કવિ: satyadaydesknews

કોરોના વાઈરસને લઈ દિવસેને દિવસે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. એક ચોંકાવનારો ખુલાસો અમેરિકાના સંશોધકોએ કર્યો છે. અત્યાર સુધી એમ માનવામાં આવતું હતું કે કોરોના વાઈરસ માત્ર ઉધરસ, છીંક કે બોલતી વખતે નીકળતાં ડ્રોપલેટ્સથી જ ફેલાય છે, પરંતુ હવે તમારે વધારે સજાગ બનવાની જરૂર છે. અમેરિકાના સંશોધકોનો દાવો છે કે તે હવામાં રહેલા ધૂળના કણો, ફાઈબર અને અન્ય સુક્ષ્મ કણોથી પણ શરીરમાં પ્રવેશ કરી શકે છે.આ ચોંકાવનારો ખુલાસો અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ કર્યો છે. રિસર્ચના લીડર વિલિયમ રિસ્ટેનપાર્ટનું કહેવું છે કે, આ ખુલાસો વાયરોલોજિસ્ટ અને મહામારી નિષ્ણાતો માટે ચોંકાવનારો છે. કારણ કે, અત્યાર સુધી ડ્રોપલેટ્સથી જ વાઈરસ શરીરમાં પ્રવેશે છે…

Read More

કોરોના વાઈરસનો કહેર યથાવત છે ત્યારે અમદાવાદના દરેક પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓના 3 દિવસથી 7500 કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. જેમાંથી અત્યાર સુધી કરેલા ટેસ્ટમાંથી 51 પોલીસકર્મીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં પોલીસકર્મીઓના કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે.જેમાંથી 51 પોલીસકર્મીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ તો કેટલાકને ક્વોરન્ટીન પણ કરવામાં આવ્યા છે. હજુ પણ આગામી 2-3 દિવસ સુધી આ પ્રકારે પોલીસકર્મીઓના ટેસ્ટ કરવામાં આવશે. જેનાથી ખબર પડશે કે અમદાવાદમાં ફરજ બજાવતા કેટલા પોલીસકર્મીઓને પોઝિટિવ છે. શહેરમાં ફરજ બજાવતા 361 પોલીસ કર્મચારી અને અધિકારીઓ અગાઉ કોરોના પોઝિટિવ થઈ ચૂક્યા છે. તે પૈકી…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓનલાઈન કાર્યક્રમમાં દેશના સૌથી સ્વચ્છ શહેરોના નામ જાહેર કર્યા છે. સ્વચ્છતા સર્વેક્ષણ-2020 લીગના ત્રણેય ક્વાર્ટરમાં ઈન્દોર પહેલા નંબર પર આવ્યું છે. આ પહેલા જાન્યુઆરીમાં પહેલા ક્વાર્ટરની અને આજે બીજા અને ત્રીજા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરી છે. આમ ત્રણ ક્વાર્ટરના પરિણામ જાહેર થયા છે. જેમાં સમગ્ર દેશમાં સુરત બીજા સ્થાને જ્યારે અમદાવાદ 5માં, રાજકોટ છઠ્ઠા અને વડોદરા 10 ક્રમે રહ્યું છે. જ્યારે વર્ષ 2019માં અમદાવાદ 6ઠ્ઠા ક્રમે અમદાવાદ, રાજકોટ 9માં નંબર પર, સુરત 14માં નંબરે અને વડોદરા 79 ક્રમે રહ્યું હતું. આમ અમદાવાદ એક રેન્કની, સુરતે 12 રેન્કની, રાજકોટે 3 રેન્કની જ્યારે વડોદરા 69 રેન્કની સૌથી મોટી…

Read More

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે બનાવાયેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક ગુરુવારે દિલ્હીમાં યોજાઈ હતી. ટ્રસ્ટે કહ્યું કે, મંદિર નિર્માણ શરૂ થઈ ગયું છે. 36-40 મહિના એટલે કે લગભગ સાડા ત્રણ વર્ષમાં કામ પુરુ થાય તેવી આશા છે. એન્જિનીયર્સ મંદિરની સાઈટ પર માટીની તપાસ કરી રહ્યા છે. કન્સ્ટ્રક્શનમાં લોખંડનો ઉપયોગ નહીં કરવામાં આવે. ટ્રસ્ટનું કહેવું છે કે મંદિર નિર્માણમાં દેશના પ્રાચીન અને પરંપરાગત ટેકનીકનો ઉપયોગ કરાશે. જેથી ભૂકંપ, તોફાન અને બીજી આપદાઓથી કોઈ નુકસાન નહીં થાય. કન્સ્ટ્રક્શનમાં લાગતા પથ્થરોને જોડવા માટે તાંબાના પતરાંઓનો ઉપયોગ કરાશે. જેના માટે 18 ઈંચ લાંબા, 3 મિલીમીટર ઊંડી અને 30 મિલીમીટર પહોંળાઈના 10 હજાર…

Read More

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહેન્દ્રસિંહ ધોનીને એક પત્ર લખ્યો છે. મોદીએ લખ્યું છે કે તમે તમારી વિશેષ શૈલીમાં શેર કરેલો વીડિયો આખા દેશ માટે ચર્ચાનો વિષય બની ગયો છે. ધોની માટે મોદીએ કહ્યું કે,મુશ્કેલ પરિસ્થિતિઓથી ટીમને બહાર કાઢવી એ તમારી ખૂબી રહી છે. મેચ પૂરી કરવાની તમારી શૈલી પણ અદભૂત રહી છે. 2011ના વર્લ્ડ કપની ફાઇનલ લોકોને હંમેશા યાદ રહેશે.પરંતુ મહેન્દ્રસિંહ ધોનીનું નામ માત્ર કરિયર સ્ટેટેસ્ટિક્સ કે કોઈ મેચ વિનિંગ ઇનિંગ્સ માટે જ યાદ રાખવામાં નહિ આવે. તમને માત્ર એક ખેલાડી તરીકે જોવા અન્યાય સમાન ગણાશે. તમારી રમત અને લોકો પર પ્રભાવ રહ્યો છે. ધોનીએ PMનો આભાર વ્યક્ત કરતા ટ્વીટ કર્યું…

Read More

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ સુશાંત સિંહના મૃત્યુ સાથે જોડાયેલ મની લોન્ડરિંગ કેસમાં ફિલ્મ ડિરેક્ટર રૂમી જાફરી સાથે પૂછપરછ કરી રહી છે. તેઓ ગુરુવારે સવારે 11:30 વાગ્યે મુંબઈની ED ઓફિસ પહોંચ્યા. ED પહેલાં મુંબઈ પોલીસે પણ રૂમી જાફરી સાથે સવાલ જવાબ કર્યા હતા. પોલીસને આપેલ સ્ટેટમેન્ટમાં રૂમીએ કહ્યું હતું કે, સુશાંત સાથે તેઓ એક ફિલ્મ બનાવવાના હતા. આ માટે તેણે સુશાંતને 15 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. લોકડાઉન પછી ફિલ્મનું કામ શરૂ થવાનું હતું. અગાઉ રૂમીએ એક ટીવી ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મૃત્યુના બે દિવસ પહેલા એટલે કે 12 જૂને તેની સુશાંત સાથે વાતચીત થઇ હતી. ત્યારે સુશાંતે તેમને ડિપ્રેશનમાં હોવાની વાત કરી…

Read More

કોવિડ -19 રોગચાળાને લીધે લગભગ 5 મહિના સુધી મર્યાદિત કામગીરી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે હવે અદાલત ખંડમાં સામાન્ય સુનાવણી એક અઠવાડિયામાં કરવાનો નિર્ણય લીધો છે. આ કાર્ય ખૂબ મર્યાદિત રીતે કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના વહીવટ દ્વારા બાર સંસ્થા સુપ્રીમ કોર્ટના એડવોકેટ ઓન રેકોર્ડ એસોસિએશનને જાણ કરવામાં આવી છે. નિયમિત સુનાવણી માટે આ સમયમાં ત્રણ મોટા કોર્ટ રૂમ બનાવવામાં આવશે. તબીબી પરામર્શને ધ્યાનમાં રાખીને, નિયત અંતર અને અન્ય પરિમાણોની કાળજી લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારે મોકલેલી લેખિત નોટિસના આધારે, એવું સૂચન કરવામાં આવ્યું છે કે પ્રાયોગિક ધોરણે સામાન્ય સુનાવણી માટે ફક્ત મર્યાદિત કેસની સૂચિ બનાવવામાં આવશે. આ માટે, પૂર્વ પરવાનગી અને…

Read More

સ્વચ્છતા સર્વેક્ષણ 2020નું પરિણામ જાહેર થયુ છે. જેમાં સુરતે દેશભરમાં બીજો ક્રમ મેળવ્યો છે. છેલ્લા બે વર્ષથી 14માં ક્રમે ફેંકાતા સુરત શહેરના રેન્કીંગ સારું એવું સુધર્યું છે. શહેરનો બીજો ક્રમ આવતાં મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ શહેરીજનો અને સફાઈકર્મીઓ સહિત તમામ લોકોને અભિનંદન પાઠવ્યાં છે. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2020ના પરિણામમાં ઈન્દૌર ફરી પ્રથમ ક્રમે રહ્યું છે. કુલ 6000 માર્કસમાંથી ઈન્દૌરને 5647.56 માર્કસ મળ્યા છે. જ્યારે સુરત 5519.59 માર્કસ સાથે દેશભરમાં બીજા ક્રમે રહ્યું છે.સુરતને આ માર્કસમાં સર્ટિફિકેશન, સર્વિસ લેવલ પ્રોગ્રેસ, ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન, સિટીઝન ફિડબેકના આધારે આપવામાં આવ્યાં છે. સ્વચછતા સર્વેક્ષણ 2020 અંતર્ગત જાન્યુઆરી…

Read More

નરોડા વિસ્તારમાં લિવ ઇન રિલેશનશિપમાં યુવક અને તેના માતા-પિતા સાથે રહેતી યુવતીએ સેનેટાઇઝર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકના માતા-પિતાએ તું રખડવા જાય છે અને ચારિત્ર્ય વિશે બેફામ ગાળાગાળી કરી હતી. આ મામલે યુવતીએ યુવકના માતા-પિતા સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શહેરના નરોડા વિસ્તારમાં રહેતી અને સ્ટાફ નર્સ તરીકે નોકરી કરતી 24 વર્ષની યુવતીને તેનાથી ચાર વર્ષ નાના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. બંનેને લગ્ન કરવા હતા, પરંતુ લગ્ન માટે યુવકની ઉંમર 21 વર્ષ ન હોવાથી બંને એ મૈત્રીકરાર કરી જોડે રહેવાનું નક્કી કર્યું હતું. મૈત્રીકરાર કરી યુવતી યુવકના ઘરે તેના માતા-પિતા સાથે રહેતી હતી.બુધવારે વહેલી સવારે…

Read More

અમેરિકાના કેલિફોર્નિયા પ્રાંતમાં નાપા કાઉન્ટીનાં જંગલોની આગ 1.2 લાખ એકરમાં ફેલાઇ ગઇ છે. તેનાથી પાસો રોબલ્સમાં તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચી ગયો છે. 1970માં અહીં તાપમાન 43 ડિગ્રી થઇ ગયું હતું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે 4.2 કરોડ લોકો માટે કાળઝાળ ગરમીનું એલર્ટ જારી કર્યું છે. 30થી વધુ સ્થળોએ આગથી 20 હજાર ઘરો-મકાનોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. અંદાજે 15 લાખ લોકો અંધારામાં રહે છે. કેલિફોર્નિયા ફાયર વિભાગના જણાવ્યાનુસાર આ વર્ષે કેલિફોર્નિયાનાં જંગલોમાં આગના 5,672 બનાવ બન્યા છે, જેમાં 2.04 લાખ એકર જંગલ નષ્ટ થઇ ચૂક્યું છે. 78 મોટાં મકાનો-ઘરોને નુકસાન થયું છે.ગત વર્ષે કેલિફોર્નિયામાં 85 વર્ષની સૌથી ભીષણ આગ લાગી હતી, જેમાં 31…

Read More