પીએમ કિસાન યોજનાના આગામી હપ્તા માટે ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત
ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ‘એગ્રીસ્ટેક પ્રોજેક્ટ’ (Agristack Project) હેઠળ કૃષિ ક્ષેત્રે મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત હવે દરેક ખેડૂતને આધાર કાર્ડની જેમ જ ‘યુનિક ફાર્મર આઈડી’ (Farmer ID) આપવામાં આવશે. આ આઈડી દ્વારા ખેડૂતોને મળતી સરકારી યોજનાઓની સહાય વધુ પારદર્શક અને ઝડપી બનશે.
પીએમ-કિસાન યોજના માટે મહત્વની સૂચના
કેન્દ્ર સરકાર દ્વારા ‘પીએમ-કિસાન યોજના’ (PM-KISAN) ના આગામી ૨૨મા હપ્તાના નાણાં મેળવવા માટે ફાર્મર આઈડીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. જે ખેડૂતોએ આ રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય, તેમને યોજનાનો આગામી લાભ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. તેથી, દરેક લાભાર્થી ખેડૂત માટે આ નોંધણી કરાવવી અનિવાર્ય છે.
નોંધણી ક્યાં અને કેવી રીતે કરાવવી?
ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબ નીચેના સ્થળોએ જઈને નોંધણી કરાવી શકે છે:
-
ગામના VCE/VLE: જે-તે ગામના કોમ્પ્યુટર ઓપરેટર (VCE/VLE) પાસે જઈને.
-
જનસેવા કેન્દ્ર: નજીકના જનસેવા કેન્દ્ર પર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.
નોંધણી માટે જરૂરી દસ્તાવેજો
નોંધણી પ્રક્રિયા માટે ખેડૂતોએ નીચે મુજબના દસ્તાવેજો સાથે રાખવાના રહેશે:
૧. આધાર કાર્ડ.
૨. આધાર કાર્ડ સાથે લિન્ક થયેલો ચાલુ મોબાઈલ નંબર (OTP માટે).
૩. જમીનની વિગતો (૭/૧૨ અને ૮-અ ના ઉતારા).
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવ્યા મુજબ, ભવિષ્યમાં કોઈપણ સરકારી સહાય મેળવવામાં અડચણ ન આવે તે માટે તમામ ખેડૂતોને વહેલી તકે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવા નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે.

