પુલવામા હુમલા બાદ પાકિસ્તાનને પદાર્થપાઠ શીખવવા માટે દેશભરમાંથી માંગ ઉઠી રહી હતી અને તે દરમિયાનમાં ભારતીય એરફોર્સે મોટી ગિફટ આપી છે. હકીકતમાં મંગળવારે વહેલી સવારે પાકિસ્તાનની અંદર પીઓકેમા ધૂસી જઈને અનેક આતંકી છાવણીઓને ટારગેટ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં 300 કરતાં પણ વધારે આતંકી ખલાસ થઈ ગયા હતા. આને ભારતની બીજી સર્જિકલ સ્ટ્રાઈક ગણવામાં આવી રહી છે. આ પૂર્વે 2016માં ઉરી હુમલા બાદ ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી પાકિસ્તાનને જોરદાર જવાબ આપ્યો હતો. આવો જાણીએ આજના ઈન્ડીયન એરફોર્સના ઓપરેશન અંગે 21 મીનીટનું ઓપરેશન ભારતીય વાયુદળે આ ઓપરેશન માત્ર 21 મીનીટમાં પૂર્ણ કર્યું હતું. આ 21 મીનીટમાં 12 મિરાજ વિમાન ફાઈટરોએ…
કવિ: Satya Day News
27 જાન્યુઆરી 2015ની બનાસ ડેરીની બેઠક મળી તેમાં ઠરાવ નંબર 14 થી ખાસ અહેવાલ મુજબ 2015માં રૂ.58 લાખનો સેવા વેરો ઠેકેદાર વતી ડેરીએ વધુ ચૂકવેલ તે બાબતે નિયામક મંડળમાં ચર્ચા બાદ કમિટી બનાવી હતી. જેમાં માવજીભાઈ દેસાઈ, અણદાભાઈ પટેલ, પી.જે.ચૌધરી, દિલીપસિંહ બારડને નિર્ણય લેવા અને પોલીસ ફરિયાદ કરવા બાબતે સત્તા આપી હતી. જે અનુસંધાને જિલ્લા સહકારી નોંધણી અધિકારી દ્વારા ગેરરીતિ અંગે ફરિયાદ નોંધાવવા બાબતે 2017માં આદેશ કરેલો હતો. પ્રથમ ફરિયાદ 21 નવેમ્બર 2015ના રોજ રૂ. 35.14ની ઉચાપતની કરેલી હતી. પરંતુ બીજી ફરિયાદ રૂ.58.92 લાખની સેવા વેરાની ગોલમાલની દાખલ કરવા જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા આદેશ કરવામાં આવેલો હતો. પરંતુ આજદિન સુધી ડેરીની…
(દિલીપ પટેલ દ્વારા): મહાશિવરાત્રીના દિવસે એટલે કે 4 માર્ચ 2019માં પાટીદારોના સંગઠન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વિશ્વ ઉમિયાધામનું ભૂમિપૂજન છે, જેમાં નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેનો વિરોધ થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ – ચાર વર્ષથી ભાજપને કઠણાઈ બેઠી છે. ભાજપનો ગુજરાતમાં વિરોધ વધી રહ્યો છે. માંડ માંડ વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ હવે લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચડાણ છે. ભાજપના નેતા સી કે પટેલ દ્વારા આ સંસ્થાનો ગુજરાત ભરમાં રથ ફેરવવામાં આવ્યો છે. તેઓ આ કોમ્પ્લેક્ષના નિર્માણકર્તા છે. તેમની સામે પણ વિરોધ થયો હતો કે આ ધાર્મિક સંસ્થા છે અને તેમાં માત્ર ભાજપના જ નેતાઓને કેમ બોલાવો છો.…
(દિલીપ પટેલ દ્વારા): અમરેલીના સાંસદ નારણ કાછડીયા પોતાની કારમાં કાળા કાચ લગાવી અને કારની આગળ સાંસદ લખેલું બોર્ડ લગાડીને ફરતા હોવાની માહિતી RTOના અધિકારીઓને મળી હતી. આ માહિતીના આધારે RTOના અધિકારીઓ સાંસદ નારણ કાછડીયાના ઘરે ચેકિંગ કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ તે સમયે કાર ઘરે હાજર ન હતી. આ કારણે RTOના અધિકારીઓએ કારમાં લાગેલા કાળા કાચ અને નંબર પ્લેટની ઉપર લગાવવામાં આવેલું સાંસદનું બોર્ડ દૂર કરવા માટે લેખિતમાં સૂચના આપી હતી. આ ઉપરાંત આ સમગ્ર વાતની જાણ RTOના અધિકારીએ અમરેલી જિલ્લા કલેકટરને પત્ર લખીને કરી હતી. અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ જણાવ્યું હતુ કે, સાંસદની ગાડીમાં સાંસદ લખેલું બોર્ડ ન હોય…
ભાજપ સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, મહેસુલ અને ગૃહ વિભાગમાં ભ્રષાટાચાર વધું છે. તે વાત સાચી છે. આખી સરકારના વિભાગો ભ્રષ્ટ છે. જેમાં સૌથી વધું ભ્રષ્ટ કોઈ વિભાગ હોય તો તે મુખ્ય પ્રધાન પોતે સંભાળે છે અને તેમના આસિસ્ટંટ તરીકે પ્રદીપ જાડેજા છે તે ગૃહ વિભાગમાં છે. જેમાં 474 ગુના ભ્રષ્ટાચાર અંગે નોંધાયા છે. સરકારના જ આંકડા કહે છે કે, છેલ્લાં પાંચ વર્ષમાં 1203 ગુનાઓ ભ્રષ્ટાચારના પકડાયા છે. જેમાં રૂપાણીના ગૃહ વિભાગે આવા ભ્રષ્ટ અધિકારીઓની ધરપકડ કરવાની થાય છે. પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતે ગૃહ વિભાગ સંભાળતાં ગોવા છતાં 137 ભ્રષ્ટ અધિકારીઓની ધરપકડ કરવાની બાકી છે.…
(દિલીપ પટેલ દ્વારા): ગુજરાતમાં પ્રાથમિક શાળાઓની દુર્દશા સુધરવાના બદલે અત્યંત ખરાબ બની રહી છે. જ્યારથી શિક્ષણ પ્રધાન તરીકે આનંદીબેન પટેલ આવ્યા ત્યારથી તે સ્થિતી ખરાબ બનતી ચાલી હતી હવે ભુપેન્દ્રસિંહ ચૂડાસમા શિક્ષણ પ્રધાન બન્યા પછી અગાઉની સ્થિતી હતી તેના કરતા પણ ખરાબ હાલત શિક્ષણની થઈ છે. ગુજરાતની ભાજપ સરકાર શા માટે આવું કરી રહી છે. તે શિક્ષણ વિદ્દો પણ સમજી શકતાં નથી. 2014માં સમગ્ર રાજ્યમાં 8388 ઓરડાની ઘટ હતી તે 2018ના અંતમાં 16,923 થઈ ગઈ છે. આમ 8535 ઓકડાનો વધારો 4 વર્ષમાં થયો છે. જે 100 ટકાનો વધારો બતાવી રહ્યો છે. તેનો સીધો મતલબ કે દર વર્ષે 20 ટકા શાળાઓના ઓરડા…
સુરતના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે ખાડીમાં કેમિકલ ખાલી કરતા બે લોકોના મોત બાદ રાજકોટના પૂર્વ મેયર અને મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ અને લોકસભાની બેઠકના ભાજપના પ્રભારી ધનસખ ભંડેરી સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. તેમની સાથે બીજા 15 લોકો પણ છે. જેમાં 12ની ધરપકડ થઈ છે. હવે ભાજપના વિવાદાસ્પદ નેતા કંપનીના ધનસુખ ભંડેરી સહિતના ત્રણ માલિકોની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે. 9 ફેબ્રુઆરી 2019માં ગોકુલધામ પાસે ટેન્કરમાં ભરેલું ઝેરી તેજાબી કેમિકલ ખાડીમાં ખાલી કરતી વખતે ભગવાન રેવા ભરવાડ અને ભરત મેઘા સાટીયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઝેરી કેમિકલ વેસ્ટ ઝગડિયાની પ્રહરીત પ્રીગ્મેન્ટ એલ.એલ.પી. કંપનીનું હતું. એક ટન દીઠ…
ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં ઘૂસી જઈને આજે વહેલી સવારે કરેલી એર સ્ટ્રાઈકની દેશભરમા ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતમાં પણ એર સ્ટ્રાઈક કરનારા જવાનોના શૌર્યને વધાવી ઢોલ-ત્રાંસા વગાડી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી છે. સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા ટર્નિંગ પોઈન્ટના વેપારીઓએ પાકિસ્તાન પર હુમલો કરી 300 જેટલા આંતકીઓના ઢીમ ઢાળી દેવાની ઉજવણી કરવામાં છે. વેપારીઓએ ઢોલ-ત્રાંસ વગાડ્યા હતા. પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા અને ભારતીય આર્મી ઝીંદાબાદના નારા પણ ગૂંજ્યા હતા. વેપારીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી હતી. 14મી તારીખે જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40 કરતાં વધુ જવાનો શહીદ થયા હતા અને દેશભરમાંથી પાકિસ્તાન વિરુદ્વ બદલો લેવાની…
ભારતીય વાયુ સેના દ્વારા પીઓકેમાં આતંકી સંગઠન જૈશે મહોમ્મદનાં આતંકી અડ્ડાઓ પર એર સ્ટ્રાઈક કરવામાં આવી છે ત્યારે ગુજરાતના કચ્છની ઈન્ટરનેશનલ બોર્ડર પર આર્મીએ પાકિસ્તાના ડ્રોનને તોડી પાડ્યો હોવાની જાણકારી મળી રહી છે. ઈન્ડીયન એર ફોર્સે પીઓકેના બાલાકોટમાં 1000 કિલો બોમ્બનો વરસાદ વરસાવી આતંકી અડ્ડાઓને નેસ્તનાબૂદ કરી નાંખ્યા હોવાનું સરકારે જણાવ્યું છે. પાકિસ્તાની અનનેમ્ડ એરિયલ વ્હીકલ(UAV)ને મંગળવારે કચ્છની ઈન્ટરનેશનલ બોર્ડર પર તોડી પાડવામાં આવ્યું છે. ગુજરાત પોલીસના સૂત્રો જણાવી રહ્યા છ કે જૈશ મહોમ્મદના અડ્ડાઓ પર એર સ્ટ્રાઈક થયાના એક કલાકમાં કચ્છ બોર્ડર પર આર્મીએ ડ્રોનનો શિકાર કર્યો હતો. કચ્છના અબડાસા તાલુકાના નાનઘટદ ગામ પાસે UAVનો કાટમાળ તૂટીને પડ્યો હતો.…
ભારતીય વાયુદળે પીઓકેમાં એર સ્ટ્રાઈક કરી આતંકી અડ્ડાઓને તબાહ કરી દીધા છે. 14મી ફેબ્રુઆરીએ જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાનો જવાબ આપવા વાયુદળે એર સ્ટ્રાઈક કરી 300 કરતાં વધુ આતંકીઓને ઠાર કર્યા છે. વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે 14 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશે મહોમ્મદ દ્વારા પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. આ પહેલાં પઠાણકોટમાં પણ આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન આ હુમલામાં હાથ હોવાનો ઈન્કાર કરતો આવ્યો છે. આતંકી સંગઠનો અંગે પાકિસ્તાનને અનેક વાર પુરાવા આપવામાં આવ્યા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાનના રવૈયાને જોતાં ભારતને સખત કાર્યવાહી કરવા…