Kutch: ચિત્રોડ ગામે મોમાય માતજીના મંદિરમા મુર્તિ તોડી ખંડીત કરી હોવા બાબતે ગુનો દાખલ થયેલ હોય જે બાબતે ગુન્હો તાત્કાલિક શોધી કાઢી અને આરોપી પકડી પાડવા સુચના ડરેલ જે અનુસંધાને ગુન્હાની ગાગોદર પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી સાથે રહી ચિત્રોડ ગામના અલગ અલગ સી.સી.ટી.વી. ડેમેરાઓ ચેક કરેલ તથા હ્યુમન સોર્સથી તપાસ કરતા હકીકત મળેલ કે મોમાય માતજીના મંદિરમા મુર્તિ તોડી ખંડીત કરનાર આરોપી પ્રભુભાઈ ધનજીભાઈ બારસણીયા (વાલ્મીકી) રહે.સાલાણીવાસ ચિત્રોડ તા.રાપર કચ્છ વાળો ઈસમ હોય અને જે હાલે સાલાણીવાસ પાસે આવેલ બાવળની ઝાડીમા છે તેવી સચોટ બાતમી હકિકત મળતા પોલીસ સ્ટાફ સાથે સદરહુ બાતમી વાળી જગ્યાએથી આરોપી પ્રભુભાઈ ઉર્ફે મિથુન ધનજીભાઈ ઉર્ફે રાયઘણભાઈ બારસણીયા (વાલ્મીકી) ઉ.વ.૨૧ રહે.સાલાણીવાસ ચિત્રોડ તા.રાપર કચ્છ વાળો મળી આવતા ઈસમને પકડી પાડી પોલીસ સ્ટેશન લાવી આરોપીને યુકતિ પ્રયુકતિથી ઇન્ટ્રોગેશન કરતા સદર ઈસમે આ ગુનો કર્યાનુ સ્વીકારેલ હોય જેથી આરોપીની ધોરણસર અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
Friday, May 3