PF withdrawal: EPFOએ PF ઉપાડના નિયમોમાં ફેરફાર કર્યા

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
2 Min Read

PF withdrawal ઘર ખરીદનારા માટે ખુશખબર

PF withdrawal ઘર ખરીદવાનું સપનું પૂરુ કરનાર માટે EPFO તરફથી ખુશીની વાત છે. કર્મચારીઓ ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ PFમાંથી રૂપિયા ઉપાડવાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. હવે પ્રથમ વખત ઘર ખરીદનારાઓ માટે PFમાંથી વધુ રકમ ઉપાડવી વધુ સરળ બની ગઈ છે.

હવે, EPFO ખાતું ખોલ્યા પછી માત્ર 3 વર્ષ થયાં હોય તો પણ સભ્યો પોતાનાં PF ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે, જ્યારે અગાઉ આ માટે 5 વર્ષની અવધિ પૂર્ણ કરવી ફરજિયાત હતી. નવા નિયમો અનુસાર, સભ્ય તેના PF ખાતામાં જમા રકમમાંથી 90 ટકા સુધીની રકમ ઘર ખરીદવા માટે ઉપાડી શકે છે. આ રકમનું ઉપયોગ ઘર ખરીદવા માટે ડાઉન પેમેન્ટ અથવા EMI ચુકવણી માટે કરી શકાય છે. જો કે, આ સુવિધા માત્ર જીવનમાં એકવાર જ મળે છે.

- Advertisement -

home

ઘર ખરીદનારા માટે લાભદાયક પગલાં

નવા નિયમો હેઠળ, લાખો લોકોને તેમનું ઘર ખરીદવાનું સપનું પૂરું કરવાની તક મળશે. નિષ્ણાતોના મતે, આ પગલાં રિયલ એસ્ટેટ માર્કેટ માટે પણ લાભદાયક સાબિત થશે, કારણ કે મકાનોની માંગમાં વધારો થવાની સંભાવના છે.

- Advertisement -

PF ઉપાડની પ્રક્રિયા પણ વધુ સરળ બની

EPFOએ PF ક્લેમ પ્રક્રિયાને વધુ ઝડપથી અને સરળતાથી સેટલ કરવા માટે કેટલીક ટેકનિકલ સુધારાઓ પણ કર્યા છે:

  • ઓટો સેટલમેન્ટ મર્યાદામાં વધારો: પહેલાં જ્યાં ₹1 લાખ સુધીના PF દાવાઓ આપમેળે સેટલ થતા હતા, હવે તે મર્યાદા વધારીને ₹5 લાખ કરવામાં આવી છે.
  • વેરિફિકેશનમાં સરળતા: PF ક્લેમ પહેલા 27 પ્રકારની ચકાસણી પર આધારિત હતી, હવે તે માત્ર 18 માપદંડો પર જ થશે, જેના કારણે 95% કેસો માત્ર 3-4 દિવસમાં સેટલ થઈ રહ્યા છે.EPFO

EPFOના વિકાસના આંકડા

EPFO આજદિન સુધી દેશમાં 7.5 કરોડથી વધુ સક્રિય સભ્યો ધરાવે છે અને દર મહિને 10થી 12 લાખ નવા સભ્યો ઉમેરાય છે. તે તેની 147 પ્રાદેશિક કચેરીઓ દ્વારા દેશવ્યાપી સેવા આપી રહ્યું છે, જેના કારણે આ નીતિ પરિવર્તનોનો લાભ મોટા પ્રમાણમાં લોકો સુધી પહોંચશે.

 

- Advertisement -
TAGGED:
Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.