રાજકોટ શહેર-જિલ્લાના ૯૦૦ સહિત રાજયના ૧૯ હજારથી વધુ રેશનીંગ દુકાનદારો આજથી 10 જેટલા વણ ઉકેલાયેલા પ્રશ્નો ને લઈ અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી જતા અને એક પણ દુકાન નહિ ખોલતા દેકારો શરૂ થઇ ગયો છે. માત્ર રાજકોટ શહેર-જીલ્લામાં જ ૩ લાખથી વધુ બીપીએલ અને અત્યોદય પરિવારોને ઘઉં-ચોખા-ખાંડ-કેરોસીનનો પુરવઠો મળતો અટકી ગયો છે. દુકાનદારોએ પરમીટ લીધી છે. પરંતુ બેંકમાં પૈસા નથી ભર્યા અને દુકાનો પણ ખુલ્લી નથી. આજે હડતાલ અંગે કલેકટર અને ડીએસઓને આવેદનપત્ર પણ પાઠવ્યુ હતુ. નોંધનીય છે કે, જો સોમવાર સુધીમાં પ્રશ્ન નહી ઉકેલાય તો રેશનિંગ દુકાનદારો દ્વારા આગામી સમય માં જલદ કાર્યક્રમો કરવાની પણ ચીમકી આપી છે.