ગુજરાતમાં કોરોાની સ્થિતિ દિવસે દિવસે કથળી રહી છે. મહામારીની ઝપટમાં અનેક લોકો આવી રહ્યા છે. હવે કોરોનાનો ડોળો ગુજરાતના આરોગ્ય વિભાગ પર મંડરાયો હોવાનું વિદિત થઈ રહ્યું છે.
ગાંધીનગર સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલ કોરોનાથી સંક્રમિત થયા છે. હાલ મનોજ અગ્રવાલ હોમ આઇસોલેટ થઈ ગયા છે અને તેઓ ઘરે જ રહીને સારવાર લઈ રહ્યા છે.
આરોગ્ય અગ્ર સચિવ કોરોનાની ઝપટમાં આવતા ગાંધીનગર સચિવાલયમાં ભારે ગભરાટ ફેલાયો છે. ખાસ કરીને આરોગ્ય કર્મચારીઓ અને વિભાગમાં કામ કરતા કર્મચારીઓમાં છૂપો જોવા મળી રહ્યો છે.