સુરત : માં યુવક પાસેથી 2 .51 કરોડની જૂની ચલણી નોટ લઈ કાળા ના ઢોળા કરી આપવાના ખેલમાં વડતાલ તાબા હેઠળ ના સ્વામી ચતુર્ભુજ સહિત બે લોકો સામે સરથાણા પોલીસ મથકમાં ચેતરપિંડીની ફરિયાદ નોંધાવા પામી છે. ત્યારે આ ઘટનાને પગલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભારે ચકચાર મચી ગઇ છે…આગામી દિવસોમાં અન્ય આરોપીઓના નામ પણ ખુલે રેવી શકયતા પણ હાલ સેવાઇ રહી છે.
નાના વરાછા વિસ્તારમાં રહેતા વેપારી ભરત પટેલે ત્રણ વચેતીયાઓ મારફતે રૂપિયા 2.51 કરોડની જૂની ચલણી નોટો સામે નવી ચલણી નોટો મેળવવા જયંતિ કોટડીયા,ચિરાગ સહિત ચાર લોકોને આ રૂપિયા આપ્યા હતા.જ્યાં જયંતિ અને ચિરાગે વડતાલ તાંબાના સ્વામી ચતુર્ભુજ ને રૂપિયા 2.51 કરોડ આપ્યા હતા…કાળા – ઢોળાના આ ખેલમાં જયંતિ અને ચિરાગનું 45 ટકા કમિશન હતું.જ્યારે સ્વામી ચતુર્ભુજે 55 ટકા કમિશનથી નોટો બદલી આપવાની ઓફર કરી હતી…..આખરે આ મામલો ફિટ થઈ ગયો હતો અને નક્કી કરેલ સમય મર્યાદાની અંદર 1 કરોડ 56 લાખ ચૂકવવાનું નક્કી થયું હતું. દરમ્યાન ભરતભાઈને 50 પાંખ જેટલી જ રકમ આપવામાં આવી હતી.જેની સામે સમય વીતી ગયા છતાં પણ બાકી નીકળતા રૂપિયા પરત ન મળતા ભરતભાઈએ જયંતિ કોટડીયા અને ચિરાગનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો ..જો કે રૂપિયા આપવામાં ગલ્લા ટલ્લા કરવામાં આવતા ભરતભાઈએ સરથાણા પોલીસ મથકમાં લેખિતમાં અરજી કરી હતી.છ મહિના વીત્યા બાદ પણ અરજીનો કોઈ નિકાલ નહીં આવતા ભરતભાઇએ વડતાલ તાંબાના સ્વામી ચતુર્ભુજ નો સંપર્ક કરી સમગ્ર ઘટનાનું સ્ટિંગ વિડ્યો ઉતાર્યો અને સ્વામીની કાળા – ઢોળાની પોલ ઉઘાડી પાડી દીધી.સ્વામીએ વીડિયો માં પોતે રૂપિયા લીધા હોવાનું તેમજ ઉપરથી રૂપિયા નહીં આવ્યા હોવાનો ખુલાસો કર્યો હતો.જ્યાં આખરે ભારે હાઇવોલ્ટેજ દ્રામાં બાદ સુરતના સરથાણા પોકિસ મથકમાં મહિપતસિંહ અને સ્વામી ચતુર્ભુજ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો. સરથાણા પોલીસે ભરતભાઈની ફરિયાદના આધારે હાલ તપાસનો દૌર શરૂ કર્યો છે.
:સરથાણા પોલીસ દ્વારા હાલ કાળા -ઢોળા ના ખેલ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. નોટબંધી બાદ કાળા- ઢોળા ના આ ખેલમાં અન્ય આરોપીઓની પણ સંડોવણી હોવાની આશંકા હાલ સેવાઇ રહી છે…તો બીજી તરફ એક સ્વામી નારાયણ સંપ્રદાયના સ્વામીની આ કરતૂટ ને લઈ ભારે ઉહાપુહા પણ મચી જવા પામ્યો છે.કાળા – ઢોળાના આ ખેલમાં હજી કેટલા આરોપીઓ જેલના સળિયા ગને છે તે હવે જોવાનું રહે છે.