રાજકોટ એસ ટી નિગમના કર્મચારીઓની બેદરકારી તેમજ વિવિધ ગુન્હામાં સંડોવાયેલા માટે હવે સરકારે એક નવો અભિગમ અપનાવ્યો છે. અને એક ભૂલ માફ પણ કરી શકાય તેવા સારા હેતુ સાથે રાજકોટમાં વિભાગીય નિયામકશ્રીની ઉપસ્થિતિમાં એક લોક દરબાર યોજવામાં આવ્યો હતો જેમાં વિવિધ ગુન્હામાં સંડોવાયેલા એસ ટી કર્મીઓને ભેગા કરવામા આવ્યા હતા અને તેની સજા માફ અથવા નહિવત કરવાની એક પેહેલ એસ ટી નિગમ દ્વારા કરવામાં આવી હતી, જેમાં કુલ 153 ગંભીર કેસમાંથી 141 કેસનો નિકાલ કરવામાં આવતો હતો. અને સાથો સાથ અન્ય કેસ અંગે પણ સહાનુભૂતિ દર્શાવામાં આવી છે. અમદાવાદથી ખાસ આવેલા લીગલ એડવાઈઝર તેમજ વિભાગીય વડા સાથે તમામ કર્મચારીઓને બેસાડવામાં આવ્યા હતા. એક બીજાના સંવાદ સાથે ગુન્હા માફ અને ગુન્હા ઉકેલવામાં આવ્યા હતા. જેથી કરીને હવે કોર્ટનો સહારો લેવાની ફરઝ નહિ પડે.