મેષ ગણેશજીની દૃષ્ટિએ આ૫નો આજનો દિવસ મિશ્રફળદાયી નીવડે. આજે આપને નવું કામ કરવાની પ્રેરણા મળે અને નવા કામની શરૂઆત કરી પણ શકો. આજે આ૫ના વિચારોમાં ઝડપી પરિવર્તન આવે જેથી આ૫નું મન થોડુંક દ્વિધાયુક્ત રહે. આજે નોકરી કે વ્યવસાયમાં આપને સ્પર્ધાનો સામનો કરવો પડે. કોઇ ચોક્કસ હેતુ માટે કાર્ય કરવા પ્રેરાઓ. નાની મુસાફરીનો યોગ છે. સ્ત્રીઓને આજે વાણી પર સંયમ રાખવાની ગણેશજી સલાહ આપે છે. વૃષભ ગણેશજી કહે છે કે આ૫ હાથમાં આવેલી તકને અનિર્ણયાત્મક વલણને કારણે ગુમાવી બેસો અથવા તેનો લાભ ન લઇ શકો. વિચાર- વમળમાં ખોવાયેલા રહેશો. જેથી નક્કર નિર્ણય ન લઇ શકો. આજે નવા કાર્યની શરૂઆત કરવી હિતાવહ…
Author: Dipal
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ડૂરૂમાં સેના અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં બે આતંકી ઠાર કરવામાં આવેલી છે. આતંકીઓ પાસેથ ભારે માત્રામાં હથિયાર અને ગોળા-બારૂદ મળી આવ્યા છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ માર્યા ગયેલા આતંકીમાં હિબ્જ કમાંડર અશરફ મૌલવી અને વેરીનાગના તેના અંગરક્ષક આસિફ હોય શકે છે. જો કે હજી સુધી આ અંગેની પુષ્ટી કરવામાં આવી નથી. જમ્મૂ-કાશ્મીરના અનંતનગમાં શુક્રવાર રાતથી ચાલી રહેલી સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણ સમાપ્ત થઇ ગઇ છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં 2 આતંકીઓને સેનાના જવાનોએ ઠાર માર્યા છે. અનંતનાગના ડોરુ વિસ્તારમાં આતંકીઓ સાથે થયેલી અથડામણમાં 2 આતંકીઓ ઠાર મરાયા છે. આતંકીઓ પાસેથી એકે-47 સહિત અન્ય ચીજવસ્તુઓ…
ડેટા લીક થવા મામલે દુનિયાભરમાં ફેસબુકની ભરપૂર નિંદા થઇ રહી છે. કંપનીનાં CEO માર્ક ઝુકરબર્ગે આ સંબંધમાં યૂઝર્સ પાસે માફી પણ માંગી છે. તો બીજી બાજુ આ સમગ્ર મામલો બહાર આવવાનાં પહેલાં જ બે દિવસોમાં ફેસબુકનું માર્કેટ કેપમાં અંદાજે 3,80,000 કરોડ રૂપિયા (50 બિલિયન ડૉલર)નું નુકસાન થયું છે. વિવાદનાં પહેલાં જ આ સપ્તાહની શરૂઆતમાં ફેસબુકની માર્કેટ વેલ્યૂ 34,93,295 કરોડ રૂપિયા હતી. ત્યાર બાદ 2 દિવસોમાં જ આ ઘટીને 31,13,565 કરોડ રૂપિયા થઇ ગયાં. આ રીતે ફેસબુકની વેલ્યૂમાં 3,80,000 કરોડની ઊણપ વર્તાઇ. આપને એ વાત જાણીને નવાઇ લાગશે કે આ રાશિ ભારતનાં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનાં નેટવર્ક 2,53,000 (38.9 બિલિયન…
કામરેજઃ અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારની બંગાળી પરિણીતાના કેસમાં નવો વળાંક આવ્યો હતો. પોતાની પત્નીને કામરેજના પીએસઆઇ સમીર પરમાર ભગાડી ગયા હોવાના આક્ષેપ સાથે તેના પતિએ અંકલેશ્વર કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે જિલ્લા પોલીસ વડાએ કામરેજ પીએસઆઈ સમીર પરમારને સમસ્પેન્ડ કરીને ફરિયાદી પત્નીને ભગાડી જવાના કેસમાં ફરિયાદ નોંધી છે. મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી અને અંકલેશ્વર જીઆઈડીસીના કાવેરી એપાર્ટમેન્ટમાં રહેતા દેવદાસ બિશ્વાસે સુરતના કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસાઈ સમીર પરમાર સામે તેની પત્નીને ભગાડી ગયા હોવાની ફરિયાદ કોર્ટમાં કરી હતી. ફરિયાદ મુજબ પરણિતા ગત 27 ઓક્ટોબર 2017ના રોજ સાંજે ઘરેથી નીકળી હતી પરંતુ તે ઘરે પરત આવી નહીં. આ અંગે ત્રણ…
આઈડિયા સેલ્યુલરે જિયોને ટક્કર આપવા માટે નવો પ્રીપેઈડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની કિંમત 998 રૂપિયા છે. જેમા યુઝર્સને 5GB 4G/2G ડેટાની સાથે અનલિમિટેડ વોઈસ કોલ્સ અને 100 એસએમએસ રોજ મળે છે. આ ઓફરની વેલિડિટી 35 દિવસની છે. આ ઓફરને જિયો અને એરટેલના 799 રૂપિયાની ઓફરની વિરુદ્ધમાં રજૂ કરવામાં આવી છે. આ પેકની સાથે આઈડિયાની મેજિક ઓફર આવી રહી છે. જેના અંતર્ગત પ્રીપેઈડ સબ્સક્રાઈબર્સને 3300 રૂપિયા સુધી કેશબેક મળશે. આ કેશબેક આઈડિયા એપ અથવા વેબસાઈટથી રિચાર્જ કરવા પણ મળશે. 998 રૂપિયાના આઈડિયા પેકમાં 100 યૂનિક નંબરને દર અઠવાડિયે, 1000 મિનિટ પ્રતિ વીક અને 250 મિનિટ પ્રતિ દિવસની વોઈસ કોલિંગ…
પાકિસ્તાન સરહદે આવેલા બનાસકાંઠા જિલ્લાના ડીસાને વાયુસેનાનું એરબેઝ ફાળવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એરબેઝમાં રૂપાંતરણ સહિતની કામગીરી માટે કેન્દ્ર સરકાર એક હજાર કરોડની ફાળવણી કરશે. ડીસા એરપોર્ટ બનાસકાંઠામાં આવેલું છે. તેનો ઉપયોગ પાલનપુર રજવાડાના ઉપયોગના મુખ્ય હેતુ માટે કરવામાં આવતો હતો. આ હવાઇ મથક એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જાળવણી કરવામાં આવી રહી છે. બનાસકાંઠા પાટણમાં આવેલા પૂરમાં આ એરપોર્ટનો રાહત કામગીરી માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ભારતમાં આજે Vivo V9 સ્માર્ટફોન લોંચ થયો. ભારતમાં આ સ્માર્ટફોનની કિંમત 22,990 રૂપિયા રાખવામાં આવી છે.આ સ્માર્ટફોન પર્લ બ્લેક, શેમ્પેઈન ગોલ્ડ અને સફારી બ્લુ રંગમાં ગ્રાહકો માટે ઉપલબ્ધ રહેશે.તે મુંબઈમાં એક ઇવેન્ટ દરમિયાન લોન્ચ કરવામાં અાવ્યો.તેનું પ્રી બુકીંગ 23 માર્ચથી શરૂ થઈ ગયુ છે. આ સ્માર્ટફોનનું વેચાણ એપ્રિલ 2થી કરવામાં આવશે. Vivo V9ના સ્પેશિફિકેશનની વાત કરીએતો તેમાં 6.3 ઇંચનો પૂર્ણ-એચડી + + (1080×2280 પિક્સેલ્સ) ઇન-સેલ આઇપીએસ છે જે 19: 9 રેશિયો સાથે પૂર્ણ ડિસ્પ્લે અાપવામાં અાવ્યો છે. એન્ડ્રોઇડ 8.0 ઓરીયો-આધારિત સ્માર્ટફોન ઓએસ 4.0 પર ચાલે છે.વી 9 માં ઓકટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 626 પ્રોસેસર છે અને 4 જીબી રેમ છે. કેમેરા પાછળની સાઈડ વર્ટિકલ પાઝિશનમાં ડ્યુઅલ કેમેરા અાપવામાં અાવ્યા છે. તેમાં…
રાજ્યમાં ચાલતી બોર્ડની પરીક્ષામાં આજે હળવદના એક પરીક્ષા કેન્દ્રમાં એક જ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જોકે ક્લાસમાં એક જ વિદ્યાર્થી હોવા છતાં બ્લોક સુપરવાઈઝર સહીતનો તમામ સ્ટાફ તૈનાત કરાયો હતો અને એક વિદ્યાર્થી માટે આઠ કર્મચારીનો સ્ટાફ ખડેપગે જોવા મળ્યો હતો. આજે ધો. ૧૨ની બોર્ડ ની પરીક્ષા માં સામાન્ય પ્રવાહમાં હિન્દીના પેપરમાં આજે હળવદના ઘનશ્યામપુર રોડ પર આવેલી મંગલમ વિદ્યાલય ખાતે એક જ પરીક્ષા આપનાર વિદ્યાર્થી હતો અને પરીક્ષાર્થી માટે આખો સ્ટાફ ખડેપગે રહ્યો હતો. હળવદની મંગલમ વિદ્યાલયમાં માત્ર એક જ પરીક્ષાર્થી પરીક્ષા આપનાર હતો જેના માટે સમગ્ર સ્ટાફ તૈનાત રહ્યો હતો. આ પરીક્ષા કેન્દ્ર પર બ્લોક સુપરવાઈઝર, સ્થળ સંચાલક,…
મુંબઇ ટ્વેન્ટી -20 લીગ એવોર્ડ સમારંભમાં એક અેવી ઘટના ઘટી જેની કદાચ કોઈએ કલ્પના પણ કરી નહી હોય. આ ક્ષણ હૃદયને સ્પર્શવા માટે હતી કારણ કે તે કોઈને જાણ ન હતી કે જ્યારે બે જૂના મિત્રો મળ્યા, ત્યારે એવું બનશે.આ સમારોહ દરમિયાન, વિનોદે તેમના બાળપણના મિત્ર સચિનના પગને સ્પર્શ્યા. અા દૃશ્ય ખુબજ ભાવુક કરી દે તેવુ હતુ કેમકે સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી લાંબા સમય પછી મળ્યા હતા. સચિન અને વિનોદ બંને બાળપણના મિત્રો છે અને સ્કૂલના દિવસોથી વારાફરતી ક્રિકેટ રમે છે, સાથે સાથે સ્કૂલના ઘણા રેકોર્ડ્સ પણ તેમના નામ પર રેકોર્ડ કરવામાં આવે છે.બંનેએ એક જ ગુરુ રમાકાન્ત આચરેકર પાસેથી ક્રિકેટ શીખ્યા…
ભેંસાણના બરવાળા ગામના બોઘાભાઇ દુધાભાઇ મોરી, રાહુલ અમરા મોરી અને સાગર મોરી નામનાલ ત્રણ શખ્સોએ મંદિરના પટાંગણમાં બેઠેલ એક કુતરાને લાકડીઓ વડે બેફામ માર મારતા શ્વાનનુ મોત નિપજ્યુ હતુ આ ઘટનાનો વીડિયો વાયરલ અમદાવાદની એ વાઇલ્ડ લાઇફ સંસ્થાના ધ્યાને આવ્યો હતો તેમણે મહેસાણા પાલીસનું ધ્યાન દોર્યુ હતુ જેને પગલે પગેરૂ ભેંસાણ બરવાળા સુધી પહોંચ્યુ હતુ અંતે ભેંસાણ પોલીસના એએસઆઇ નીતીનભાઇ પંડયાએ ફરીયાદી બની ત્રણે શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.