રાજકોટમાં રોગચાળો ફાટી નીકળતા તંત્ર એલર્ટ બની ગયું છે અને એક સપ્તાહમાં રાજકોટમાં શરદી-ઉધરસના 238 અને ઝાડા–ઉલટીના 61 દર્દીઓ નોંધાયા છે.
જયારે સામાન્ય તાવના કેસ 54 કેસ દાખલ થયા છે. આ ઉપરાંત ડેંગ્યુના 18, મેલેરીયાના 10 અને ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા છે
રોગચાળો વધુ ફેલાતો અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા સજજ બન્યું છે અને એક અઠવાડિયામાં પોરાનાશક કામગીરી હેઠળ 92,821ઘરોમાં પોરાનાશક કામગીરી કરી છે અને 2693 ઘરોમાં ફોગિંગ કામગીરી કરી છે.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીન ફોગિંગ કામગીરી શરૂ કરી છે.
મચ્છરની ઘનતા વઘુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે.
આ કામગીરી હેઠળ જે. કે. પાર્ક, સદભાવના રેસીડેન્સી, પ્રિયદર્શની સોસા., ન્યુ ગાંઘીનગર, અક્ષર વાટીકા, અક્ષર ૫રીસર, અક્ષર એ.બી.સી., અક્ષર વિલા, ઓ૫લ સનસિટી, ગાયત્રીનગર, જીવરાજ રેસીડેન્સી, છોટુનગર કો.ઓ. સોસા., વાલ્મીકી આવાસ કવા., જંકશન પ્લોટ, ગાયત્રી પાર્ક (અયોઘ્યા ચોક પાસે), યાગરાજનગર આનંદ રેસી. પાસે, અંબીકા પાર્ક, અર્જુન પાર્ક – અમીન માર્ગ, છોટુનગર કો.ઓ. સોસા., મવડી કણકોટ રોડ, ક્રિસ્ટન હેવન એપા. આસપાસનો વિસ્તાર, કૈલાશ પાર્ક – ગોપાલ ચોક, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, માટેલ સોસા., સ્વામીનારાયણ પાર્ક, મુરલીઘર સોસા., ભકિતઘામ સોસા., યુનિ. રોડ, કોટક બેંકની આસપાસનો વિસ્તાર, નુરાની૫રા (કનૈયાચોક રૈયારોડ), શિવઘામ સોસા., છોટુનગર કો. ઓ. સોસા., છોટુનગર મફતીયા૫રા, જુના વણકરવાસ , મોટા મવા ગામ, ૫રસાણાનગર, 40 ફુટ નો રોડ, મેઘમાયાનગર, વસંતવાટીકા (મવડી જીવરાજ પાર્ક), આદિત્ય પાર્ક, વિશ્વનગર આવાસ, મહાત્માગાંઘી કો. ઓ. હા. સોસા., જામનગર રોડ, ગાંઘી સોસા. બાલાજીપાન ની સામે, ગણેશ પાર્ક , દિ૫ક સોસા., , આફિકા કોલોની સોસા., રાઘા પાર્ક (શ્રી રામ પાર્ક), લોટસ એવન્યુ પાર્ક, દિપ્યા પાર્ક, મવડી ફાયર સ્ટેશન સામેનો વિસ્તાર, કૃષ્ણનગર, આશ્રય સોસા., શ્રમજીવી સોસા., રામનગર, જાગનાથ પ્લોટ યાજ્ઞિક રોડ, કિશાન૫રા, શ્રી સિતાજી ટાઉનશી૫, હેમાદ્રી (સરદાર ચોક) તથા આસપાસનો વિસ્તાર, મોટા મવા પ્રથમીક શાળાની સામેનો કાલાવડ રોડનો વિસ્તાર, શાસ્ત્રીનગર અજમેરા, ૫રમેશ્વર પાર્ક , માયાણી ચોક, ગુરૂદેવ પાર્કબીગબજાર પાછળ, છોટુનગર સોસા. મે. રોડ, મયુર પાર્ક જયનાથ હોસ્પિટલ આસપાસના વિસ્તારોમાં ફોગીંગની કામગીરી કરાઈ હતી.
મચ્છરના બ્રિડિંગ મળતા 899 આસામીને નોટિસ આપી
આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 652 પ્રીમાઇસીસ (બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે)નો મચ્છર ઉત્પતિ અંગે તપાસ કરી રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ અંગે 899 આસામીને નોટિસ ફટકારી રૂા.6500/- નો વહીવટી ચાર્જ વસુલાત કરવામાં આવેલ છે.
આમ,રાજકોટમાં વકરેલા રોગચાળાને કાબુમાં લેવા તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યા છે