અમદાવાદઃ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડ (ATS)એ સુરતમાંથી આબેદ અને અંકલેશ્વરમાંથી મહમ્મદ કાસિમ ટિમ્બરવાલાને ઝડપી લીધા હતા. તેમાંથી કાસિમ ટિમ્બરવાલાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અહમદ પટેલ પર ગંભીર વ્યક્તિગત આરોપો લગાવ્યા છે. હકીકતમાં કાસિમ અકંલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં ટેકનિશિયન તરીકે કામ કરતો હતો. તેની ધરપકડ થઈ તેના થોડા દિવસ પહેલા જ તેણે રાજીનામુ આપી દીધું હતું. રૂપાણીએ આરોપ લગાવ્યો છે કે, કાસિમ જે હોસ્પિટલમાં કામ કરતો હતો તે હોસ્પિટલમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલ ટ્રસ્ટી હતા. તેમણે સવાલ કર્યો છે કે, અહમદ પટેલ સ્પષ્ટ કરે કે આતંકવાદીઓ સાથે અહમદ પટેલને શું સંબંધ હતા? તેમણે આ મામલે અહમદ પટેલનું રાજીનામું માગ્યું છે. ઉલ્લેખનીય…
Author: Dipal
દુબઈમાં એક શાનદાર ઈવેન્ટ દરમિયાન અક્ષય કુમાર અને રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ 2.0નો ઓડિયો લોન્ચ કરવામાં આવ્યો. આ ઈવેન્ટમાં ફિલ્મના બધા જ સ્ટાર્સ પહોંચ્યા હતા. રજનીકાંતની ફિલ્મ હોય એટલે જોવા માટે એક ખાસ વર્ગ હોયજ. અક્ષય અને રજનીકાંતની ફિલ્મ 2.0 માટે લોકોનો ક્રેઝ અને ઉત્સાહ વધી રહ્યો છે. ફિલ્મના મેકર્સ પણ ફિલ્મથી ધૂમ કમાણી કરી રહ્યા છે. ફિલ્મના ડિરેક્ટર શંકરના જણાવ્યા અનુસાર, ફિલ્મના સેટેલાઈટ રાઈટ્સ 11 કરોડ રુપિયામાં વેચાયા છે. આ રકમ ફિલ્મના ત્રણ વર્ઝન (હિન્દી, તમિલ અને તેલુગુ)ની છે. આ સિવાય ફિલ્મના મેકર્સે 2.0ના થિએટ્રિકલ રાઈટ્સ 80 કરોડ રુપિયામાં વેચ્યા છે, એટલે કે રિલીઝ પહેલા જ ફિલ્મે 200 કરોડ…
પોપ્યુલર કોમેડી શો ખીચડીની નવી સીઝનનો થશે પ્રારંભ એક દશકા પહેલા દર્શકોના દિલ પર રાજ કરનાર પોપ્યુલર કોમેડી શો ખીચડીની બીજી સીઝન ઈન્સ્ટન્ટ ખીચડી વર્ષ 2005માં આવી હતી. હવે ફરીથી આ સિરીયલ ટીવીના પરદે કમબેક કરવાની તૈયારી કરી રહી છે. આ સિરીયલમાં તેની ઓરિજનલ કાસ્ટ અનંગ દેસાઈ, રાજીવ મહેતા, સુપ્રિયા પાઠક, વંદના પાઠક અને જમનાદાસ મજીઠિયા જોવા મળશે. મજીઠિયા આતિશ કાપડિયા સાથે મળીને આ શો પ્રોડ્યુસ પણ કરી રહ્યા છે. આ સિરીયલમાં જૂના પાત્રોને નવા અંદાજમાં રજૂ કરવામાં આવશે અને કેટલાંક નવા આર્ટિસ્ટ્સ પણ શોમાં જોડાશે. બીજી સિરીયલો વર્ષો સુધી ચાલતી હતી ત્યારે ખિચડી એવો પહેલો શો હતો જે વેસ્ટર્ન…
એરટેલ અને વોડાફોન આ બંને કંપનીઓ જિયોને ટક્કર આપવા માટે સતત નવી ઓફર્સ લોન્ચ કરી રહી છે. આ ક્રમમાં એરટેલે અક ફેસ્ટિવલ સીઝન પર 100 ટકા કેશબેક ઓફર લોન્ચ કરી છે. આ ઓફર 349 રૂપિયાના પ્લાન પર માન્ય ગણાશે અને આ લિમિટેડ પિરિયડ ઓફર છે. આ પહેલા આવી જ ઓફર જિયોએ પણ લોન્ચ કરી હતી જેમાં 399ના રિચાર્જ પર કેસબેક મળતું હતું. એરટેલનો આ પ્લાન માત્ર અમુક સમય માટે જ છે પરંતુ તે હજુ નક્કી નથી કે પ્લાન ક્યારે ખતમ થશે. જાણો આ ઓફર કેવી રીતે લાભ લઈ શકો છો. આ ઓફરની કેટલીક શર્તો સાથે લાભ લઈ શકો છો. આ…
ગુજરાતમાં રાજકારણનું એપીક સેન્ટર આમતો વર્ષોથી ખાડિયા ગણાય છે. ગામ આખાની ખબર અને ખણખોદ ખડિયામાં સાંભળવા મળે છે. એટલુંજ નહિ, ખાડિયામાં સાંભળવા મળે છે. એટલુંજ નહિ, ખાડિયા એવો વિસ્તાર છે કે, જ્યાં સમય કાઢો એટલે રાજ્યની પોલીટીક્સ પલ્સ પકડવી સહેલી થઇ જાય છે. કારણ કે ભાજપનો ગઢ અને મધ્યમવર્ગીય મતદાતાના વિચારોનું સીધું દર્પણ ખાડિયા છે. છેલ્લાં બે દિવસથી ભાજપ દ્વારા પટેલોને તોડવાના અને કથિત રીતે ખરીદવાનાં આક્ષેપો પછી ભાજપનાં દરેક નેતાના પેટમાં તેલ રેડાયું છે. એમને મળતાં ફીડબેક ખરેખર કેટલા સાચાં છે એની કોઈને ખબર નથી એટલેજ રાયપુરના ભજીયાં હાઉસ પર જામતી મહેફીલમાં ચૂંટણીનો માહોલ જાણવા અમિત શાહ ભજિયાં ખાવાને…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બર મહિનામા યોજાવાની છે ત્યારે શિક્ષિકામાંથી વડોદરા શહેર–વાડી બેઠક પર ચૂંટણી લડી જીતેલા ભાજપના ધારાસભ્ય મનીષાબેન રાજીવભાઇ વકીલે ગત એપ્રિલ મહિનામાં ખરીદેલો વૈભવી ડુપ્લેક્ષ અને વર્ષ 2012માં તેમણે જાહેર કરેલ કુલ રૂ. 7,12, 288 સંપત્તિના એફિડેવિટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જે અનુસાર હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા શિક્ષિકાએ ધારાસભ્ય બન્યા બાદ ડુપ્લેક્ષ ખરીદી લીધાનું જણાવાયુ છે. વર્ષ 2012માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડોદરાની શહેર-વાડી બેઠક પર વ્યવસાયે ખાનગી શાળામાં શિક્ષિકા એવા ભાજપના કાર્યકર મનીષાબેન રાજીવભાઇ વકીલને ટિકિટ આપવામાં આવી હતી. આ ચૂંટણીમાં મનીષાબેન વકીલનો વિજય થયો હતો…
સામાન્ય રીતે આપણે બજારમાં મળતું ઘી બ્રાન્ડ જોઈને ખરીદીએ છીએ, પણ ગુજરાતી ભેજાબાજોએ જાણીતી બ્રાન્ડનું પણ ડુપ્લીકેટ ઘી બનાવવાનું શરુ કરી દીધું છે. રાજકોટમાં બે ભેજાબાજોએ પોતાની ડેરીમાં નકલી ઘીનો નવોકારોબાર શરૂ કરી દીધો છે. અમુલના ડબ્બા ભંગારવાળા પાસેથી ખરીદી એમાં નકલી ઘી ભરી મોટાપાયે વેચી રહ્યા હતા. છેલ્લાં કેટલાંક સમયથી અમુલનું ઘી ખાવાથી તબીયત બગડવાની ફરિયાદ સામે આવતાં રાજકોટનાં હેલ્થ વિભાગે તાપસ શરૂ કરી હતી. તપાસ બાદ પોલીસની મદદથી રાજકોટનાં કોઠારીયા વિસ્તારમાં પોલીસની મદદથી દરોડા પાડી પોણા ત્રણ લાખનું ઘી જપ્ત કર્યું છે. બે ભાઈઓ દ્વારા બનાવાતા આ નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યા બાદ એની તાપસ કરતાં રાજકોટ આરોગ્ય…
અમૃતસર : પંજાબ પોલીસે 6.5 કિલો ડ્રગ્સ કર્યું જપ્ત, રૂપિયા 20 લાખ રોકડા જપ્ત, 4 લોકોની ધરપકડ 2 અથવા 3 નવેમ્બરે રાહુલ-હાર્દિક વચ્ચે થઈ શકે છે મુલાકાત, સાથે રોડ -શૉ કરે તેવી શક્યતા વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટીના કુલપતિની ખુરશી ખતરામાં , કુલપતિ પર પૂરી યોગ્ય લાયકાત ન હોવાનો આક્ષેપ જમ્મુ & કાશ્મીર : ત્રાલમાં છુપાયેલા જૈશએ મોહમ્મદના 2 આતંકવાદીઓને પકડવા સીક્યુરીટી ફોર્સ દ્વારા સર્ચ ઓપેરશન શરૂ. મુંબઈ : MNS કાર્યકરોની ગુંડાગર્દી , રેલ્વે સ્ટેશનની બહાર કરી ફેરિયાઓ સાથે મારામારી પૂંછ સેક્ટરમાં પાકિસ્તાને કર્યો ગોળીબાર, ભારતીય સેનાએ વળતી કાર્યવાહી કરી દાહોદ : પોલીસના મારથી યુવાનનું મોત, ચોરીના આરોપમાં યુવાનને ઝડપ્યો હતો પોલીસે…
ભરત પટેલ નો વિરોધ ચરમસીમા એ પોહચ્યો વલસાડ થી રૂટિન ધારાસભ્ય ની ટીકીટ કપાય તો એ વાત ની નવાઈ નહીં એવી અનેક ચર્ચા શહેર ના લોકો માં ઉઠી છે … વલસાડ માં ભારતીય જનતા પાર્ટી માં પણ અંદર અંદર નો વિરોધ એ રૂટિન ધારાસભ્ય ભરત પટેલ ની ટીકીટ ખાઈ જાય એ વાત ની નવાઈ નહીં જી હા આ વાત અમે નથી કહી રહ્યા વલસાડ શહેર ના લોકો કહી રહ્યા છે શહેર માં ધારાસભ્ય ની ટીકીટ માટે ની અનેક ચર્ચા ઓ ચાલી રહી છે ત્યારે આ ચર્ચા ના દોર વચ્ચે ક્યાંક પોતાની ટીકીટ ખરેખર કપાઈ ના જાય તે માટે ભરત પટેલ…
સંખ્યાબંધ સીરિયલના જાણીતા નિર્માતા ગૌતમ અધિકારીનું નિધન। તેઓ સબ ટીવીના કો-ફાઉન્ડર પણ હતા.જાણીતા ટીવી પ્રોડ્યુસર ગૌતમ અધિકારીનું 67ની વયે નિધન થઈ ગયું છે. થોડા સમય પહેલા કિડની ટ્રાન્સપ્લાન્ટને લઈ તેમની તબિયત લથડતી રહેતી હતી. જોકે, બાદમાં સારું થઈ ગયું હતું. પરંતુ રાતના 2.30 વાગ્યે તેને હાર્ટ અટેક આવ્યો હતો અને તેમનું અવસાન થઈ ગયું હતું. ગૌતમ અધિકારીની અંતિમ યાત્રા 27 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યે પાર્લેમાં નીકળશે. ઉલ્લેખનીય છે કે, આ કંપનીની અત્યાર સુધીની સૌથી સુપરહિટ ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં છે. ગૌતમ અધિકારીએ ‘હેલ્લો ઈન્સ્પેક્ટર’, ‘કમાન્ડર’, ‘માર્શલ’, ‘સિલસિલા’ અને ‘વક્ત કી રફ્તાર’ જેવી અનેક ટીવી સીરિયલ્સનું ડિરેક્શન…