ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ ૧૪ હજારથી વધુ પક્ષીઓને ‘કરુણા અભિયાન’થી મળ્યું નવજીવન

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

કરુણા અભિયાન-૨૦૨૬: રાજ્યભરમાં ૯૦ ટકા ઘાયલ પક્ષીઓને સફળ સારવાર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર જીવમાત્રના કલ્યાણ માટે કટિબદ્ધ છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની ઘાતક દોરીથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યભરમાં ‘કરુણા અભિયાન’ હાથ ધરવામાં આવ્યું હતું. વન મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ વિગતો આપતા જણાવ્યું કે, ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન આ અભિયાન હેઠળ કુલ ૧૬,૩૮૦ ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી, જેમાંથી ૧૪,૬૯૦ પક્ષીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં સફળતા મળી છે. આમ, સારવાર હેઠળના ૯૦ ટકા પક્ષીઓને નવું જીવન મળ્યું છે.

અભિયાનની વ્યાપકતા અને જિલ્લાવાર કામગીરી

આ વર્ષે અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ૭,૦૪૦ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી, જેમાંથી ૬,૫૩૨ પક્ષીઓ બચી ગયા છે. તે જ રીતે સુરતમાં ૪,૧૯૪, વડોદરામાં ૬૪૯, રાજકોટમાં ૫૫૩ અને ગાંધીનગરમાં ૩૧૩ પક્ષીઓને જીવતદાન અપાયું છે. આ અભિયાનને સફળ બનાવવા માટે સમગ્ર રાજ્યમાં ૪૫૦ કલેક્શન સેન્ટર, ૬૦ કંટ્રોલરૂમ અને ૪૮૦ થી વધુ સારવાર કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા હતા. આ કેન્દ્રો પર ૬૫૦ વેટરનરી ડોકટરો અને ૮,૦૦૦ થી વધુ સ્વયંસેવકોએ રાત-દિવસ સેવા આપી હતી.

Karuna Abhiyan Uttarayan Bird Rescue Gujarat 2026 2.png

- Advertisement -

વિવિધ પ્રજાતિઓ અને દાયકાની સિદ્ધિ

રાજ્ય મંત્રી શ્રી પ્રવિણ માળીએ માહિતી આપી હતી કે, ૨૦૧૭માં શરૂ થયેલા આ અભિયાનના ૧૦ વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધીમાં કુલ ૧.૨૯ લાખથી વધુ ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે, જેમાંથી ૧.૧૮ લાખ પક્ષીઓને બચાવી લેવાયા છે. આ વર્ષે બચાવવામાં આવેલા પક્ષીઓમાં સૌથી વધુ ૧૩,૬૩૬ કબૂતર છે. આ ઉપરાંત ૯૦૫ સમડી, ૨૮૧ કાગડા, ૧૩૪ ઘુવડ અને ૧૧૦ પોપટ સહિત કુલ ૪૧ વિવિધ પ્રજાતિના પક્ષીઓનો સમાવેશ થાય છે.

Karuna Abhiyan Uttarayan Bird Rescue Gujarat 2026 1.png

- Advertisement -

૨૪x૭ હેલ્પલાઈન અને ટેકનોલોજીનો ઉપયોગ

ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર માટે વન વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર ૧૯૨૬ અને વોટ્સએપ નંબર ૮૩૨૦૦ ૦૨૦૦૦ જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રાજ્યમાં વર્ષ દરમિયાન ૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા પણ કાર્યરત છે. જિલ્લાવાર નોડલ અધિકારીઓની નિમણૂક અને આધુનિક સંસાધનોના ઉપયોગને કારણે સારવારનો સરેરાશ સફળતા દર ૯૨ ટકા જેટલો ઊંચો રહ્યો છે, જે ગુજરાત સરકારની સંવેદનશીલતા અને જીવદયાના અભિગમને ઉજાગર કરે છે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.