—છેલ્લા 10 વર્ષથી વધુ આ ઇંટના ભઠ્ઠાઓ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કે ભૂસ્તર વિભાગને કેમ દેખાતા નથી
સુરત જિલ્લા હદ વિસ્તારમાં અને નવસારીના કછોલી, કપ્લેથા અને લાજપોર નજીકના વિસ્તાર સહિત ડાભેલ, આસણા અને ચોખડ ગામ વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદે ઈંટના ભઠ્ઠા સામે કોઈ પગલાં ભરવામાં નહિ આવતા આ મામલામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યાની બૂમ ઉઠવા પામી છે.
અહીંની જમીનો બંજર બની રહી છે અને મોટા મોટા ખાડાઓ ખોદી ગેરકાયદે માટી ખનન કરી ખનીજ ને નુકશાન થઈ રહ્યું છે .
મોટા ભાગના કિસ્સામાં કોઈપણ પ્રકારની પરવાનગી વિના ઈંટના ભઠ્ઠા ચલાવી રહ્યાં હોય અને ખેતી લાયક
જમીનો અને પર્યાવરણને નુકશાન પહોંચી રહ્યું છે અને ભઠ્ઠાઓમાં ઈંટ પકવવા માટે પોલાસ્ટિક સહીત ઝેરી કેમિકલનો ઉપયોગ થઈ રહ્યો હોવા છતાં તંત્ર ચૂપ છે.
આ વિસ્તારમાં ભારે પ્રદૂષણ ફેલાવી રહેલા ઈંટ ભઠ્ઠાઓ સામે ખાણ ખનિજ વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા તપાસ નહિ થતા બધું બેરોકટોક ચાલી રહ્યું છે.
હાલમાં કોલસાના ભાવોમાં વધારો થયો હોય ઇંટના ભઠ્ઠાઓના માલિકો બિન્દાસ્ત રીતે જોખમી કેમિકલનો ઉપયોગ કરી જળ, જમીન અને વાયુનું પ્રદુષણ કરી રહ્યા છે.
છેલ્લા 10 વર્ષથી વધુ આ ઇંટના ભઠ્ઠાઓ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કે ભૂસ્તર વિભાગના કોઈપણ પરવાનગી વગર ધમધમી રહ્યાં હોવાનું કહેવાય છે.
ઈંટના ભઠ્ઠાઓને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી જતા ખેડૂતો બેકાર બન્યાં છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં પ્રદુષણ ફેલાવી નિયમ વિરુદ્ધ ઠેરઠેર ઉભા થઇ ગયેલા ઈંટના ભથ્થાઓ કોની મહેરબાનીથી ચાલી રહયા છે જે તપાસનો વિષય છે.
સત્યડે ની ટીમે સ્થળ ઉપર જઈને કવરેજ કરતા ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે 2015માં જીપીસીબીએ ક્લોઝરનો ઓર્ડર કર્યો હોવા છતાં કેટલીય જગ્યાએ હજી પણ ઇંટના ભઠ્ઠા ધમધમી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે
ઇંટના ભઠ્ઠાવાળાઓ વચેટીયા મારફતે તેમની જમીનમાંથી માટી ખોદાણ કરી તેનો જ ઇંટ બનાવી રહ્યાં હોય ભૂસ્તર વિભાગની કોઈ પરવાનગી વગર માટીખનન થઈ રહ્યું હોવાની ફરિયાદો વચ્ચે હાલ કોલસાના ભાવોમાં વધારો થયો હોય તેઓ સસ્તું ઈંધણ તરીકે જોખમી કેમિકલનો ઉપયોગ કરી રહ્યા છે. જેને પગલે કામદારોના સ્વાસ્થ્ય સાથે આસપાસના વાતાવરણને પણ પ્રદૂષણયુક્ત કરી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.