હાલ રાજ્ય માં ફરી એકવખત કોરોના એ માથું ઉંચકયું છે ત્યારે શાળાના બાળકો માં સંક્રમણ ફેલાવાનો ફરી એક વખત ડર ઉભો થયો છે,કોરોના ની મહામારી ને કારણે બાળકો ના અભ્યાસ ઉપર ખુબજ ખરાબ અસર પડી છે અને માંડ સ્કૂલો ચાલુ થઈ છે ત્યાં ફરી બાળકો સંક્રમિત થઈ રહયા છે, સુરત ના અડાજણ વિસ્તારમાં આવેલી સંસ્કાર ભારતી અને રિવરડેલ સ્કૂલના 2 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતાં તંત્ર માં દોડધામ મચી છે, બે વિદ્યાર્થીના કેસ પોઝિટિવ નોંધાયા બાદ શાળા માં તમામ વિદ્યાર્થીના રિપોર્ટ કરાયા હતા જે નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. આજે સ્કૂલના વધુ વિદ્યાર્થીના ટેસ્ટ કરવામાં આવનાર છે.
સંસ્કાર ભારતીના વિદ્યાર્થીના જે વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેમના પરિવારના સભ્યોનો રિપોર્ટ પણ નેગેટિવ હોવાથી વિદ્યાર્થીઓ સ્કૂલમાંથીજ સંક્રમિત થયા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે અને અન્ય બાળકો ની સલામતી માટે સ્કૂલમાં સાત દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.