અમદાવાદ-કચ્છ હાઉવે છેલ્લા 27 કલાકથી બંધ છે અહીં માલવણ હાઇવે પર થયેલા અકસ્માતની ઘટના બાદ 27 કલાક થવા છતાં હજુસુધી અમદાવાદ કચ્છ હાઇવે ઉપર ટ્રાફિક જામની સ્થિતિ છે. બે ટેન્કર વચ્ચે થયેલા અકસ્માતમાં એકનું મોત થયું છે અને ટેન્કરમાં આગ લાગતા અન્ય છ વાહનો પણ આગમાં સ્વાહા થઈ ગયા હોવાનું લોકો જણાવી રહયા છે. અકસ્માત થયાને 27 કલાક થવા છતાં હજુ આગમાં હોમાઈ ગયેલા વાહનોને રસ્તા ઉપરથી દુર નહિ કરાતા ટ્રાફિકજામ થઇ ગયો છે. ટ્રક અને ટેલર વચ્ચે અકસ્માતને 27 કલાક થવા છતાં હજુ હાઇવે બંધ રહેતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે.
સુરેન્દ્રનગરમાં હરિપર ગામ નજીક પુલ ઉપર ટ્રક અને ટેન્કર વચ્ચે થયેલા અકસ્માતમાં ટેંકરમાં આગ લાગવા સાથે આ અકસ્માતમાં એકનું મોત થયું છે. બે ટેન્કર વચ્ચે અકસ્માત બાદ છ વાહનોમાં આગ લાગી હતી. ટેન્કરમાં જ્વલંતશલ પ્રવાહી હોવાથી આગ લાગી હોવાની આશંકા છે. સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
હાઇવે પર છથી વધુ વાહનોમાં આગ લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે અને રોડ જામ થઈ ગયો છે.