24 માર્ચથી 31 ડિસેમ્બર વચ્ચે ગઈ છે અથવા જવાની છે, તેમને આ યોજનામાં આવરી લેવાશે. એટલે કે આશરે 41 લાખ લોકોને આ નિર્ણયથી ફાયદો થશે. આ યોજના માટે રૂ. 6,700 કરોડનો ખર્ચ થશે. આ પ્રસ્તાવને કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારની આગેવાની ધરાવતા ઈએસઆઈ બોર્ડે પણ મંજૂરી આપી દીધી છે. ઈએસઆઈ બોર્ડના સભ્ય અમરજીત કૌરે કહ્યું કે, નક્કી સમયમર્યાદામાં નોકરી ગુમાવનારા કામદારોને તેમના છેલ્લા પગારના…
પાકિસ્તાનના રેલ મંત્રી શેખ રાશીદે ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે, પાકિસ્તાન ભારત પર હુમલો કરવા માટે નાના-નાના એટમ બોમ્બ બનાવી રહ્યું છે. તેની મદદથી તેઓ આસામ સુધી ટાર્ગેટ કરી શકે છે. આ બોમ્બ સીધો હુમલો કરી શકે છે અને તેનાથી મોટા વિસ્તારોને બહુ નુકસાન પણ નહીં થાય. તેનો ઉપયોગ એવી રીતે કરવામાં આવશે કે જેથી મુસ્લિમ વિસ્તારોને નુકસાન ન થાય. રાશીદે ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા પછી પણ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે, અમે ભારત પર 100-150 ગ્રામના એટમ બોમ્બ નાખીશું. દુનિયામાં દેશોનો નવો બ્લોક…
સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ મોડી રાત્રે ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમ 5 વર્ષ બાદ ઓવરફ્લો થતાં લોકોમાં હરખ જોવા મળી રહ્યો છે. ડેમ ઓવરફ્લો થતાં 10 દરવાજા ખોલવામાં આવ્યાં છે. જેથી નીચાણવાળા વિસ્તારો સહિત 17 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. ડેમ છલકાતાં ખેતીમાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેવાના કારણે વિપુલ પ્રમાણમાં ખેત ઉત્પાદન થશે અને પાણીનો પ્રશ્ન હલ થયો છે. શેત્રુંજી ડેમ મોડી રાતે છલકાતાં પ્રથમ 8 દરવાજા અને ત્યાર બાદ વધુ 12 દરવાજા ખોલવામાં આવ્યા હતાં. શેત્રુંજી ડેમના 20 દરવાજા ખોલાતા 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં હતાં. ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા,…
દિલીપ કુમારના નાના ભાઈ અસલમ ખાનનું અવસાન 21 ઓગસ્ટ, શુક્રવારના રોજ થયું હતું. તેમનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને પછી તેમને લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. અહીંયા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દિલીપ કુમારના બીજા ભાઈ અહેસાન ખાનનો પણ કોરોનાને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેઓ હાલમાં હોસ્પિટલમાં છે અને તેમની તબિયત ગંભીર છે. તેઓ હાલમાં વેન્ટિલેટર પર છે. લીલાવતી હોસ્પિટલના ડૉક્ટર જલીલ પાર્કરે અસલમ ખાનના અવસાનની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે મહાન અભિનેતા દિલીપ કુમારના નાના ભાઈ અસલમ ખાનને શુગર, બ્લડપ્રેશર તથા હાર્ટ સંબંધિત બીમારીઓની સાથે કોવિડ 19નો ચેપ લાગ્યો હતો. તેમનું વહેલી સવારે નિધન થયું હતું.…
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને છેલ્લા એકાદ અઠવાડિયાથી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં સવારના સમયે જાણે કે સમી સાંજ ન પડી ગઇ હોય તેવું વાતાવરણ જોવા મળ્યુ છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને કડાકા ભડાકા સાથે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેમજ અમદાવાદમાં વાહનચાલકોને પાણી ભરાયા હોવાથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી શહેરના ગોતા, રાણીપ, સાબરમતી, ન્યૂ રાણીપ, સુભાષ બ્રિજ, મોટેરા, ચાંદખેડા, વસ્ત્રાપુર, સેટેલાઈટ, નરોડા, સરદારનગર, એરપોર્ટ, કૃષ્ણનગર, નિકોલ સહિતના અનેક વિસ્તારોમાં…
સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ કરવા મુંબઈ પહોંચેલી CBIએ તેનું કામ શરૂ કરી દીધું છે. CBIએ એક વ્યક્તિની પુછપરછ માટે ધરપકડ કરી છે. CBIની ટીમ જે ગેસ્ટ હાઉસમાં રોકાઈ છે, ત્યાં પુછપરછ કરવામાં આવી રહી છે. EDની તરફથી કરવામાં આવી રહેલી મની લોન્ડરિંગની તપાસને પણ CBI ધ્યાનમાં રાખશે. CBIની ટીમને 3-3 ભાગમાં વહેંચી દેવાઈ છે. તમામ દસ્તાવેજ જેવા કે, કેસ ડાયરી, ક્રાઈમ સીનના ફોટોગ્રાફ, ઓટોપ્સી રિપોર્ટ, મુંબઈ પોલીસનો ફોરન્સિક રિપોર્ટ, પોસ્ટમાર્ટમ રિપોર્ટ અને સાક્ષીઓના નિવેદનોની કોપી ભેગા કરવાની જવાબદારી લેશે. રિયા ચક્રવર્તી અને તેના પરિવાર સાથે જોડાયેલા લોકો, સુશાંતના પૂર્વ મેનેજર, તેમના ઘરે કામ કરનારા લોકોની પૂછપરછ કરશે. સુશાંતના મૃત્યુના…
દેશમાં પહેલી વાર અવાજ પરથી કોરોનાની હાજરી પારખવાના ટેસ્ટ શરૂ થઈ રહ્યા છે. બૃહદમુંબઈ મહાનગરપાલિકા પાઈલટ પ્રોજેક્ટ તરીકે એક હજાર લોકોના આ રીતે ટેસ્ટ કરવા જઈ રહી છે. મોબાઈલ એપ્લિકેશન આધારિત આ તપાસમાં લોકોનાં કોરોનાનાં લક્ષણોની તપાસ કરવામાં આવશે. આ પરીક્ષણમાં અડધા કોરોના પોઝિટિવ દર્દીઓ હશે અને અડધા સંભવિત લોકો. BMCના એડિશનલ કમિશનર સુરેશ કકાણીએ જણાવ્યા અનુસાર ઈઝરાયેલ અને અમેરિકામાં આ ટેક્નિકથી કોરોનાના ટેસ્ટ શરૂ થઈ ચૂક્યા છે. આ મહિને શરૂ થઈ રહેલો પાઈલટ પ્રોજેક્ટ સફળ થશે તો તેને વ્યાપક પ્રમાણમાં અમલમાં લાવવામાં આવશે. અમેરિકાની વોકલિસ હેલ્થ નામની કંપની આ ટેસ્ટ કરી રહી છે. ભારતમાં કામ કરી રહેલી આ કંપની…
લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ પર ચીન સાથે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય એજન્સીઓ પીપલ્સ લિબરેશન આર્મીના એરફોર્સના 7 એરબેઝ પર નજર રાખી રહી છે. LACની બીજી તરફ લદ્દાખથી અરુણાચલ પ્રદેશ સુધી સ્થિત ચીનના એરબેઝ છેલ્લા અમુક દિવસોમાં એક્ટિવ રહ્યા છે. આપને જણાવી દઈએ કે, આ એરબેઝ પર ચીને પાક્કા શેલ્ટર બનાવ્યા છે. અહીં રનવેની લંબાઇ પણ વધારવામા આવી છે. તે સિવાય વધારાનો મેનપાવર પણ તૈનાત કરવામા આવ્યો છે જેથી ઓપરેશનને અંજામ આપી શકાય. ચીનના 7 એરબેઝ હોતાન, ગારગુંસા, કાશધાર, હોપિંગ, ધોનકા જોન્ગ, લિંઝી અને પેનગૈટ પર ભારતીય એજન્સીઓએ નજર રાખી છે. નોર્થઇસ્ટના લિંઝી એરબેઝ પર એક હેલિકોપ્ટર બેઝ છે.…