મોરબીના પંચાસર ગામે સોમવારે બપોરના સુમારે થયેલા ફાયરીંગમાં એકનું મોત જયારે બેને ઈજા પહોંચી હતી ત્યારે આ બનાવ મામલે ફાયરીંગ કરી હત્યાનિપજાવવાના ગુન્હામાં છ આરોપીઓ સામે તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી હતી જેમાં આજે તમામ આરોપીઓને લજાઈ નજીકથી ઝડપી લેવામાં આવ્યા છે. પંચાસર ગામે ચકચારી ફાયરીંગ અને હત્યાના બનાવમાં ઈજાગ્રસ્ત પરાક્રમસિંહએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી સહદેવસિંહ લાલુભાઝાલા અને તેનો ભાઈ હિતેન્દ્રસિંહ લાલુભા ઝાલા તેમજ કાકો ભત્રીજો રાજ મહેન્દ્રસિંહ ઝાલા અને અરવિંદ ગંભીરસિંહ ઝાલા ઉપરાંત ભાજપ અગ્રણી નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા અને તેના ભાઈ વિક્રમસિંહ નાથુભા ઝાલા (સદસ્ય તા.પં.) એ છ આરોપીઓએ રેતી ઉપાડવા બાબતે બોલાચાલી થઇ હોય જેમાં રાજ ઝાલા નામના…
Author: Dipal
સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીની માલિકીની કંપની આરકોમને પોતાની અસ્કયામતો મુકેશ અંબાણીની Jioને વેચવાની મનાઈ કરતા હુકમ પર રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એકે ગોયલ, આરએફ નરિમાન અને યુયુ લલિતની બેંચે બોમ્બે હાઈકોર્ટના તે ઓર્ડર પર મનાઈ કરવાનો હુકમ કર્યો છે કે જેમાં આરકોમને તેની અસ્કયામતો વેચવા પર રોક લગાવાઈ છે. કોર્ટ વિવિધ બેંકો અને આરકોમને અસ્કયામતો વેચવા દેવા માટે કરવામાં આવેલી અરજી પર વધુ સુનાવણી 5મી એપ્રિલે કરશે. આરકોમ પર 42,000 કરોડ રુપિયાનું દેવું છે જેને ભરપાઈ કરવા માટે તે પોતાની એસેટ્સ Jioને વેચવા માગે છે. Jio પણ તેને ખરીદવા માટે તૈયાર છે. જોકે, એરિક્સન કંપનીએ…
રેનમાં મળતી ખાવા-પીવાની વસ્તુઓ પર વધુ કિંમતો વસૂલાતી રોકવા માટે રેલવે દ્વારા કડક પગલા લેવાયા છે. આ માટે રેલવેએ નવી સ્કીમ ‘નો બિલ, ફ્રી ફૂડ પોલિસી’ લોન્ચ કરી છે. એટલે કે હવે બિલ નહીં તો પૈસા નહીં. આ નવી પોલિસી ઈન્ડિયન રેલવે દ્વારા આ કારણે લાવવામાં આવી છે કારણ કે રેલવેમાં ઘણીવાર ફૂડ ખરીદવા પર બિલ નથી આપવામાં આવતું. રેલ યાત્રિઓની એવી પણ ફરિયાદ છે કે તેમની પાસેથી વધારે કિંમત વસૂલવામાં આવે છે. રેલવેના આ નિર્ણયથી યાત્રીઓ પાસેથી હવે ટ્રેનમાં ફૂડની વધારે કિંમત નહીં વસૂલી શકાય. આ નવી પોલિસીના નોટિસને તે બધી ટ્રેનોમાં લગાવવામાં આવશે જે ટ્રેનોમાં યાત્રીઓ ફૂડ ખરીદે…
કરીના કપૂર પોતાની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરાના ઘરે તૈમુર સાથે પહોચી હતી, આ દરમિયાન તૈમુર ઘણઆ સારા મુડમાં જોવા મળ્યો હતો પરંતુ અમૃતાના ઘરમાંથી બહાર નીકળતા જ તૈમુરનો મુડ બગડી ગયો હતો. સોશિયલ મીડિયાના સૌથી ફેવરિટ સ્ટાર કિડ ગણાતા તૈમુર રડતા સ્પોટ થયો હતો. અમૃતા અરોરાના ઘરની બહાર કારમાં બેઠેલો તૈમુર કરીનાના ખોળામાં રડતો નજરે પડ્યો હતો. પોતાના લાડલાને રડતો જોઇ કરીનાએ તેને મનાવવાના પ્રયાસ કર્યા હતા.કરીનાએ તૈમુરની નારાજગી દૂર કરવા માટે તેના હાથમાં એક બોક્સ પણ આપ્યો હતો.
આરએસએસના વડા મોહન ભાગવતે ફરી એક વખત રામમંદિરનો મુદ્દો ઉઠાવ્યો.તેમણે કહ્યું કે રામ મંદિરનું નિર્માણ અમારી ઇચ્છા નથી પરંતુ એક સંકલ્પ છે.હાલના સમયને સાનુકુળ ગણાવતા ભાગવતે કહ્યું કે જે લોકો રામ મંદિરની રચના કરે છે તેમને રામની જેમ બનવું પડશે, તો આ કાર્ય શક્ય છે. રામ મંદિર બનાવવાનો સમય અનુકુળ છે.આરએસએસ મુખ્ય મહારાજા છત્રસાલની 52 ફુટ ઊંચી પ્રતિમા, છત્રપુરમાં શાસ્ત્રીપીઠના ઉદ્ઘાટન સમારોહના મુખ્ય મહેમાન તરીકે સંબોધન કરી રહ્યા હતા.આ સમય દરમિયાન, તેમણે કહ્યું હતું કે હવે સમગ્ર સમાજને જેડવાનો અનુકૂળ સમય આવ્યો છે. તમારો રામ મંદિર રચવાનો ઉદ્દેશ ચોક્કસ પૂર્ણ થશે. આરએસએસના વડાએ જણાવ્યું હતું કે મહારાજ છત્રસાલે બુંદેલખંડની જમીનને…
Sr.No. Type of Goods Rate for 20 Kgs. Down Rate High Rate 1 Jeera (Cumin) 2400.00 3700.00 2 Sauff (Fennel) (Variali) 1075.00 3512.00 3 Isabgul, White 1395.00 1772.00 4 Sarsav, Yellow 709.00 880.00 5 Raido (Mustard) 687.00 743.00 6 Castor Seed 0.00 0.00 7 Till, Seasame 1465.00 1465.00 8 Groundnut 0.00 0.00 9 Asalio, Red 0.00 0.00 10 Rajgaro 0.00 0.00 11 Fenugreek, Yellow 660.00 702.00 12 Moong, Green 0.00 0.00 13 Math, Shuffish 0.00 0.00 14 Udid, Black 0.00 0.00 15 Gram, Yellow 0.00 0.00 16 Tur, White 0.00 0.00 17 Val, White 0.00 0.00 18 Chola, Shuffish 0.00…
દુનિયાભરના 200 શહેર અને 10 મેટ્રો સિટી ‘ડે ઝીરો’ તરફ આગળ વધી રહ્યાં છે. આ શહેરોમાં ભારતના બેંગલુરૂનો પણ સમાવેશ થાય છે. ‘ડે ઝીરો’નો અર્થ એ છે કે,અનેક શહેરોમાં પાણીની ભયાનક અછત સર્જાશે અને લોકોનું જીવવું દુર્લભ થઈ જશે. વર્લ્ડ વોટર ડે (વિશ્વ જળ દિવસ) છેલ્લા 22 વર્ષથી વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.આફ્રિકાના શહેર કેપટાઉનની માફક દક્ષિણ ભારતના બેંગલુરૂ શહેરમાં પણ ઝડપથી પાણીનું સ્તર ઘટી રહ્યું છે. થોડા જ વર્ષો કે મહિનાઓમાં અહીં પાણીની ભંયંકર સમસ્યા ઉભી થઈ શકે છે. થોડા જ સમયમાં અહીં ‘ડે ઝીરો’ રોકવાનો પ્રયાસ કરવામાં આવશે. જેને અંતર્ગત શહેરની તમામ પાણીના નળને બંધ…
જ્યારે અેક તરફ સરકાર ડેબિટ કાર્ડના ઉપયોગ પર દબાણ કરી રહી છે, બીજી બાજુ, બેંક ચાર્જિસના આધારે ડેબિટ કાર્ડનો ઉપયોગ પર ચાર્જ કરીને ગ્રાહકોના ખિસ્સા પરનો બોજ વધારી રહી છે. જ્યારે તમે એટીએમ મશીન અથવા કોઈ દુકાનમાં એટીએમ સ્વેપ કરો છો અને તમારા ખાતામાં પૂરતા પૈસા ન હોવાને લીધે ટ્રાન્ઝેક્શને નિષ્ક્રિય થઈ જાય છે, ત્યારે બેંક તમારા ખાતામાંથી 17-25 રૂપિયા વસુલે છે અને જીએસટી ફી જુદી છે. જો સ્ટેટ બૅન્ક વિશે વાત કરવામાં આવે છે, તો સ્ટેટ બૅન્ક દરેક નિષ્ફળ વ્યવહાર પર 17 રૂપિયા ચાર્જ કરે છે જો ગ્રાહક પાસે ખાતામાં પુરતા પૈસા ન હોય.જ્યારે એચડીએફસી અને આઇસીઆઇસીઆઇ બેન્ક તેમના…
ખાંડની નિકાસને પ્રોત્સાહન આપવા સરકારે મંગળવારે તેની 20 ટકાની નિકાસ જકાત રદ કરી છે. આ વખતે દેશમાં ખાંડનું માંગ કરતાં વધુ ઉત્પાદન થવાનો અંદાજ છે અને આ સ્થિતિમાં સરકારનો હેતુ ખાંડના ભાવને ટેકો આપવાનો છે. નાણામંત્રાલયના નોટિફિકેશન અનુસાર અત્યારના નિકાસ વોલ્યુમને આધારે નિકાસ જકાત રદ કરવાના પગલાથી સરકારની આવકમાં ₹75 કરોડનો ઘટાડો થશે. ઉલ્લેખનીય છે કે, ઉદ્યોગ સંગઠન ઇન્ડિયન શુગર મિલ્સ એસોસિયેશન (ISMA) અને નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ શુગર ફેક્ટરીઝ ખાંડના વધારાના સ્ટોકના નિકાલ માટે અને ઘટી રહેલા ભાવને અટકાવવા નિકાસ જકાત રદ કરવાની માંગણી કરતા હતા. ISMAએ 2017-18 માટે ભારતમાં ખાંડના ઉત્પાદનનો અંદાજ અગાઉના 2.61 કરોડ ટનથી વધારી 2.95…
રિયલ્ટી માર્કેટમાં કન્સૉલિડેશન થઈ રહ્યું છે. આ સેક્ટર પર 90 ટકા કબજો અસંગઠિત ક્ષેત્રોનો છે, જેને નવા રિયલ એસ્ટેટ કાયદાના કડક નિયમોનું પાલન કરવામાં મુશ્કેલી થઈ રહી છે. પિરામલ ફાઈનાન્સમાં મેનેજિંગ ડિરેક્ટર ખુશરુ જિજિનાએ અમારા સહયોગી ઈકોનોમિક ટાઈમ્સને આપેલા ઈન્ટર્વ્યુમાં આ વાત કહી છે. ખુશરુ પિરામલ ગ્રુપની NBFC સબસિડિરીની 70000 કરોડ રુપિયાની લોન બુક મેનેજ કરે છે. તેમનું માનવું છે કે માર્કેટમાં અત્યારે 45000 બિલ્ડર્સ છે, જેની સંખ્યા ઘટીને 4500 સુધી થઈ છે. અહીં તેમની સાથેની વાતચીતની મુખ્ય વાતો જણાવવામાં આવી છે. 3/6રિયલ એસ્ટેટ સેક્ટર પર કડક રેગ્યુલેશનની શું અસર થઈ? 90% બિલ્ડર્સને રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ એક્ટ, 2016(RERA)ની…