વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે છે તેઓ સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાંથી વડાપ્રધાન નવસારીના ખુડવેલ ખાતે આયોજિત સભા સ્થળે પહોંચ્યા છે.
ખુડવેલથી વડાપ્રધાન દ્વારા નવસારી જિલ્લાની કુલ 2151 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. જે કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
1510 કરોડની પાણીની યોજના, માર્ગ મકાન વિભાગની 98 કરોડ, આરોગ્ય વિભાગની 542 કરોડનાં કામોનું ખાતમુહૂર્ત થશે. લોકાર્પણની વાત કરવામાં આવે તો 901 કરોડના કુલ લોકાર્પણ થશે, જેમાં 749 કરોડની પાણીની યોજના, 85 કરોડ ઊર્જા, 46 કરોડ માર્ગ મકાન, અને 20 કરોડના શહેરી વિકાસનાં કામોનું લોકાર્પણ થશે.
આજે પીએમ મોદી નવસારીના ખુડવેલમાં જાહેરસભા સ્થળે પહોંચ્યા છે.અને અહીંથી જ નવસારી જિલ્લાના 3050 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
વડાપ્રધાન મોદીનું સુરત એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાંથી વડાપ્રધાન નવસારીના ખુડવેલ ખાતે પહોંચ્યા છે.
સભાસ્થળે સીએમ પટેલ અને સીઆર પાટીલ સહિતના નેતાઓએ સરકારે કરેલા કામો ની રૂપરેખા આપી હતી.
સાથેજ વડાપ્રધાન નવસારી હાઇવે ઉપર નિર્માણ પામેલી એમ.એ.નાયક હેલ્થકેર કેમ્પસ અને નિરાલી મલ્ટીસ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરશે.
આ મલ્ટીકેર હોસ્પિટલમાં કેન્સરને લાગતી આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. કાર્ડિયાક, પીડિયાટ્રિક, જનરલ સર્જરી, વર્લ્ડ ક્લાસ સીટી એમઆરઆઈની પણ હોસ્પિટલમાં સુવિધા આપવામાં આવી છે. હોસ્પિટલ કુલ 400 બેડની છે, જેમાં હાલમાં પ્રાથમિક ધોરણે 100 બેડ શરૂ કરવામાં આવશે.
L&T ગ્રુપના ચેરમેન અનિલ નાયકની પૌત્રી નિરાલી અઢી વર્ષની ઉંમરે કેન્સરને કારણે મૃત્યુ પામતાં તેની યાદમાં આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું આજે વડાપ્રધાન લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં ફક્ત આમંત્રિતો જ હાજર રહેશે.