મુંબઇઃ બેન્કો લોન આપતી વખતે ગેરંટરની માંગણી કરે છે. જો તમે કોઇના લોન ગેરંટર બનવા જઇ રહ્યા હોવ તો સાવધાની રાખજો કારણ કે કોઇની મદદ કરતા કરતા તમે મોટી મુશ્કેલીમાં મુકાઇ શકો છો. ગેરંટર એટલે એવી વ્યક્તિ જે લોન લેનાર વ્યક્તિની ગેરંટી લે છે અને જો તે લોનની ચૂકવણી નહીં કરે તો પોતે તે રૂપિયા ચૂકવશે તેવ બેન્કને ખાતરી આપે છે. હાલ ઘણા લોકો લોન લઇ તો લે છે પણ ત્યારબાદ પરત ચૂકવણીમાં આનાકાની કરે છે. આવી પરિસ્થિતિમાં લોનની ગેરંટી આપનાર ગેરંટર વિરુદ્ધ બેન્કો કાર્યવાહી કરતા અચકાતી નથી. આથી તમને કોઈ વ્યક્તિ લોન ગેરેન્ટર બનવા માટે કહે છે, તો તમારે…
કવિ: Satya Day
નવી દિલ્હીઃ ગુજરાતના ભાલીયા ઘઉં સમગ્ર ભારતભરમાં પ્રખ્યાત છે અને હવે તેની ખ્યાતી વિદેશમાં પણ પહોંચી ગઇ છે. જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) સર્ટિફાઇડ ગુજરાતના ભાલીયા ઘઉંની પહેલીવાર કેન્યા અને શ્રીલંકામાં નિકાસ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતના ભાલીયા ઘઉંની ખેતી સિંચાઇની વિશેષ સુવિધા વગર વરસાદ આધારિત પાણીથી થાય છે. તાજેતરમાં ભાલીયા ઘઉંના પહેલા કન્સાઇમેન્ટની ઉપરોક્ત બે દેશોમાં નિકાસ કરવામાં આવી છે તેવી માહિતી કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયે આપી હતી. વાણિજ્ય મંત્રાલયે કહ્યું કે, જીઆઈ- સર્ટીફાઈડ ઘઉંમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે અને સ્વાદમાં મીઠા હોય છે અને પાક મોટાભાગે ગુજરાતના ભાલ ક્ષેત્રમાં થાય છે જેમાં અમદાવાદ, આણંદ, ખેડા, ભાવનગર, સુરેન્દ્રનગર, ભરૂચ…
અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આજે 10 જુલાઇ, 2021ના રોજ 53 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 8,24,200 લાખ થઇ ગઇ છે. આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 25 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 8,12,976 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 98.64 ટકાના સ્તરે પહોંચ્યો છે. ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેરમાં સતત બીજા દિવસે વાયરસના સંક્રમણથી એક દર્દીનું મોત થયુ છે. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 10073 પહોંચી ગયો…
મુંબઇઃ કોરોના સંકટકાળમાં કાચા માલના ભાવ વધતા કંપનીઓ દ્વારા બાઇક-સ્ક્રૂટર્સ અને કારની કિંમતો વધારવામાં આવી છે. આજે અમે તમને તે તમામ બાઇક ને સ્કૂટર્સ વિશે જણાવીશુ જેમની કિંમત હાલ વધી ગઇ છે. આ ટુ-વ્હિલર્સમાં સુઝુકી જિક્સર સીરીઝ, હોન્ડા એક્ટિવા 6જી, સુઝુકી બર્ગમૈન સ્ટ્રીટ, કેટીએમ સીરીઝ, Husqvarna, Honda SP 125 (હોન્ડા એસપી 125) અને હોન્ડા સાઇન શામેલ છે. આજે અમે તમને આ તમામ બાઇક ને સ્કૂટરોની નવી અને જૂની કિંમતો અંગે જણાવીશું… Suzuki Gixxer સીરીઝ મોડલ નવી કિંમત જૂની કિંમત ભાવમાં વધારો Suzuki Gixxer 155 1,18,800 1,16,800 2,000 Suzuki Gixxer SF 155 1,29,300 1,27,300 2,000 Suzuki Gixxer 250 1,71,200 1,67,700 3,500…
જો તમે લોન ઉપર કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી માટે એક બેસ્ટ ઓફર શરૂ થઇ છે જેમા તમને સ્માર્ટ ફાઇનાન્સની સુવિધા મળશે. મારુતિ સુઝુકી કંપનીએ કાર ખરીદવા માટે સ્માર્ટ ફાઇનાન્સ સુવિધા શરૂ કરી છે. મારુતુ સુઝુકી સ્માર્ટ ફાઇનાન્સ હવે અરેના અને નેક્સા બંનેના જ ગ્રાહકોની માટે ઉપલબ્ધ છે. આ સુવિધા સમગ્ર દેશમાં ઉપલબ્ધ થશે. મારુતુ સુઝુકીની આ સુવિધા હેઠળ ગ્રાહકોને કાર ફાઇનાન્સમાં મદદ મળશે અને સે જ રિયલ ટાઇમ લોન સ્ટેટસ ટ્રેકિંગનો વિકલ્પ પણ મળે છે. તેની શરૂઆત તો આમ તો ડિસેમ્બર 2020માં થઇ ગઇ હતી, પરંતુ ત્યારે તેને માત્ર કેટલાક શહેરોમાંજ લોન્ચ કરાઇ હતી. આ સુવિધા કાર…
ભારતમાં કોરોના વાયરસનો કહેર યથાવત રહેતા દૈનિક મૃત્યુઆંક ફરી વધી રહ્યો છે. ભારતમાં 9 જુલાઇ, 2021 શુક્રવારના રોજ સમાપ્ત થયેલા 24 કલાકના અંતે કોરોના સંક્રમણ લીધે ફરી 1200થી વધારે 1206 દર્દીઓના મોત થયા છે. તો બીજી બાજુ કોરોના સંક્રમણના 42248 નવા કેસો સામે આવ્યા છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓનાી કુલ સંખ્યા વધીને હવે 30794756 પર પહોંચી ગઇ છે. તો કોરોના વાયરસના એક્ટિવ કેસોની સંખ્યા હાલ દેસમાં 449478 છે. જ્યારે અત્યાર સુધી દેશમાં કુલ 29925883 કોરોના સંક્રમિત દર્દીઓ સાજા થયા છે. તો દેશમાં કોરોના સંક્રમણથી મરનાર લોકોની કુલ સંખ્યા 407173 પહોંચી ચૂકી છે. હાલ કોરોના વાયરસના સંક્રમણથી બચવાનો એક માત્ર…
નવી દિલ્હીઃ કોરોના મહામારીના પગલે નોન કોવિડ દર્દીઓની સારવાર પર પણ બહુ ઉંડી અસર થઇ છે. આ વાયરસના ડરથી લોકો એટલા ગભરાયેલા છે કે લગભગ 90 ટકા દર્દીઓ ઓપીડીમાં સારવાર માટે ગયા નથી. અપોલો હોસ્પિટલ દ્વારા 6,77,237 દર્દીમાં કરાયેલા સર્વેમાં આ ખુલાસો થયો છે. સર્વે મુજબ ઓપીડીમાં 89.2 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે નવા અને ફોલોઅપ સારવારના કેસમાં 57.67 ટકાનો ઘટાડો આવ્યો. એટલુ જ નહીં તેના કારમે 80.75 ટકા સર્જરી થઇ નથી. સ્ટડી કરનાર ડોક્ટર રાજૂ વૈશ્ય એ કહ્યુ કે દર્દીઓ અત્યાર સુધી સારવારથી વંચિત છે, હવે તેમની સારવારમાં વિલંબ થવો જોઇએ નહીં, તેમને જલ્દીથી જલદી સારવારની જરૂર છે. કોરોના…
નવી દિલ્હીઃ પેટ્રોલ – ડીઝલના ભાવ સતત વધારી પ્રજાના પૈસા ખાલી કરીને મોદી સરકાર પોતાની તિજોરી છલકાવી રહી છે. હવે ઇંધણની કિંમતો અસહ્ય સ્તરે પહોંચી ગઇ છે જેમાં હવે વધુ વધારો મોંઘવારી વધારશે. સપ્તાહના છેલ્લા દિવસ શનિવારે પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ઇંધણની કિંમતમાં વધારો કરાયો છે. આજે શનિવારે ઓઇલ માર્કેટિગ કંપનીઓ દ્વારા પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર દીઠ 35 પૈસાનો જંગી વધારો કરાયો છે તો ડીઝલ 26 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયુ છે. આ ભાવ વૃદ્ધિ સાથે દિલ્હીમાં શનિવારે ઇન્ડિય ઓઇલ કોર્પોરેશનના પંપ પર પેટ્ર1લ 100.91 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યુ છે. તો ડીઝલ ફણ 89.88 રૂપિયા પ્રતિ લિટર પર વેચાઇ…
ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર બીજી સમાપ્ત થઇ છે અને હવે ત્રીજ લહેરની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. હાલ કોરોના પ્રતિબંધોમાં છુટછાટ મળતા લોકો ફરી લાપરવાહ બનીને ફરવા નીકળી પડયા છે. એવા સમયે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે લોકોને કોવિડ-19ના નિયમોનું કડક પાલન કરવાની વિનંતી કરી છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ કે, ભારતમાં પાછલા સપ્તાહે નોંધાયેલા કોવિડ-19ના કેસમાં અડધાથી વધારે કેસો મહારાષ્ટ્ર (21 ટકા) અને કેરળ (32 ટકા)માં નોંધાયા હતા. ભારતમાં કોરોનાના નવા કેસોમાંથી 80 ટકા 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 90 જિલ્લામાંથી સામે આવ્યા છે જે આ ક્ષેત્રોમાં વધારે ધ્યાન આપવાની આવશ્યકતા તરફ સંકેત કરી રહ્યા છે. તેમણે…
કરચોરો વિરદ્ધ ગુજરાતમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા આજે રાજ્યભરના અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને બોગસ બિલ બનાવી કરોડો રૂપિયાનું કથિત રીતે રિફંડ મેળવવામાં આવ્યુ હોવાનું કૌભાંડ બહાર આવ્યુ છે. પ્રાપ્ત માહિતી મુજબ આજે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ગુજરાતમાં અમદાવાદ ભાવનગર, ગાંધીનગર, સુરત, રાજકોટ અને પ્રાંતિજના જુદા જુદા 71 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં જીએસટી વિભાગની 80 ટીમો દ્વારા ભાવનગરના 42 સ્થળો પર, અમદાવાદના 17, ગાંધીનગરના 5, સુરતના 4, રાજકોટના 2 અને પ્રાંતિજના 1 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. જીએસટી વિભાગના દરોડામાં ભાવનગરના માધવ કોપર લિમિટેડે બોગસ બિલિંગથી આશરે 75 કરોડની વેરાશાખ મેળવી હોવાનુ સામે આવ્યું છે.…