ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા હાલ વિવાદોમાં ઘેરાઇ ગયો છે. જોધપુરની એક નીચલી કોર્ટમાં હાર્દિક પંડ્યા વિરુદ્ધ FIR નોંધવાના આદેશ આપવામાં આવ્યા છે. આ મામલો ભારતીય બંધારણના નિર્માતા બીઆર આંબેડકર વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરવા સંબંધે છે. આ મામલે ક્રિકેટર હાર્દિક પંડ્યા વિરુદ્ધ જોધપુરની કોર્ટમાં SC-ST ઍક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટે પંડ્યા પર FIR નોંધવાનો આદેશ આપ્યો છે. પંડ્યા પર FIR નોંધાવવા માટે કોર્ટ પહોંચેલા એડવોકેટ ડી.આર. મેઘવાલે જણાવ્યું કે ક્રિકેટ ખેલાડી હાર્દિક પંડ્યાએ થોડાક મહિના પહેલા Twitter પર એક પોસ્ટ નાખીને બી.આર. આંબેડકર વિરુદ્ધ અપશબ્દો કહ્યા હતા. મેઘવાલે કહ્યું કે આ પહેલા લૂણી પોલીસ-સ્ટેશનમાં FIR…
Author: Dipal
મેષ વર્તમાન દિવસે સ્વકેન્દ્રી વલણ છોડીને બીજાનો વિચાર કરવાની ગણેશજી આ૫ને સલાહ આપે છે. આજે ઘર ૫રિવાર કે કાર્યના ક્ષેત્રે આપે સમાધાનકારી વલણ અ૫નાવવું ૫ડશે. વાણી ૫ર કાબુ નહીં હોય તો કોઇની સાથે વાદવિવાદ કે મનદુ:ખ ઉભું થવાનો યોગ છે. આજે કોઇક કારણસર સમયસર ભોજન ૫ણ ન મળે. ખર્ચ ૫ર અંકુશ રાખવાથી નાણાંનો વ્યર્થ વડફાટ અટકાવી શકશો. નાણાંના પ્રશ્ને સાવધ રહેવાનું ગણેશજી સૂચવે છે. વૃષભ ગણેશજી કહે છે કે આ૫ આ૫ની આર્થિક જવાબદારીઓ તરફ ધ્યાન આ૫શો અને તે આયોજન ૫ણ કરી શકો. આર્થિક લાભ થવાની શક્યતા છે. તનમનના ઉત્સાહ અને વિચારોની સ્થિરતાને કારણે આ૫ના બધા કામ સારી રીતે પાર ૫ડે.…
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં હલમતપુરમાં બુધવારે સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી.. જેમાં સુરક્ષાજવાનોએ 5 આતંકીઓને ઠાર કર્યા છે. આ તમામ આતંકીઓ લશ્કર-એ-તૈયબાના છે. તો આ અથડામણમાં સેનાના ત્રણ જવાન અને બે પોલીસ જવાન પણ શહીદ થયા છે. આ પહેલા મંગળવારે કુપવાડામાં જ ચાર જવાનો ઠાર થયા હતા. આમ બે દિવસમાં 9 આતંકીઓને ઠાળી દેવાયા છે. કુપવાડામાં હલમતપુર વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની આશંકાથી સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સેનાએ કહ્યું કે મંગળવારે હલમતપુર વિસ્તારમાં અથડામણ શરૂ થઈ હતી. બુધવારે જ સરહદ પર પાકિસ્તાની સેનાએ ફરી સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાની સેનાએ જમ્મુના પૂંછ જિલ્લાની કૃષ્ણા ઘાટી વિસ્તારમાં નિયંત્રણ રેખા પર…
ગ્રામિણ વિસ્તારમાં વધી રહેલી ક્રિકેટની ઘેલછા રાષ્ટ્ર માટે વરદાનરૂપ પુરવાર થઇ રહી હોય એમ લાગી રહ્યું છે. પાલેજ નજીક અાવેલા કરજણ તાલુકાના વલણ ગામનો વતની અને છેલ્લા ત્રણ વર્ષથી ભરૂચ તાલુકાના હિંગલોટ ગામમાં મામાના ઘરે વસવાટ કરતા ૨૦ વર્ષીય સફ્વાન દાઉદ પટેલ વડોદરા ના બરોડા ક્રિકેટ એસોસિએશન ખાતે સિલેક્ટ થઈ ભારતભરમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યો છે. બરોડા ક્રિકેટ એસોસીએશન તરફથી અંડર ૧૯ ટિમમાં વિનુ માંકડ, વેસ્ટઝોન, કૂચ બિહાર ક્રિકેટ ટુર્નામેન્ટ માં ધમાકેદાર બોલિંગ કરી છવાયો હતો. યુવન અને ઉભરતા સફવાન પટેલની બોલીંગ પરફોર્મન્સ અને ક્રિકેટ પ્રત્યેની રૂચિ પારખી BCA તરફથી તેને ચેન્નાઈ ખાતે એમ.આર.એફ પેસ ફાઉન્ડેશનમાં ટ્રાયલ માટે મોકલવામાં…
ફેસબૂક યુઝર્સના ડેટા લીક સ્કેન્ડલને લઈને માર્ક ઝકરબર્ગે પોતાનું મૌન તોડ્યું છે અને ભૂલનો સ્વીકાર કર્યો છે. આ સાથે જ તેમણે યુઝર્સની પ્રાયવસીને બનાવી રાખવા માટે કેટલાક પગલા ઉઠાવવાની વાત પણ કરી છે. ફેસબૂકના સીઈઓ ઝકરબર્ગે સીધી રીતે કંપનીઓની ભૂલનો સ્વીકાર કરીને કહ્યું કે યુઝર્સના ડેટાની સુરક્ષીત કરવાની અમારી જવાબદારી છે. ઝકરબર્ગે કહ્યું કે આ વિશ્વાસ તોડવા જેવી વાત છે. સોશિયલ મીડિયા સાઈટની સાથે પોતાની માહિતી આપનારા લોકોને એવી આશા છે કે અમે તેમની સુરક્ષા રાખીશું. ઝકરબર્ગે કહ્યું, “તમારો ડેટા સુરક્ષિત રાખવાની જવાબદારી અમારી છે. જો અમે આમ ન કરી શકીએ તો અમારે તમારા માટે કામ કરવાનો કોઈ હક નથી.”…
રાજકોટમાં મનપા દ્વારા દર બુધવારે વન ડે વન રોડ ઝુંબેશ હેઠળ અલગ અલગ વિસ્તારમાં ડિમોલિશન હાથ ઘરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે બુધવારે વોર્ડ 13માં છાપરા તોડવા સવારે મનપાની ટીમ પહોચી હતી. જો કે કોંગ્રેસ વિરોધ કરવા પહોંચતા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. લોકોએ ઘર અને દુકાન બહાર વરસાદી પાણીના નિકાલ અને અટકાવવા બનાવેલા ઓટલા તોડતા સ્થાનિક કોર્પોરેટરોએ વિરોધ દર્શાવ્યો હતો અને ભાજપ હાય હાયના નારા લગાવ્યાં હતા. જો કે પોલીસે કોંગ્રેસના 6 લોકોની અટકાયત કરી હતી.કૃષ્ણનગર મેઇન રોડ પર આજે ડિમોલિશનની કામગીરી દરમિયાન વિપક્ષ કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો હતો. વોર્ડ નં 13ના મહિલા કોંગ્રેસી કોર્પોરેટર જાગૃતિ બેન ડાંગર…
મોરબીના ખાખરેચી ગામ નજીક છોટા હાથી અને બાઈક વચ્ચે અકસ્માત થયો છે.જેનો વિડિયો સોસીયલ મીડિયામાં વાઈરલ થયો છે જેમાં અકસ્માત બાદ મારમારીના દર્શ્યો જોવા મળ્યા છે અને બાઈક ચાલક ગંભીર રીતે ઘવાયો હોવાનું પણ વિડીયોમાં જોવા મળી રહ્યું છે.જો કે હજુ સુધી અકસ્માત અંગે સત્તાવાર જાહેરાત થઇ નથી https://www.youtube.com/watch?v=zGyqw4-5abc
ગીર સોમનાથ જીલ્લા ના તાલાલા તાલુકાના તેમજ વેરાવળ તાલુકા ના સિંચાઈ નીચે આવતા કમાંડ એરિયા ના ગામોને ખેડૂતોને સિંચાઈ કરવા માટે હિરણ ડેમ ૧ અને હિરણ ડેમ ૨ સિંચાઈ યોજનાઓમાંથી આ ચાલુ વર્ષે ખેડૂતોના ભાગે આવતા જથ્થાનું પિયત કરવા માટે સિંચાઈ યોજનાઓના લાગત અધિકારીઓ તેમજ ખેડૂતો પાસે થી ૨૬-૧૦ ના રોજ થયેલ નીર્ણય મુજબ અમલવારી કરવા માટે સિંચાઈ વિભાગે ખેડૂતો પાસેથી પિયત /એરીગેસન ના ફોર્મ ભરી જરૂરી ફી પણ વસુલી હોવા છતાં સરકારી તંત્ર ના પરિપત્ર મુજબ ખેતીવાડી માટે સિંચાઈ નું પાણી નહિ આપવા જણાવેલ જેથી રોસે ભરાયેલા ખેડૂતો એ જીલ્લા કલેકટર કચેરી ખાતે હજ્જારો ની સંખ્યા માં ઉપવાસ આંદોલન…
ગુજરાત સરકારે હવે ખેડૂતોનો ખુદડો બોલાવી દેવાનો નક્કી કર્યુ હોય એમ લાગી રહ્યુ છે. એક તરફ સરકાર ઉત્તર ગુજરાતમાં નર્મદા કેનાલ માંથી પોતાનો પાક બચાવવા પાણી લઇ રહેલા ખેડૂતોના મશીનો હટાવી રહી છે. તો બીજી તરફ પાણીની ખુલ્લે આમ ચોરી થઇ રહી છે. નર્મદા નીગમના અધીકારોના નાક નીચેથી રોજ લાખો લીટર પાણી ચોરીને કોન્ટ્રાક્ટરો લઇ જઇ રહ્યા છે ત્યારે ખેડુતો પાણી માટે વલખા મારી રહ્યા છે પણ સરકારની આંખ ઉઘડી નથી બાઇટ-1 પાંચ ટેન્કર ચુંટણી સમયે નર્મદાનું પાણી બેફામ ભરી વાપરી નાખ્યા પછી નર્મદા ડેમ સુકાઇ રહ્યો છે. જેના કારણે સરકારે ખેડૂતોને પાણી નહી આપવાનો નિર્ણય કર્યો છે. તો બીજી…
ભરૂચ નગર પાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ આર વી પટેલ ની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં વિવિધ ૪૧ જેટલા મુદ્દાઓ ચર્ચામાં લઇ મંજૂરી માટે મુકવામાં આવ્યા હતા.જેમાં સત્તા પક્ષ અને વિપક્ષ ના સભ્યો વચ્ચે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તો બીજી તરફ ભરૂચ નગર માં છેલ્લા કેટલાક વખતથી મચ્છરોના ઉપદ્રવના કારણે સામાન્ય જનતા હેરાન પરેશાન છે ત્યારે વિપક્ષ ના સભ્યો એ પાલિકા સભા ખંડ માં અનોખીરીતે વિરોધ પ્રદર્શન કર્યો હતો અને સભા ખંડ માં મચ્છરદાની પહેરી સભા ખંડ માં કાલા હિટ સ્પ્રે છાતી. મચ્છર મારવનું રેકેટ લઇ સભા ખંડ માં હાજરી પુરાવી શહેર માંથી અને પાલિકાના સભા ખંડ માંથી મચ્છરોનો ત્રાસ…