રાજ્ય માં આજે ઉત્તરાયણ નું પર્વ લોકો મનાવી રહયા છે અને બીજી તરફ કોરોનાના વધી રહેલા કેસોને કારણે સરકાર દ્વારા ઉત્તરાયણ પર્વમાં સરકાર દ્વારા ડીજે અને મ્યુઝિક સાઉન્ડ સિસ્ટમ ઉપર મુકવામાં આવેલા પ્રતિબંધના વિરોધમાં ઇલેકટ્રોનિક એસોસિએશન અને ડીજે સાઉન્ડ સિસ્ટમ સંચાલકો દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે દેખાવો કર્યા હતા.
ડીજે સાઉન્ડ સિસ્ટમ સંચાલકોએ જણાવ્યું હતું કે, કોરોનાની આડમાં માત્ર ડીજે ઉપર જ પ્રતિબંધ કેમ ? તે અંગે સવાલો કર્યા હતા.
કોરોનાના વધી રહેલા કેસોને પગલે સરકાર દ્વારા રોજેરોજ નવી ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી છે જેમાં મ્યુઝીક સાથે ઉત્તરાયણ નહિ મનાવવા અપીલ કરાઈ છે ત્યારે ડીજે ના વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીઓ ના જણાવ્યા મુજબ સરકાર દ્વારા ઉત્તરાયણ પર્વમાં ડીજે સિસ્ટમ ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્ણય ખોટો છે. શું માત્ર ડીજે ઉપર પ્રતિબંધ મુકવાથી કોરોના ફેલાતો અટકી જવાનો છે ? આજે પતંગ બજારો સહિત તમામ બજારોમાં લોકોની ભીડ હોય છે. એક તરફ સરકાર યુવાનોને રોજગારી આપવાની વાતો કરી રહી છે અને બીજી તરફ નાના-મોટો ધંધો કરતા યુવાનોના ધંધા બંધ કરાવી રહી છે. ડીજે ઉપર પ્રતિબંધ મુકવામાં આવશે તો અમારે લારીઓ રોડ ઉપર ઉભી કરીને અન્ય ધંધો કરવા સિવાય બીજો કોઇ રસ્તો રહેશે નહીં. આથી અમને ઉત્તરાયણના બે દિવસ ડીજે વગાડવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગણી છે. ઇલેકટ્રોનિકના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ એ પણ આ વાત ને સમર્થન આપ્યું હતું.જોકે,ડીજે થી ભીડ અને ડાન્સ વગરે થતા સંક્રમણ નો ડર સરકાર ને સતાવી રહ્યો હોય તે ટાળવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું સૂત્રો જણાવી રહયા છે.