Gujarat: સુરતમાં રાજકીય આગ લાગી છે. સુરતમાં ભાજપ સરલતાથી જીતી શકે તેમ હતો છતાં પક્ષાંતર કરાવી બિનહરીફ ઉમેદવાર જાહેર કરાયા છે. 75 કલાક રાજકીય ડ્રામાં ચાલ્યો હતો પણ તેની શરૂઆત તો 32 દિવસ પહેલાં થઈ ચૂકી હતી.
20 એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણી વખતે ભાજપના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ કોગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવારના ચાર ટેકેદારો યોગ્ય નથી તેવો વાંધો ઉઠાવ્યો હતો.
નિલેશ કુંભાણીના નામની દરખાસ્ત કરનારા તેમના સગા, મિત્રો હતા. હોવા છતા તે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થઇને ફોર્મમાં તેમની સહી નથી તેવી એફેડેવીટ કરી હતી. વધુમા ડમી ઉમેદવારના ટેકેદારે પણ પોતાની સહી ન હોવાનું કહ્યું હતું.
હવે 2029નું ચૂંટણી મોડેલ એટલે સુરત છે.
અનેક ક્રિમિનલ અને સિવિલ ફરિયાદો જેના પર થઈ હોય, નોકરીમાંથી સસ્પેન્ડ થઈ ચૂક્યા હોય એવા નેતાઓ સુરત જેવું જ કરે.
2029માં ચૂંટણી થશે ખરી ??
2024માં ભાજપની જીત દેખાતી નજરે આવી રહી છે. સરકાર બનાવવા ઓછી બેઠકો હશે તો પણ સરકાર તો મોદી જ બનાવશે એ વાત સુરતથી સ્પષ્ટ થઈ ચૂકી છે. ત્યારે સવાલ એ આવે છે કે 2029ની લોકસભાની ચૂંટણી કેવા પ્રકારની હશે તે સુરત અને ગાંધીનરગ લોકસભા બેઠકના ઉમેદવારનું અપહરણ અને ધમકી આપી હતી.
- સુરત અને ગાંધીનગર મત વિસ્તાર ગૃહ પ્રધાનોના છે.
- સુરત અને ગાંધીનગર મત વિસ્તાર આર્થિક અને રાજકીય પાટનગરના છે.
- સુરત અને ગાંધીનગર મત વિસ્તાર ભાજપના પ્રમુખ અને પૂર્વ પ્રમુખના છે.
- તેથી સુરતને મોડેલ બનાવી દઈને પ્રયોગ કરાયો છે. આમેય ગુજરાત એ સંઘ અન મોદીની પ્રયોગ ભૂમિ રહી છે. હવે આનો અમલ 2029માં થઈ શકે છે.
2024ની લોકસભાની ચૂંટણીની સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક જાહેર થઈ છે. અગાઉ આ રીતે બેઠક બિનહરીફ થઈ છે. તે સમજૂતીથી થઈ છે. સત્તાનો ગેરઉપયોગ સુરતમાં જોવા મળે છે.
નરેન્દ્ર મોદીએ બિનહરીફ થવા અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ત્યારે સવાલ એ છે કે નાગરિક તરીકે રહ્યોસહ્યો એક માત્ર અધિકારી પણ છીનવી લેવાયો છે. પૈસા અને પદની લાલચથી. હવે 2029માં ચૂંટણી થશે તો પણ આ રીતે જ થશે. હવે મતદારોના મતની કોઈ કિંમત રહેવા દીધી નથી. ઉમેદવારોને કિંમત આપી દેવામાં આવી રહી છે.
ચૂંટણીએ લોકશાહીનો આત્મા છે, ભારતમા નાગરિકોની પાસે મતદાન એક જ મજબૂત અને મૂળભૂત અધિકાર છે. તેની હત્યા થઈ રહી છે…. ભાજપના ઉમેદવાર બિનહરીફ કરી દેવાયા છે. પાંચ વર્ષે સંસદની ચૂંટણીમાં મતદાન કરવાનો લાખો મતદારો અધિકાર લૂંટી લેવાયો છે. લોકતાંત્રિક પ્રક્રિયા સાથે છેતરપિંડી કરવામાં આવી છે તે માટે કોણ જવાબદાર? ભાજપ, ઉમેદવારો કે જિલ્લા ચૂંટણી અધિકારી કે ચૂંટણી પંચ પોતે?
હવે ભાજપ સુરતમાં રહેતા લોકોને સૌરાષ્ટ્રમાં મતદાન કરવા મોકલશે. સુરતની અસર બીજે પણ થવાની છે. મતદારોના મત ખરીદશે.
એટલી બધી બીક ભારતીય જનતા પાર્ટી ને કેમ છે. ચૂંટણી પહેલાં જ ઉમેદવારને જીતાડી દીધો તેની શરમ પણ નથી. કોણ જનતા સાથે ગદ્દારી કરી રહ્યું છે.
લોકશાહની વસ્ત્રો ખેંચવાનું પણ ભાજપે બાકી રાખ્યું નથી. દેશ ભયંકર તાનાશાહી તરફ જઈ રહ્યો છે, એનું ઉત્તમ ઉદાહરણ સુરત છે. આ હાલત 2029માં 543 સાંસદો ભાજપના હોય તો નવાઈ નહી…. કારણ કે ત્યારે તો સત્તા મોટી બની હશે અને સંપત્તિની લૂંટ પણ બેસુમાર થઈ ચૂકી હશે. જે સંપત્તિ લોકશાહીની સાડી ખેંચવા માટે વપરાશે. 2029માં સાચી ચૂંટણી નહીં હોય, 2024ની ચૂંટણી પછી ખરેખર સરમુખત્યારશાહી આવી ચૂકી હશે. દેશ હિટલર સાહી તરફ જઈ રહ્યો છે.
હવે ખેડૂતોના માલની જે રીતે ખેત બજારમાં હરાજી થાય છે તેમ લોકસભાની બેઠકની હરાજી થવા લાગી છે. જે વધારે કે ઓછા પૈસા આપે તે પણ માલ ખરીદી શકાય છે.
અત્યાર સુધી ભાજપ પોતે ધારાસભ્ય કે સંસદસભય કે નેતા ખરીદતો હતો. હવે તો અમદાવાદ ઉમેદવારને ખરીદી લીધા અને ટેકેદારો પણ ખરીદી રહ્યો છે. મતલબ સાફ છે ચૂંટણી ન થવી જોઈએ.
દાદાગીરી અને કાયદો બતાવે ત્યાં ભલભલા લોકો બેસી જાય છે.
દરેક યુદ્ધ જીતવા માટે જ હોવા જોઈએ એવું નથી. લડાઈ લડવા માટે હોય છે. યુદ્ધ પહેલા જ હાર સ્વીકારી લઈએ તો તે પરાજય નહીં પણ નામર્દાનગી કહેવાય છે.
સુરતને ઇતિહાસ માફ નહિ કરે. સુરતની બેઠકે ખરા અતર્થમાં સૂત્ર આપ્યું છે કે, લોકશાહી બચાવો દેશ બચાવો.
ચૂંટણી પંચ દલાલ બનીને તમાશો જોઈ રહ્યું છે. લોકતંત્રની હરાજીમાં દલાલનું કામ કર્યું છે.
નફરતી ભાષણ
વડાપ્રધાને 21 એપ્રિલ 2024ના રોજ રાજસ્થાનના બાંસવાડામાં જાહેર સભામાં કહ્યું કે “કોંગ્રેસ દેશની સંપત્તિ જેમના વધુ બાળકો છે તેમને, ઘૂસણખોરોને વહેચી દેશે ! કોંગ્રેસનો ઢંઢેરો જુઓ કે તેમની સરકાર આવશે તો તમારી મિલકતનું ઓડિટ થશે. માતા અને બહેનોના સોના અને ઝવેરાતની કિંમત પણ આંકવામાં આવશે. આ લોકો તમારું મંગળસૂત્ર પણ રહેવા નહીં દે !”
ભારત હીટલર કરતાં આગળના યુગમાં જઈ રહ્યો છે.
આટલું નફરતી ઝેર તો હિટલર પણ ઓકતો ન હતો ! દેશના મુસ્લિમોને ‘ઘૂસણખોરો’ ઠરાવી દીધાં ! ‘વધુ બાળકો વાળા’ ઠરાવી દીધાં ! ‘જેમના વધુ બાળકો છે’
પછી લોકોને ભ્રમિત કરવા સુરત જેવા કાંડ કરી શકે છે.
વડાપ્રધાન મોદીના મત મુજબ તો દેશના સંસાધનો પર પ્રથમ હક સુરતના પૈસાદાર લોકો કે ગુજરાતના અદાણી-અંબાણીનો છે !
સવાર પડે ત્યારે પક્ષાંતરના દાવાદાવા અને મોદી મોં ખોલે ત્યારે જૂઠ સિવાય કંઈ નિકળતું નથી !
ચૂંટણીપંચ તટસ્થ હોત તો સુરતની ઘટના અને વડાપ્રધાનના ભાષણ પછી ઠપકો આપી સજા કરી હોત.
પણ વડાપ્રધાન અને ભાજપ બેહદ મોંઘવારી, બે કાબુ બેરોજગારી, ખેડૂતોની સમસ્યા, કાળાનાણા, રુપિયાનું અવમૂલ્યન, પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસનો ભાવ, ભ્રષ્ટાચાર, ખાનગીકરણ જેવા મુદ્દાઓ સુરતની ઘટના ઉભી કરીને ભૂલાવી દેવાનો પ્રયાસ છે.
જો સારા કામ કર્યા હોત તો ઉમેદવારોને ખરીદવાની કે લોકો ધર્મના નામે ઉશ્કેરવાની કે ભ્રમિત કરવાની જરુર પડે નહીં.
રાહુલ ગાંધી કર્ણાટકમાં કંઈ બોલે તો સુરતમાં ફરિયાદ થઈ શકે, પણ ભાજપ ખરીદી કરે છતાં ફરિયાદો ન થાય.
સુરત લોકસભા બેઠક પર અપક્ષ સહિત અન્ય તમામ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી છે. સુરત લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર જ બચ્યા હોવાથી બિનહરીફ થઈ હતી. ભાજપે સુરત બેઠકથી પહેલા ઉમેદવાર વિજેતા થયા હતા. ઈતિહાસ સર્જાયો છે. કોંગ્રેસે તેના વૈકલ્પિક ઉમેદવાર સુરેશ પડસાલાને પણ નોમિનેટ કર્યા હતા, પરંતુ દરખાસ્તના કારણે તેઓ પણ નામંજૂર થયા હતા.
સુરત લોકસભાનાં ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ બન્યા છે.
વિશ્વના અનેક દેશમાં ચૂંટણી થાય છે પણ સુરતની જેમ ચૂંટણી કરીને સરમુખત્યારો જીતી જાય છે.
20 તારીખે કોંગ્રેસનાં સુરત ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ અંગે સવારે 11 વાગ્યે કલેક્ટર સમક્ષ સુનાવણી દરમ્યાન તેઓનાં ટેકેદારો સાથે આવવા ચૂંટણી અધિકારીએ આદેશ આપ્યો હતો. પછી, 24 કલાકનો કલેક્ટર સમક્ષ સમય માગ્યો હતો.
સુરતની બેઠક તમને એક થાળીમાં આપી દેવા માંગતા હોય તો ચૂંટણી કરાવવાની શું જરૂર છે?
લોકસભા ચૂંટણીમાં બીજેપીના સાંસદ બિનહરીફ ચૂંટાયા હોય તેવી આ પહેલી ઘટના છે.
કારણ કે કોંગ્રેસના ઉમેદવારે તેમની ઉમેદવારી પત્રમાં દર્શાવેલી સહી ત્રણ ટેકેદારોએ ન કરી હોવાનો આક્ષેપ તેના ટેકેદારો દ્વારા જ કરાયો હતો.
ટેકેદાર
ટેકેદારો જગદિશ સાવલિયા, રમેશ પોલરા ભાગીદાર અને ધીરૂભાઈ ધામેલિયા હતા. બનેવી છે.
ચૂંટણી અધિકારીને રૂબરૂમાં જઈને ત્રણેય ટેકેદારોએ શોગંદનામુ આપીને કહ્યું હતું કે સહી ખોટી છે. બધા ભેગા થયા. આ કોઈ સંયોગ નથી. ઉમેદવારી પત્રમાં નિલેશ કુંભાણીએ દર્શાવેલી સહી અમારી નથી તેવો આક્ષેપ કરાયો છે. નિલેશ કુંભાણીએ દરખાસ્તદારોની સહીઓ જાતે કરી હોવાનું જણાવ્યું છે. કલેક્ટરે કુંભાણીને લખેલા પત્રમાં કહ્યું, તમારા ટેકેદારોએ એફિડેવિટ કરી છે.
એક પણ ટેકેદાર કોંગ્રેસના નથી. બધા પરિવારજનો છે. કુંભાણીએ કોંગ્રેસ પાર્ટી સાથે દગાખોરી કરી છે.
ત્રણેય ટેકેદાર નિલેશ કુંભાણીના ખાસ હતા. જેમાં ધ્રુવિન ધામેલિયા નિલેશ કુંભાણીના મિત્ર છે તો રમેશ પોલારા નિલેશ કુંભાણીના ભાગીદાર છે. જગદીશ સાવલિયા કુંભાણીના બનેવી છે.
ભાજપના ઉમેદવારના ચૂંટણી એજન્ટે આ મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો.
21 તારીખે રવિવારે સુનાવણી પહેલાં નિલેશ કુંભાણીયાનાં ટેકેદારો રમેશ પોલરા, જગદિશ સાવલિયા અને ધ્રુવિન ધામેલિયામાંથી ત્રણ જણા સંપર્ક વિહોણા થયા હતા.
જીતનું પ્રમાણપત્ર
ટેકેદારો હાજર ન થતા કોંગ્રેસનાં ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું હતું. ભાજપનાં ઉમેદવારને મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ આપ્યું હતું.
આગાહી
ભાજપના જ નેતાઓએ એક મહિના પહેલાં કહી દીધું હતું કે ડ્રામા થવાનો છે. કોંગ્રેસના પ્રભૂદાસ પટેલને ભાજપના નેતાએ કહ્યું હતું.
કદીર
કુંભાણીની છાપ સારી નથી. કદીર પીરઝાદા બોલતા નથી. તેમણે જ ઉમેદવાર બનાવવા માટે ભલામણ કરી હતી. કાશીરામ રાણાના સમયથી ભાજપને મદદ કરતાં રહ્યાં છે. સુરતમાં જ એ નક્કી કરે છે. ભલામણ કરનારા સૌથી વધારે જવાબદાર છે.
અસલમ સાયકલવાલાએ કોંગ્રેસ પર જ આરોપ લગાવ્યા છે. કુંભાણીએ પૈસા લઈ ટિકીટનો સોદો કર્યો હોવાનો સાયકલવાલાનો આરોપ હતો. કોંગ્રેસે કુંભાણીને ટિકીટ આપીને મોટી ભૂલ કરી છે.
શક્તિસિંહ ગોહિલ
કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે ભાજપ ટેકેદારોને ગુમ કરાવવાનો હથકંડો અજમાવી રહ્યો છે. ટેકેદારોની ઉલટતપાસ થાય અને ન્યાય મળે.
લીગલ કામગીરી કરીશું. ભાજપ તંત્રનો ઉપયોગ કરી ઉમેદવારને હરાવવા પ્રયાસ કરાયો છે. ટેકેદારોને કઈ રીતે ધાકધમકી આપી હતી. ભારતીય ચૂંટણી પંચ કેમ કોઈ પગલાં ભરતું નથી. તંત્ર ભાજપના આદેશ પર કામ કરે છે કે શું ?
CM પટેલ અને સી આર પાટીલ
CM ભૂપેન્દ્ર પટેલે મુકેશ દલાલને બિનહરીફ જીત બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
ફરી ચૂંટણી કરો
કોંગ્રેસનો આરોપ છે કે મુકેશ દલાલને અનુચિત પ્રભાવ દ્વારા ખોટી રીતે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસની માંગ છે કે આ બેઠક પર નવેસરથી ચૂંટણી થવી જોઈએ. મેચ ફિક્સિંગનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસે આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોને મળ્યું હતું અને સુરતમાં ફરીથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવા માંગ કરી હતી.
રાજ્યની સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસ અને ભાજપ સહિત કુલ 11 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.
ઉમેદવારો ખસી ગયા
સુરત લોકસભા બેઠક પરથી 15 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.
કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન રદ થતાં બાકીના 8 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા હતા.
11 ઉમેદવારો
- ભાજપમાંથી મુકેશ દલાલ,
- કોંગ્રેસમાંથી નિલેશ કુંભાણી,
- બસપામાંથી પ્યારેલાલ ભારતી,
- સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીમાંથી અબ્દુલ હમીદ ખાન,
- ગ્લોબલ રિપબ્લિકન પાર્ટીમાંથી જયેશ મેવાડા,
- લોગ પાર્ટીમાંથી સોહેલ ખાને ઉમેદવારી નોંધાવી હતી.
- આ ઉપરાંત અજીતસિંહ ઉમટ, કિશોર દયાણી, બારૈયા રમેશભાઈ અને ભરત પ્રજાપતિ અપક્ષ ચૂંટણી મેદાનમાં હતા.
આખરી ઉમેદવાર
કુલ આઠ ઉમેદવાર મેદાનમાં રહ્યા હતા. ભાજપના ઉમેદવાર સામે કોઈ ઉમેદવાર ન રહે તે માટે આખી રાત તડજોડ ચાલી હતી. ઉમેદવારની ફોર્મ ખેંચવાના દિવસે પણ ડ્રામા સર્જાયો હતો.
ત્રણ અપક્ષ ઉમેદવાર રમેશ પરસોતમ બારૈયા, કિશોર ડાયાણી અને ભરત પ્રજાપતિએ ઉમેદવારી પરત ખેંચી લીધી હતી.
ત્યારબાદ નાની પાર્ટીઓ સરદાર વલ્લભભાઇ પટેલ પાર્ટીના અબ્દુલ હમીદ શેખ, અખિલ ભારતીય હિન્દુ મહાસભાના અજીતસિંહ ઉમટ, લોગ પાર્ટીના સોહેલ સલીમ શેખ તેમજ ગ્લોબલ રીપબ્લીક પાર્ટીના જયેશ મેવાડાએ ઉમેદવારી ફોર્મ ખેંચી લીધા હતા.
બહુજન સામાજ પક્ષ
બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી કરનાર પ્યારેલ બુધ્ધુરામ ભારતી ચૂંટણી લડવાના હોય તેમ ચૂંટણી અધિકારીની કચેરીમાં આવ્યા નહોતા. બે વાગ્યે ઉમેદવાર પ્યારેલાલ ભારતી હાજર થયા હતા અને ઉમેદવારી પરત ખેંચી હતી.
આમ શનિવારે 20મી એપ્રિલના સવારથી સોમવાર બપોર સુધીના 75 કલાક સુધી હાઇ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો.
કોગ્રેસ જિલ્લા કલેકટરના હુકમ વિરુધ્ધ તેઓ કોર્ટમાં જઇ શકે છે.
ઇતિહાસ
સુરત લોકસભા બેઠક 1989થી ભાજપ પાસે છે. આ પહેલા પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ અહીંથી 5 વખત સાંસદ રહી ચૂક્યા છે.
દલાલ કોણ
63 વર્ષીય ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને સુરત માટે ભગવા પાર્ટીએ વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ પર પસંદ કર્યા છે. વિવિધ હોદ્દાઓ સંભાળ્યા છે. દલાલ સુરત શહેરના જનરલ સેક્રેટરી અને અગાઉ કોર્પોરેશનમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ હતા. સુરતમાં પીપલ્સ કોઓપરેટિવ બેંકના ચેરમેન તરીકે હતા. મોઢ વણિક સમુદાયના વતની, દલાલ ભાજપના ઘણા ટોચના નેતાઓની નજીક છે. 1981 થી પાર્ટીમાં સક્રિય છે.