રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વજુભાઇ જાનીનું 92 વર્ષની જૈફ વયે ભાવનગરમાં અવસાન થયું છે.
રાજકીય ક્ષેત્રે તાલુકા પંચાયતના પ્રમુખ થી લઈને રાજ્યના ગૃહ મંત્રી સુધીની વજુભાઇ જાનીની સફર રહી હતી તેઓ બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
તેઓ 1985 માં ભાવનગર ના મહુવા બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા અને છબીલદાસ મહેતાને હરાવીને ચૂંટણી જીત્યા હતા અને માધવસિંહ સોલંકીની સરકારમાં ગૃહમંત્રી તરીકેનું તેમને સ્થાન મળ્યું હતું.
વજુભાઇ જાનીએ મહુવામાં કોંગ્રેસ પક્ષને મજબૂત કરવામાં ખૂબ જ મહત્ત્વ ભૂમિકા નિભાવી હતી જોકે,વધતી જતી ઉંમર ના કારણે તેઓ છેલ્લા ઘણા જ સમયથી રાજકારણમાંથી નિષ્ક્રિય થઈ ગયા હતા અને ભાવનગર માં પરિવાર સાથે રહેતા હતા તેઓનું મૂળ વતન ભાવનગર જિલ્લા ના મહુવા તાલુકા નું બોરડી ગામ હોવાનું જાણવા મળ્યું છે.
રાત્રે ત્રણ વાગ્યે વજુભાઇ જાનીએ અંતિમ શ્વાસ લેતા કોંગ્રેસ માં ગમગીની પ્રસરી જવા પામી હતી.