સુરત: કેન્દ્રીય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદના હસ્તે આજે આઈ.ટી.ટ્રીબ્યુનલ બેન્ચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,સુરતની આ ટ્રીબ્યુનલ દેશની 63મી બેન્ચ છે..જેનું કામ ચોથી સપ્ટેમ્બરથી શરૂ થવા જય રહ્યું છે.
સુરતના સીએ તેમજ કારદાતાઓની લાંબી આતુરતાનો હવે અંત આવ્યો છે.હાઈપીચ એસેસમેન્ટ કેસ એટલે કે એવા કેસ જેમાં અધિકારીઓ મનમાની કરીને કરદાતાઓ પર વધારાનો બોજો નાખી દેતા હોય છે..જેથી નાછૂટકે કરદાતાઓને અપીલ કે ટ્રીબ્યુનલમાં જવું પડે છે..સુરતમાંથી દર વર્ષે 1500 જેટલા કેસો ટ્રીબ્યુનલમાં જાય છે..જોકે આ પહેલા સુરતના કરદાતાઓને અમદાવાદ સુધી ધક્કો ખાવો પડતો હતો..આ બેન્ચનો લાભ સુરત સહિત ડાંગ,નવસારી,વલસાડ,તાપી,નર્મદા અને દાદરા નગર હવેલીના કરદાતાઓને મળશે..ટ્રીબ્યુનલ બેન્ચના પ્રારંભના પ્રસંગે રવિશંકર પ્રસાદે મોદી સરકારના ભરપેટ વખાણ કર્યા હતા..સાથે જ સુરતને બીજી ટ્રીબ્યુનલ બેન્ચ આપવાની જાહેરાત પણ તેમને મંચ પરથી કરી હતી..રવિશંકર પ્રસાદે તેમના ભાષણમાં કહ્યું હતું કે 10 વર્ષ સુધી મોદી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા..ત્યારે તેમના માટે દિલ્હીના દરવાજા બંધ હતા..પણ તેમના આવ્યા બાદ ઘણી બધી કામગીરી થઈ છે..તેમણે મોદીની તુલના લાલબહાદુર શાસ્ત્રી સાથે કરી હતી..જેમના કહેવા પર લાખો લોકોએ પોતાની ગેસની સબસીડી છોડી દીધી હતી..તેમણે આડકતરી રીતે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે રોટલીઓ વહેંચવા પર રાજનીતિ થાય છે..પણ રોટલીઓ વધારવી કેવી રીતે તેના પર કોઈ ચર્ચા નથી કરતું..તેમણે પોતાના ભાષણમાં ઉપસ્થિત ચાર્ટડ એકાઉન્ટન્ટને અપીલ પણ કરી હતી કે આપણે ભારતને આર્થિક તાકાત બનાવવા માંગીએ છીએ..જેથી ક્લાયન્ટને ઈમાનદારીથી ટેક્સ ભરવા માટે સમજાવવાનો માર્ગ અપનાવવાની પણ સલાહ આપી હતી..તેમણે સુરતના વખાણ કરતા સુરતને એન્ટરપ્રાઇઝ અને એન્ટરપ્રિન્યોરની સીટી ગણાવી હતી.