સુરત શહેરના ઉન વિસ્તારમાં વાંદરા સાથે સેલ્ફી લેવા ગયેલા યુવકને બે વાંદરાઓએ માર માર્યો હતો. પરિણામે ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને નવી સિવિલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો.
વિગતો મુજબ, ઉનપાટિયાના હયાતનગરમાં રહેતા 27 વર્ષીય દિગંબર પાટીલ આજે સવારે પોતાના ઘરની નજીક આવેલા શ્રી હનુમાનજી મંદિરમાં પૂજા કરવા ગયા હતા તે સમયે એક વાંદરો મંદિર પાસેની બાંકડા પર બેઠો હોવાનું નજરે પડતાં દિગમ્બરે વાંદરા સાથે સેલ્ફી લેવાનું વિચારીને પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને વાંદરાની બાજુમાં ઉભા રહીને સેલ્ફી લેવાનો પ્રયાસ કરતા વાંદરા ને આ હરકત પસંદ આવી ન હતી અને સમયે વાંદરાએ દિગંબર ને પકડી લીધો હતો અને બીજા વાંદરો પણ આવી જતા બન્ને વાંદરા એ દિગંબર ને બચકું ભરી માર મારતા દિગંબર ને હાથ ના ભાગે ઇજાઓ થઈ હતી દરમ્યાન લોકો દોડી આવતા વાંદરો ફરાર થઇ ગયો હતો બીજી તરફ ઇજાગ્રસ્ત બનેલા દિગમ્બર ને 108 મારફતે નવી સિવિલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો.