થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં જીવતા વાછરડાને સિંહના હવાલે કરી ગેરકાયદેસર સિંહદર્શન કરતો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ વન વિભાગ દ્વારા ગીર જંગલ અને તેની આસપાસના સિંહ નિવાસ હોય તેવા વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું. ત્યારે શુક્રવારે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન વન વિભાગના કર્મચારીઓએ આ લોકોને પકડી પાડ્યા હતા. ગેરકાયદે સિંહ દર્શન કરતા પકડવામાં આવેલ 7 વ્યક્તિઓ પૈકી 4 અમદાવાદના છે. જ્યારે બાકીના સ્થાનિક છે. સૂત્રો મુજબ વન વિભાગ પાસે માહિતી હતી કે બાબરીયા રેન્જમાં કથિતરુપે ગેરકાયદે સિંહ દર્શનની પ્રવૃત્તિ ધમધમી રહી છે. જેના પગલે તેમણે ચેકિંગ કરતા આ વ્યક્તિઓ મળી આવ્યા હતા. ફોરેસ્ટ વિભાગના જણાવ્યા અનુસાર ‘અમદાવાદના ટુરીસ્ટ સાસણ નજીક એક ફાર્મહાઉસમાં રોકાયા હતા. તેમણે સ્થાનિકોની મદદથી ગીર-સોમનાથના જખીયા ગામની સીમમાં ગેરકાયદેસર સિંહ દર્શન અંગે પ્લાન બનાવ્યો હતો. તેમજ સિંહને આકર્ષવા માટે ચિકનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા તેમને રંગે હાથ પકડી પાડવામાં આવ્યા હતા. આ સમયે તેઓ સિંહનો વીડિયો ઉતારી રહ્યા હતા તો કેટલાક લોકો ફોટો પાડી રહ્ય હતા.’ ગીર અભ્યારણ્યના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રામ રતન નાલાએ કહ્યું કે, ‘અમને શંકા છે કે ઘણા સ્થાનિક લોકો પૈસાની લાલાચે આ ગેરકાયદે પ્રવૃત્તિમાં લિપ્ત છે. જેને લઈને અમે પેટ્રોલિંગ વધારી દીધું છે. જેના પરીણામે આ લોકો પકડાઈ ગયા હતા. તેમની વધુ તપાસ કરવામાં આવશે.’


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.