ભરૂચ ના અંબિકા નગર ના બંધ મકાન માં તસ્કરો ત્રાટકીયા …કઇ હાથ ના લાગતા તસ્કરો ધોયેલા મોઢે પાછા ફળ્યા.
ભરૂચ ના અંબિકા નગર વિસ્તાર માં C.41 નંબર ના મકાન માં રહેતા ઈશ્વર લાલ શ્રીવાસ્તવ સુરત ખાતે ઉતરાણ ની ઊજવણી કરવા માટે ગયા હતા …દરમ્યાન તેઓ નું મકાન બંધ હાલત માં અતુ આજ રોજ સવારે તેઓ સુરત થી પરત આવતા તેઓ ના મકાન નો મુખ્ય દરવાજા ના નકુચા તુટેલી હાલત માં નજરે પડ્યા હતા ….
તેઓ એ મકાન માં પ્રવેશ કરતા મકાન ના અંદર ના ભાગ ના રૂમ ના દરવાજા પણ તુટેલી હાલત માં હતા અને કબાતો તથા પલંગ ના ભાગે ઘર નો સામાન વેર વિખેણ હાલત માં જોતા ઈશ્વર ભાઈ મુંજવણ માં મુકાયા હતા …અને પોલીસ ને જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી….
ઈશ્વર ભાઈ ના જણાવ્યા મુજબ તેઓ.ના મકાન માંથી માત્ર છુટક રોકડ અને સોના ની બુટ્ટી જેવી વસ્તુનિજ ચોરી થઇ છે ..આમ શહેર માં ઠંડી ના ચમકારા વચ્ચે તસ્કરો એ નિસાન બનાવેલા મકાન માંથી ધોયેલા મોઢે પરત ફળવાનો વાળો આવ્યો હોય તેવું આ ઘટના ઉપર થી જાણવા મળ્યું હતું……..