JSW ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર Sajjan Jindal પર બળાત્કારના આરોપો લગાવવામાં આવ્યા છે. સજ્જન જિંદાલ વતી નિવેદન જારી કરીને આ આરોપને ખોટો અને પાયાવિહોણો ગણાવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સજ્જન તપાસમાં સંપૂર્ણ સહકાર આપશે પરંતુ તપાસ ચાલી રહી હોવાથી તે વધુ કંઈ કહેવાનું ટાળશે.
તમને જણાવી દઈએ કે સજ્જન જિંદાલ પર એક 30 વર્ષના ડોક્ટરે આ આરોપો લગાવ્યા છે. કોર્ટના આદેશ બાદ આ મામલે મુંબઈમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. મહિલાનું કહેવું છે કે ફરિયાદના ઘણા મહિનાઓ પછી પણ પોલીસે એફઆઈઆર નોંધી નથી.
FIRમાં મહિલાએ દાવો કર્યો છે કે તે 2021માં IPL દરમિયાન દુબઈમાં સજ્જન જિંદાલને મળી હતી. મહિલાનો દાવો છે કે જિંદાલે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. FIRમાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે જિંદાલે 24 જાન્યુઆરી 2022ના રોજ તેની સાથે રેપ કર્યો હતો.