મોરબીમાં અગાઉ બાપુજી-ભાઈ સાથે ઝઘડો કર્યો કહીને બેઝબોલ ધોકાથી વૃદ્ધ પર હુમલો
મોરબીના લાલબાગ નજીક મંદિરના ગ્રાઉન્ડમાં વૃદ્ધ બેઠા હોય ત્યારે અગાઉ બાપુજી સાથે ઝઘડો કર્યાનો ખાર રાખી એક ઇસમ બેઝબોલ ધોકા સાથે આવીને વૃદ્ધને માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીના વેજીટેબલ રોડ પર ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા વનરાજસિંહ ભુપતસિંહ ઝાલા (ઉ.વ.૬૧) પોલીસ ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૩૧ માર્ચના રોજ બપોરે તેઓ ઘરેથી લાલબાગ પાસે આવેલ સિધ્ધેશ્વર મહાદેવ મંદિરના ગ્રાઉન્ડમાં ગયા હોય અને ત્યાં બેઠા હોય ત્યારે સાંજના સુમારે સોસાયટીમાં રહેતા ગીરીરાજસિંહ કનકસિંહ જાડેજા ત્યાં આવીને નવેક મહિના પહેલા મારા બાપુજી અને ભાઈ સાથે ઝઘડો થયો હતો તેમ કહેતા વૃદ્ધે તે ઝઘડો થયો હતો હવે બધું પૂરું થઇ ગયું છે તેમ કહેતા ગીરીરાજસિંહ જતા રહ્યા હતા અને બાદમાં બેઝ બોલનો ધોકો લઈને આવી ઝઘડો કરી ગાળો બોલવા લાગ્યો હતો જેથી ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને ધોકાનો ઘા માથામાં માર્યો હતો અને બીજો ઘા ખભાના ભાગે માર્યો હતો જેથી વૃદ્ધ નીચે પડી જતા ઢીકા પાટું માર મારવા લાગ્યા હતા ત્યારે દેકારો કરતા સંબંધી અને બાજુના ફૂલવાળા આવી જતા વધુ માર મારતા છોડાવ્યા હતા ત્યારે ગીરીરાજસિંહ જતા જતા બીજી વખત અમારી સાથે ઝઘડો કરશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી
આમ ગીરીરાજસિંહ જાડેજાએ નવેક મહિના પૂર્વે મારા બાપુજી અને ભાઈ સાથે ઝઘડો કરેલ તેમ કહીને ધોકા વડે માર મારી તેમજ ઢીકા પાટું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે બી ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે