૧૫ ઓગસ્ટ પહેલાં રાહત કે આંચકો? જાણો દેશના મુખ્ય શહેરોમાં આજનો પેટ્રોલ-ડીઝલનો ભાવ
૧૫ ઓગસ્ટના સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા દેશના વાહનચાલકો અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે. સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દ્વારા દરરોજ સવારે ૬ વાગ્યે જાહેર કરવામાં આવતા ઇંધણના દરો મુજબ, આજે ૧૪ ઓગસ્ટના રોજ પણ સમગ્ર ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત અને સ્થિર રહ્યા છે. દેશમાં વિતેલા કેટલાક સમયથી ઇંધણના દરોમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી, જેનાથી ગ્રાહકોના ખિસ્સા પર વધારાનો બોજ પડ્યો નથી.
મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના દરોની સ્થિતિ
દેશના વિવિધ શહેરોમાં સ્થાનિક ટેક્સ અને વેટના કારણે ઇંધણના ભાવમાં તફાવત જોવા મળે છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ ૧૦૨.૧૨ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૯૫.૨૦ રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. આર્થિક રાજધાની મુંબઈમાં દિલ્હી કરતાં દરો ઊંચા છે, જ્યાં પેટ્રોલનો ભાવ ૧૧૧.૨૧ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ ૯૯.૮૨ રૂપિયા પ્રતિ લિટર નોંધાયો છે.
દેશના અન્ય મેટ્રો અને મોટા શહેરોની વાત કરીએ તો, કોલકાતામાં પેટ્રોલ ૧૧૩.૫૧ રૂપિયા અને ડીઝલ ૯૯.૮૨ રૂપિયા પ્રતિ લિટર છે. ચેન્નાઈમાં ગ્રાહકોએ પેટ્રોલ માટે ૧૦૭.૭૪ રૂપિયા અને ડીઝલ માટે ૯૯.૫૫ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પેટ્રોલ ૧૦૧.૮૬ રૂપિયા અને ડીઝલ ૯૪.૯૭ રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે નોઈડામાં પેટ્રોલ ૧૦૨.૧૨ રૂપિયા અને ડીઝલ ૯૫.૨૧ રૂપિયાના સ્તરે છે.

રાજસ્થાનના જયપુરમાં પેટ્રોલ ૧૧૨.૬૬ રૂપિયા અને ડીઝલ ૯૭.૪૬ રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. બિહારના પટનામાં પેટ્રોલનો દર ૧૧૩.૩૭ રૂપિયા અને ડીઝલનો દર ૧૦૦.૨૦ રૂપિયા પ્રતિ લિટર છે. મધ્ય પ્રદેશના ભોપાલમાં પેટ્રોલ ૧૧૪.૫૪ રૂપિયા અને ડીઝલ ૧૦૦.૩૦ રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે, જે દેશમાં સૌથી મોંઘા દરોમાંથી એક છે. મહારાષ્ટ્રના પુણેમાં પેટ્રોલ ૧૦૪.૦૪ રૂપિયા અને ડીઝલ ૯૦.૫૭ રૂપિયા પ્રતિ લિટર નોંધાયું છે.
ઘેરબેઠા SMS દ્વારા આ રીતે ચકાસો તમારા શહેરનો ભાવ
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ગ્રાહકોનેSMS દ્વારા પણ પોતાના શહેરમાં ઇંધણના દરો જાણવાની સુવિધા પૂરી પાડે છે. ઇન્ડિયન ઓઇલ (IOCL) ના ગ્રાહકોએ પોતાના મોબાઇલમાંથી ‘RSP’ લખીને સ્પેસ આપીને શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 પર મોકલવાનો રહેશે. બીપીસીએલ (BPCL) ના ગ્રાહકો ‘RSP’ અને શહેરનો કોડ લખીને 9223112222 પર મેસેજ કરી શકે છે. જ્યારે એચપીસીએલ (HPCL) ના ગ્રાહકો ‘HP Price’ અને કોડ લખીને 9222201122 પર SMS કરીને તુરંત તાજા દરો મેળવી શકે છે.

શા માટે બદલાય છે પેટ્રોલ અને ડીઝલના ભાવ?
ભારતમાં ઇંધણના દરો નક્કી કરવા પાછળ મુખ્યત્વે ત્રણ મહત્વના પરિબળો કામ કરે છે:
૧. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમતો: ભારત પોતાની જરૂરિયાતનું ૮૫% થી વધુ ક્રૂડ ઓઈલ (કાચું તેલ) વિદેશમાંથી આયાત કરે છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધે કે ઘટે, તેની સીધી અસર દેશની ઓઈલ કંપનીઓ પર પડે છે.
૨. રૂપિયા અને ડોલરનો વિનિમય દર: કાચા તેલની ખરીદી આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકી ડોલરમાં થાય છે. જો ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડે, તો આયાત મોંઘી બને છે, જેની અસર અંતિમ ભાવ પર થાય છે.
૩. કેન્દ્ર અને રાજ્ય સરકારોના કર (Taxes): કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવતી એક્સાઈઝ ડ્યૂટી અને વિવિધ રાજ્યો દ્વારા વસૂલવામાં આવતો VAT (વેલ્યુ એડેડ ટેક્સ) તથા ફ્રેટ ચાર્જિસને કારણે દરેક રાજ્ય અને શહેરમાં પેટ્રોલ-ડીઝલના અંતિમ ભાવ અલગ-અલગ હોય છે.