તાજેતરમાં જ નવી બનેલ વિધાનસભામાં ભાજપ અનો કોંગ્રેસ વચ્ચે જે દશ્યો જોવા મળ્યા હતા. તે આજે રાજકોટ મહાનગરપલિકાની વિશેષ જનરલ બોર્ડની બેઠકમાં જોવા મળ્યા હતા. બોર્ડમાં ભાજપ અનો કોંગ્રેસના કોર્પોરેટરો કાર્પેટ અરિયા મુજબના વેરા વસુલાત મુદ્દે એકબીજાની આમને સામને આવી ગયા હતા.
રાજકોટ શહેરનાં ઇતિહાસમાં પ્રથમ વખત મિલ્કત વેરાની આકરણી કાર્પેટ એરિયા મુજબ લાગુ કરવાના નિયમો શાસક પક્ષ ભાજપે મંજુર કરી દીધા છે. ત્યારે આ મુદ્દે આજે મેયરના અધ્યક્ષ સ્થાને વિશેષ જનરલ બોર્ડ બોલાવવામાં આવી હતી. આ જનરલ બોર્ડમાં બંન્ને પક્ષો વચ્ચે રાજકીય આક્ષેપ બાજીનો મારો શરૂ થયા હતો. જેમાં આઠ જેટલા મુદ્દા પર વિપક્ષ સહમત હતું જ્યારે બાકીના મુદ્દે વિપક્ષ દ્વારા જોરધાર વિરોધ નોંધાવામાં આવ્યો હતો. જ્યારે જનરલ બોર્ડ પૂર્ણ થઇ ત્યારે તમામમ કોર્પોરેટરો બહાર જઇ રહ્યા હતા. તે સમયે કોંગી કોર્પોરેટર દ્વારા મેયરને રજુઆત કરવામાં આવી હતી કે તેમના વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી તો પણ મનપા દ્વારા વેરા બીલ મોકલવામાં આવે છે. જે મુદ્દે મનપાના ગેટ પાસે ભાજપ અને કોંગ્રેસ કોર્પોરેટરો આમને સામને આવી ગચા
વેરા બીલ મુદ્દે રજુઆત બાદ રીતરસ કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરો એકબીજા સાથે બાખડી પડ્યા હતા. તેમાં ભાજપના કોર્પોરેટર ઉદય કાનગડ અને કોંગ્રેસનાકોર્પોરેટર વિજય વાંક વચ્ચે ઝપાઝપીના દશ્યો પણ જોવા મળ્યા હતા. બંન્નેએ એકબીજાના સર્ટ પકડી લીધા હતા. ત્યાર બાદસ રાજરકોટના નવનિર્મત ધારાસભ્યઅરવિંદ રૈયાણી પણ વચ્ચે પડ્યા હતા અને તેમના દ્વારા પણ કોંગ્રેસી કોર્પોરેટરો પર શાબ્દીક પ્રહારો કરાયા હતા. જો કે આ ઘટના સમયે મનપાનો વિજિલિયન્સ સ્ટાફ તેમજ પોલીસ ખડેપગે હોવાથી મામલો ત્યાંજ શાંત પડી ગયા હતોય પરંતુ આ મુદ્દે આગામી મળનારી જનરલ બોર્ડમાં ગુંજે તો નવાઇ નહી.