રાજકોટની માધાપર ચોકડી પાસે મોડીરાત્રે નવા બની રહેલો ઓવરબ્રિજ નો કેટલોક હિસ્સો તૂટી પડતા તકલાદી કામ ની પોલ ખુલી ગઇ છે અગાઉ થોડા દિવસ પહેલા અમદાવાદ માં પણ આવી જ ઘટના બની હતી.
રાજકોટ માં હજુ ચાલુ બાંધકામ માં જ જો ઓવરબ્રિજ તૂટી જતો હોય તો બની ગયા પછી શું ન થાય તે સવાલો ઉઠી રહયા છે.
સદનસીબે આ ઘટના રાત્રે બની પણ દિવસે જો આ કાટમાળ હાઈવે પર પડત તો અનેક વાહનચાલકો અહીં થી પસાર થતા હોય મોટી દુર્ઘટના સર્જાવાની શકયતા હતી. પરંતુ મોટી દુર્ઘટના સહેજમાં અટકી હતી. જોકે આ ઘટના માં બે મજૂરને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ઓવરબ્રિજનું કાચુ બાંધકામ નો હિસ્સો એક તરફ નમી પડતા રાતોરાત અધિકારીઓ દોડી ગયા હતા. ગંભીર બાબત તો એ છે કે
ઓવરબ્રિજના મુખ્ય પિલરો જ નમી પડ્યા છે. બીજી તરફ રાત હોવાથી મજૂરો પણ કામ કરતા ન હોવાથી જાનહાનિ ટળી છે. ઘટનાને પગલે આસપાસમાંથી પસાર થતા વાહનચાલકો પણ થોડીવાર માટે થંભી ગયા હતા. આ બ્રિજ નમીને બાજુમાંથી પસાર થતા મુખ્ય હાઇવે પર પડત તો મોટી જાનહાનિ થઈ શકે તેમ હતી. રાજકોટમાં અમદાવાદની જેમ બ્રિજનું કાચુ બાંધકામ ધરાશાયી થતા લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
શુક્રવાર, મે 9
Breaking
- Breaking: પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી પર ઉદિત રાજનું મોટું નિવેદન: મોદી સરકારને સંપૂર્ણ સમર્થન
- Breaking: જમ્મુ એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર હુમલો નિષ્ફળ: S-400 એ તોડી પાડ્યા અનેક પાકિસ્તાની ડ્રોન
- Breaking: પાકિસ્તાની ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, ભારતીય વાયુ સેના રહી ચાંપતી, LoC પર તંગદિલી
- Breaking: પાકિસ્તાની સેનાના અધિકારીઓ આતંકવાદીઓની અંતિમયાત્રામાં હાજર જોવા મળ્યા
- Breaking ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે દિલ્હી એરપોર્ટ પર 90 ફ્લાઇટ્સ રદ, સંપૂર્ણ યાદી અહીં તપાસો
- Breaking: ઓપરેશન સિંદૂર બાદ લાહોરમાં ધડાકા! એક પછી એક 3 વિસ્ફોટથી પાકિસ્તાનમાં ખળભળાટ
- Breaking: ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યોનાં મોત, ભાઈ રૌફ અસગર અને પુત્રવધૂ હુઝૈફાનો પણ સમાવેશ
- Breaking: પાકિસ્તાને આત્મસમર્પણ કર્યું, સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું – જો ભારત હુમલો બંધ કરે તો…