હવામાન વિભાગે ગુજરાત અને મહારાષ્ટ્રને લઈને વાવાઝોડાની ચેતવણી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબ સાગરમાં છેલ્લા 48 કલાકમાં સર્જાનારા ઓછા દબાણના કારણે દરિયાકાંઠાના આ બંને રાજ્યોમાં આવનાર બે દિવસમાં એટલે કે 3 જૂન સુધી વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે.
ખાંભાના નાનુડી, ભાડ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટના ચિભડા ગામે પણ ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટના કોટડાસાંગણી સહિત આસપાસનાં ગામોમાં વરસાદ વરસ્યો હતો. ગોંડલ પંથકમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.
અમરેલીના ધારી પંથકમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ખાંભાના નાનુડી, ભાડ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બોટાદ શહેરમાં પણ સતત બીજા દિવસે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.