સામગ્રી
૨ ચમચી શેકેલી મગફળીનો પાવડર
૨ ચમચી ઝીણી સમારેલી કોથમીર
૧ ચમચી રાજગરાનો લોટ
૧ કપ તાજું દહીં
૧ ચમચી ઘી
૧ ચમચી આદૂ-લીલા મરચાંની પેસ્ટ
૧/૨ ચમચી જીરૂ
૧/૨ ચમચી સાકર
સિંધવ મીઠું , સ્વાદાનુસાર
બનાવવાની રીત :
એક બાઉલમાં દહીં, રાજગરાનો લોટ અને ૨ કપ પાણી સારી રીતે મિક્સ કરી રાખો. એક નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂનો વઘાર કરો. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં આદૂ-લીલા મરચાંની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર અડધી મિનિટ સુધી સાંતળી લો. પછી તેમાં મગફળીનો પાવડર મેળવી મધ્યમ તાપ પર ફરી અડધી મિનિટ સુધી સાંતળી લો. તે પછી તેમાં દહીં-રાજગીરાના લોટનું મિશ્રણ, સિંધવ મીઠું અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી ઉકળવા દો. તેને અહીં સતત હલાવતા રહો જેથી તેમાં ગઠોડા ન થાય. આ કઢીને કોથમીર વડે સજાવીને રાજગરાના પરોઠા અથવા સાબુદાણાની ખીચડી સાથે પીરસો.