ભારત, ઇઝરાયલથી સ્પાઇક ટેન્ક પ્રતિબંધિત નિર્દેશિત મિસાઇલ ખરીદશે. ઇઝરાયલ તરફથી ભારત દ્વારા 50 કરોડ ડોલરના આ સંરક્ષણ કરારને રદ્દ કરવામાં આવ્યા બાદ કેટલાક અઠવાડિયા પછી આ નિવેદન બહાર આવ્યું છે. યરૂશલમ પોસ્ટમાં પ્રકાશિત સમાચાર પ્રમાણે નેતન્યાહૂ ભારત યાત્રાથી થોડા અઠવાડિયા પહેલાં આ સોદો રદ કરવામાં આવ્યો હતો.આ કરારનું નવીનીકરણ એક મોટી રાજનૈતિક ઉપલબ્ધતા છે. ભારતના છ દિવસના પ્રવાસે અાવેલા નેતન્યાહૂએ કહ્યું કે કરારના અંતિમ ભાગ અને સીમાઓ પર પુન વિચાર કરી અંતિમ રૂપ અાપવામાં અાવશે.પહેલાં ઇઝરાયેલની હથિયાર કંપની રફેલ એડવાન્સ ડિફેન્સ સીસ્ટમ્સ લિ. આ જ મહિને આ બાબતની પુષ્ટિ કરી હતી કે ભારતે આ સોદો રદ્દ કર્યો છે અને તેણે…
Author: Dipal
ગૌવંશ સહિત અન્ય પ્રાણી ઓ રસ્તાઓ પર પ્લાસ્ટીક ખાતા નજરે જોવા મળે છે. આ પ્લાસ્ટિક તેમના સ્વાસ્થ માટે જીવલેણ બની જાય છે. આવી 3000 ગાયો ની સર્જરી કરી તેમના પેટ માંથી પ્લાસ્ટિક કાઢી તેમને સ્વસ્થ બનાવવાનું ભગીરથ કાર્ય સુરત ખાતે કરવામાં આવી રહ્યું છે. સુરત શહેરના ઘોડદોડ વિસ્તાર માં આવેલા પાંજરાપોળ માં આશરે 13000 કરતા પણ વધુ પશુઓની દેખરેખ રાખવા માં આવે છે.
સંજય લીલા ભંસાલીની ફિલ્મ પદ્મમાવતને લઇને બીજેપી શાસિત રાજ્યોમાં તોફાન મચાવી દીધો છે. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણામાં બૅન લગાવવામાં આવ્યા છે. ત્યારે ઇઝરાયેલીના વડાપ્રધાનના સ્વાગતમાં ઘુમર ગીત વગાડવાથી મામલો ગરમાયો છે. ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુના તેમના સ્વાગતમાં કાર્યક્રમો પણ હતા આ દરમિયાન ભંસાલીની વિવાદિત ફિલ્મના ઘૂમરનાં ગીતો પર કલાકારોના એક ગ્રુપ દ્વારા તેમના ગીત ઉપર ડાન્સ કરવામાંં આવ્યુ હતુ. મધ્યપ્રદેશના ગૃહમંત્રી ભૂપેન્દ્ર સિંહએ એક શાળામાં ઘૂમર ગીત વગાડવા પર પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, પદ્મમાવતને રાજ્યમાં બૅન કર્યું છે, તો તેના ગીતને પણ વગાડવામાંં ના આવે.
કોમેડી કિંગ કપિલ શર્મા તાજેતરમાં રિલીઝ થયેલી ફિરંગી બોક્સ ઓફિસ પર કંઈ ખાસ પ્રદર્શન ન કરી શકી. પોતાની ડૂબી કારકિર્દીને અટકાવવા માટે તેણે નવું પ્લાનિંગ કર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કપિલ તેના દર્શકોને કોમેડી કરીને હસાવ્યા બાદ હવે એક ગેમ શો પ્લાન કરી શકે છે. તાજેતરમાં સોની ટીવીની ટીમ સાથે કરી વાતચીત કરી છે. એક વેબપોર્ટલના અહેવાલ પ્રમાણે, અસફળતાથી ઘેરાયેલા કપિલ શર્માએ કારકિર્દી માટે પ્લાન B તૈયાર કર્યો છે. હવે તે કોમેડી સિવાય અન્ય ઝોનમાં જવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. આ પ્લાન માટે તે તાજેતરમાં સોની ટીવીની ટીમ સાથે વાતચીત કરી હતી. જ્યાં તેણે ચેનલને એક ગેમ શો વિશે જણાવ્યું.…
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને, ભાજપે યુવાનો પર દાંવ લગાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. આગામી વર્ષમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ યુવાનો પર હોડ રમવાની તૈયારી કરી રહ્યું છે. આવા યુવાનોને પાર્ટીમાં ઉતારી લેવા માટે પ્રયાસો કરવામાં આવે છે, જેની ઉંમર 17થી 35 વર્ષ છે.તેમાંના કેટલાક યુવાન લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરશે. મોટી સંખ્યામાં યુવાનોને ધ્યાનમાં રાખીને, પક્ષના પ્રમુખ અમિત શાહ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતદારક્ષેત્રના મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠમાં 20 જાન્યુઆરીના રોજ યોજાયેલા ‘યુથ ઉદ્ધોષ’ કાર્યક્રમમાં હાજરી આપશે.યુવા ઉદ્ધોષ પ્રોગ્રામમાં 17થી 35 વર્ષની ઉંમરના યુવાનો ભાગ લેશે. પક્ષ લોકસભાની ચૂંટણી પહેલા ઓછામાં ઓછા 10 યુવાનોને દરેક મથકમાં ઉમેરવાનો વિચાર…
સુરતના કતારગામ વિસ્તારમાં કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવનાર જીગ્નેશ મેવાસાએ લલિતા ચોકડી પાસે પિતા પુત્ર પર ગાડી ચઢાવી હુમલો કર્યો હતો. જેની કતારગામ પોલીસે નોંધ લઇ તપાસ શરૂ કરી છે. જ્યારે બંને પિતા પુત્રને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને પિતાની હાલત ગંભીર હાવાનું સામે આવ્યુ છે. કતારગામ વિધાનસભામાં કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવનાર જીગ્નેશ મેવાસા દ્વારા પિતા- પુત્ર પર હુમલાના સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જીગ્નેશ મેવાસા સહિત તેના સાથીદારો ફોર વ્હીલ કારમાં સવાર થઈ હુમલો કરવા આવ્યા હોવાના ફૂટેજમાં કેદ થયા છે. ફોર વ્હીલ કારમાં આવેલ જીગ્નેશ મેવાસા અને તેના સાથીદારો તલવાર વડે પિતા – પુત્ર પર તૂટી પડ્યા હોવાનું પણ સીસીટીવી કેમેરામાં…
હાર્દિક પટેલનો હુંકાર ગુજરાતમાં ફરી શરૂ થશે પાટીદાર અનામત આંદોલન.ગુજરાતમાં છેલ્લા અઢી વર્ષથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનને નવા વર્ષથી પુનઃ ધમધમતું કરવાની હાર્દિક પટેલે જાહેરાત કરી હતી. તેમજ હાર્દિક પટેલે આ અંગે આજે જણાવ્યું છે કે અમે અસત્ય અને અન્યાય સામે લડાઈ લડી રહ્યા છીએ.આંદોલન મજબૂત કરીશું.ગામડે ગામડે લોકોને જાગૃત કરીશું.અનામત,ખેડૂત અને યુવાનોના ભવિષ્ય માટે લડવાનો નિર્ધાર કર્યો છે. તેમાં સમાજ તરફથી સાથ મળે તેવી અપેક્ષા છે. પાસના કન્વીનરોની ટીમ રદ કર્યા બાદ પાસ સમિતિના ૧૮૨ કન્વીનરોની નિમણુક કરવામાં આવવાની છે. તેવા સમયે દરેક જીલ્લામાં પણ તેને અનુરૂપ ટીમ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.હાર્દિક પટેલે મોરબી જિલ્લાના ગામડાઓમાં અનામત,ખેડૂત…
વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ ડૉ પ્રવીણ તોગડિયાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તોગડિયાએ ચંદ્રમણી હોસ્પિટલમાંથી બહાર આવતા જ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે ક્રાઈમ બ્રાન્ચ પર દિલ્હીના ઈશારે કામ કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ક્રાઈમ બ્રાન્ચના જેસીસી સામે કાયદાકીય પગલા લેવાની પણ ચિમકી આપી છે. તોગડિયાએ આરોપ મુક્યો કે, જે.કે.ભટ્ટે દિલ્હીના પોલિટિકલ બોસના ઇશારે ષડયંત્ર કરી મારા દેશભક્ત કાર્યકરોને હેરાન કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. – નકલી વીડિયો બનાવી મને બદનામ કરવાનું કાવતરું – જે.કે. ભટ્ટ મારી વિરુદ્ધ ષડયંત્ર ઘડી રહ્યાં છે – મને ગુજરાત પોલીસ પર ગર્વ છે – મારી પર લાંછન લાગે એવા પ્રયાસ ક્રાઇમ…