રાજકોટમાં વ્યાજખોરો સામે પોલીસે શરૂ કરેલી ઝૂંબેશ અંતર્ગત આમતો અનેક ગુના નોંધાયા છે. શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકે આપઘાત કર્યો છે. શહેરના ગોંડલ રોડ પર ગીતાનગરમાં રહેતો યુવાન અમિત બગથરીયાએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો છે. મૃતક અમિત પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી છે. આપઘાત કરનાર અમિતના પત્ની દ્વારા શહેરના માલવીયાનગર પોલીસે મથકમાં પાંચ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. અમિત પોતાના મિત્ર સાથે ભાગીદારીમાં બાંધકામનો ધંધો શરુ કર્યો હતો જેના માટે તેણે વ્યાજે રૂપિયા લીધા હતા પરંતુ ધંધામાં ખોટ જતા આખરે તે નાણા ચૂકવી શક્યો ના હતો.
આપઘાત પૂર્વે અમિતે સ્યુસાઇડ નોટ લખી હતી જેમાં તેણે લખ્યું હતું કે, ‘આ વ્યાજખોરોથી હું બહુ જ માનસિક રીતે હેરાન થઇ ગયો છું, અને મારો રસ્તો નીકળે એમ જ નથી. કારણ કે બધા પાસે મારા ડોકયુમેન્ટ છે અને ચેક પણ છે. મારું મકાન વેંચાવીને મને મારી પણ નાંખશે કારણ કે મેં ફરિયાદ કરી છે,
મૃતકના પત્ની દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે મૃતકની પત્નીની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.