અમેરિકાએ ચીનના સામાન પર 60 અબજ ડોલરનો ટેક્સ નાખવાની તથા પોતાના ત્યાં થતા ચીનના રોકાણને મર્યાદીત કરવાનો નિર્ણય કર્યો છે.અમેરિકાએ પોતાને ત્યાંથી કથિત રીતે વર્ષોથી થતી ઇન્ટિલેક્ટ્યૂઅલ પ્રૉપર્ટીની ચોરીના બદલામાં આ પગલું ભર્યું છે. વ્હાઇટ હાઉસના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ચીન દ્વારા થતા અન્યાયપૂર્ણ પડકારનો સામનો કરવા માટે આ યોગ્ય પગલું છે.તો સામે પક્ષે ચીન પણ અમેરિકા દ્વારા નાખવામાં આવેલા ટેક્સને સાંખી લેવાના મૂડમાં નથી. ચીની સામાન પર નાખવામાં આવેલા ટેક્સથી અમેરિકાના અા નિર્ણયથી ગુસ્સે થયું ચીન.ચીનનું કહેવું છે કે તે અમેરિકાને આનો યોગ્ય જવાબ આપશે. જેના વિશ્વભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.
Author: Dipal
એક અત્યંત ચોંકાવનારી ઘટનામાં એક માએ પોતાની જ દીકરીની ગળું દબાવી હત્યા કરી છે. 16 વર્ષની દીકરી પોતાના જ બાપ સાથે શારીરિક સંબંધ ધરાવે છે તેવી તેની માને શંકા હતી, અને તેના કારણે જ તેણે તેની હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ખારઘર પોલીસ સ્ટેશને આ મામલે મહિલાની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક સ્કૂલમાં ભણતી હતી. તેના પિતા સિવિલ કોન્ટ્રાક્ટર છે. છોકરીના પીએમમાં તેનું મોત શ્વાસ રુંધાવાને કારણે થયું હોવાનું બહાર આવતા પોલીસે તપાસ કરતા તેની માતાએ જ તેની હત્યા કર્યાનું ખૂલ્યું હતું. પોતાની જ દીકરીને મારનારી મહિલા પરિવાર સાથે ખારઘરમાં એક દીકરા, દીકરી (મૃતક) અને પતિ…
ભારતમાં ભાગેડુ જાહેર થયા બાદ દાઉદ ઇબ્રાહિમની પાકિસ્તાન સ્થિત અપરાધિક ડી-કંપની કેટલાય દેશોમાં પગપેસારો કરી શક્તિશાળી સંગઠન બની રહી છે.ડૉ. લેવિસ શેલી, જ્યોર્જ મેસન યુનિવર્સિટીના સીઇસી સ્કૂલ ઓફ પોલિસીના પ્રોફેસર ડો. લેવિસ શેલીએ આજે જણાવ્યું હતું કે પાકિસ્તાન આધારિત ફોજદારી-આતંકવાદી જૂથ ડી-કંપની, જે ભારત સાથે સંકળાયેલી છે, તે દવાઓ દાણચોરી માટે ઘણાં દેશોમાં પગપેસારો કરી રહી છે અને તે એક શક્તિશાળી સંગઠનનું સ્વરૂપ લઈ લીધું છે.શેલીએ દાવો કર્યો હતો કે ડી-કંપનીનું નેટવર્ક ઘણા દેશોમાં ફેલાયું છે. આતંકવાદ અને ગેરકાયદે ધિરાણ સંબંધિત નાણાકીય સેવાઓ પરની સમિતિ દ્વારા આયોજિત સુનાવણી દરમિયાન તેમણે કહ્યું હતું કે, “મેક્સિકોના ડ્રગ વ્યસનીઓની જેમ, ડી-કંપનીનું નેટવર્ક વિવિધ દેશોમાં ફેલાય રહ્યુ છે.તેઓએ…
જીનેટિકલ ખામીના લીધે 40 ટકા દ્રષ્ટિ ગુમાવનારા વિદ્યાર્થી જેનિલ દિનેશ મોદીએ. તેણે એક હાથમાં ટોર્ચ રાખીને ધોરણ 12 સાયન્સ બોર્ડની પરીક્ષા ખૂબ જ આત્મવિશ્વાસ સાથે આપી છે અને જીવનની પરીક્ષામાં તે અવ્વલ છે તે વાતને સાર્થક કરી છે. ધોરણ એકથી 11 સુધી એશિયા સ્કૂલમાં શિક્ષણ મેળવનારા જેનિલ મોદીએ ધોરણ 12 સાયન્સનો અભ્યાસ એસ એસ ડિવાઈન સ્કૂલમાં કર્યો અને ઘાટલોડીયાની કર્મચારી શિક્ષણ તીર્થ સંસ્થામાં પરીક્ષા આપે છે. જીનેેટિક ખામીના કારણે માત્ર ચાર ફૂટની ઊંચાઈ ધરાવતો જેનિલ અભ્યાસમાં તેજસ્વી છે. ધોરણ 10 બોર્ડની પરીક્ષા 75 ટકા સાથે પાસ કરનાર જેનિલ ખૂબ જ સ્ટ્રેસ ફ્રી રહીને પરીક્ષા આપી છે અને તેને ધોરણ 12…
‘સિંઘમ 3’ ફિલ્મના પ્રોડ્યુસર રાજા ગનાનવલની પત્ની નેહાએ એક નિવેદનથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સનસન ફેલાવી દીધી છે. ‘સિંઘમ-3’માં કોસ્ટ્યૂમ ડિઝાઈનર તરીકે કામ કરી ચૂકેલી નેહાએ એક બોલ્ડ અને વિવાદિત ટ્વીટ કર્યું છે. જેમાં તેણે કેટલીક એક્ટ્રેસને ઘર તોડનારી ગણાવી છે. પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલર પર નેહા લખે છે કે, ‘ એક્ટ્રેસ પ્રોડ્યુસરનો પીછો કરે છે. આ એક્ટ્રેસ સેક્સ વર્કર કરતા પણ ખરાબ હોય છે. નેહાનો આરોપ છે કે આવી એક્ટ્રેસ ખાસ કરીને પરણિત પુરૂષોને નિશાનો બનાવે છે અને તેની સાથે બેડ સુધી લઈ જાય છે. નેહાએ ‘સમજૂતી’ એટલે કે કોમ્પ્રોમાઈઝ જેવા મુદ્દા પર પોતાનો વિચાર રજૂ કર્યો છે. તેણે પુછ્યું…
2028 સુધીમાં, ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટુ પ્રવાસન અર્થતંત્ર બની શકે છે.તાજેતરમાં, વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલે તેના અહેવાલમાં જણાવ્યું છે.ડબ્લ્યુટીટીસીએ ગુરુવારે રિપોર્ટ રિલીઝ કર્યો છે, જે કહે છે કે આગામી 10 વર્ષોમાં આ ક્ષેત્ર દ્વારા 10 કરોડ નવી નોકરીઓ ઊભી થશે.આ ઉપરાંત મુસાફરી અને પર્યટનમાં સીધા અને પરોક્ષ નોકરી 42.9 મિલિયનથી વધીને 52.3 મિલિયન થઈ જશે. પ્રવાસન અર્થતંત્રમાં ભારત 7 મા ક્રમે છે.અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે આ શક્યતા પ્રવાસન માળખાકીય સુવિધાઓના સુધારા દ્વારા વધારી શકાય છે.ડબ્લ્યુટીટીસીના પ્રમુખ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગ્લોરિયા ગૂવેરાએ જણાવ્યું હતું કે મુસાફરી અને પ્રવાસન ક્ષેત્ર માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ અને ધ્યાન કેન્દ્રિત…
ગુજરાત નું પ્રથમ સ્વચ્છતા ધરાવતું સ્ટેશન સુરત રેલવે સ્ટેશન પર ગાંધી ધામ ટ્રેન ના માંથી દારૂ નો જથ્થા સાથે 2 મહિલા મળી આવતા યાત્રી ઓએ ટ્રેન રોકી દારૂ નો જથ્થા સાથે મહિલા ને પ્લેટફોર્મ પર ઉતારી વિરોધ કર્યો હતો જે માં ગાંધીધામ ટ્રેન 20મિનિટ સુધી સુરત સ્ટેશન પરજ ઉભી રાખતા હજારો યાત્રીઓ પરેશાન બન્યા હતા. જ્યારે રેલવે પોલીસ. દોડી આવતા યાત્રીઓ ને શાંત પાડી ટ્રેન આગળ રવાના કરી હતી. ઘટના અંગે યાત્રી ઓના જણાવ્યા મુજબ તેઓ રોજિંદા સુરત સ્ટેશન પર રોજ રોજ સ્થાનિક બુટલેગરો ટ્રેન મારફતે લાખો રૂપિયા નો દારૂના જથ્થા ઘુસાડતા હોય છે.જેના લીધે સામાન્ય મુસાફર સાથે રેલવે પોલીસ…
બળ, બુદ્ધિ અને પરાક્રમનાં દેવતા હનુમાનજીની 31 માર્ચે જયંતિ મનાવવામાં આવશે. આમ તો તે ચૈત્ર માસની પૂનમે ઉજવાય છે, જે આ વખતે 9 વર્ષ પછી માર્ચમાં આવી રહી છે. જેથી ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. જેથી શુભ મુહૂર્તમાં પૂજા કરશો તો તમારા પર શુભ પ્રભાવ પડશે અને બધા કષ્ટો પણ દૂર થશે. 1. મોટાભાગે હનુમાન જયંતિ એપ્રિલ મહિનામાં આવે છે પણ આ વખતે 9 વર્ષ પછી હનુમાન જયંતી માર્ચ મહિનામાં ઉજવાશે. આ પહેલાં 2008માં હનુમાન જયંતિ 31 માર્ચે આવી હતી, જ્યારે આ વર્ષે પણ તે 31 માર્ચે જ ઉજવાશે 2. હનુમાન જયંતીના શુભ મુહૂર્તે પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરીને…
પ્રદૂષણના વધતા સ્તર વચ્ચે, સરકાર સતત ઇલેક્ટ્રિક વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.દરમિયાન, સમાચાર એ છે કે ટોચની કાર ઉત્પાદક Hyundai તેની પ્રથમ ઇલેક્ટ્રિક કારને ભારતમાં લાવવા માટે તૈયાર છે.કંપનીની નવી કારનું નામ કોના (KONA) છે.એક અગ્રણી ઓટો વેબસાઇટ અનુસાર, Hyundai KONA ઇલેક્ટ્રીક એસયુવી જિનિવા મોટર શોમાં દર્શાવવામાં આવ્યું હતું.ફેબ્રુઆરીમાં ગ્રેટર નોઇડામાં યોજાયેલી ઓટો એક્સ્પો 2018માં તેનું પ્રદર્શન યોજાયુ હતુ. હવે સમાચાર એ છે કે તે આગામી વર્ષથી ભારતીય બજારમાં લોન્ચ થાય તેવી શક્યતા છે.જો આવું થાય તો તે ભારતમાં Hyundaiની પ્રથમ ઇલેક્ટ્રિક કાર હશે.એવી અપેક્ષા રાખવામાં આવે છે કે Hyundai KONA ઇલેક્ટ્રીક વૈશ્વિક બજારમાં બે વેરિયન્ટમાં આવશે.ભારતમાં, તેનું એન્ટ્રી…
ભારત દેશની આઝાદી અને આઝાદીની લડાઈની વાત આવે તેમાં ભગતસિંહનું નામ ચોક્કસ આવે. દુનિયા ભગતસિંહને શહીદ ભગતસિંહ કહે છે પણ ભારત સરકાર આવું નથી માની રહી. તમને જાણીને આંચકો લાગશે પણ આ રિયલ હીરોને ન્યાય ન મળવાના કારણે આજે પણ પુસ્તકોમાં તેમને ‘ક્રાંતિકારી આતંકી’ તરીકે ઓળખવામાં આવે છે. મહત્વની વાત એ છે કે, ઓગસ્ટ 2013માં મનમોહનસિંહની સરકારે રાજ્યસભામાં ભગતસિંહને શહીદ માન્યા હતા, પણ આજ સુધી રેકોર્ડમાં સુધારો થયો નથી. આ અંગે વર્તમાન ગૃહ રાજ્ય મંત્રી હંસરાજ ગંગારામ આહીરે થોડો રસ લીધો હતો પરંતુ આ વીર સપૂતોને શહીદ જાહેર નથી કરાયા. આજે આખા દેશમાં શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની શહાદત પર…