સુરત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. આજે જિલ્લામાં ફક્ત 33 કેસ નોંધાતા તંત્રએ રાહતનો દામ લીધો હતો. નવા નોંધાયેલા દર્દીઓ સાથે જિલ્લામાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા 4131 નોંધાઈ છે. જિલ્લામાં નવા બે મરણ સાથે 64 દર્દીઓ સાજા થઈ જતા તેમને રજા આપવામાં આવી છે. મહુવા અને ઉમરપાડામાં છેલ્લા બે દિવસથી એક પણ કેસ ન નોંધાતા લોકોમાં ખુશીનો માહોલ પ્રવત્યો છે આજે નવા 335 દર્દીઓને હોમ ક્વોરન્ટાઈન કરતા જિલ્લામાં ક્વોરન્ટાઈન થયેલા લોકોનો આંક 6805 નોંધાયો છે. હાલ જિલ્લામાં દાખલ દર્દીઓની સંખ્યા 693 નોંધાઈ છે.
જિલ્લામાં નોંધાચેલા બે મરણમાં બારડોલીના 51 વર્ષના પુરુષ અને પલસાણાના 80 વર્ષના પુરુષનું મોત નિપજ્યું છે.
જિલ્લામાં નોંધાયેલા કેસ –
ચોર્યાસી -9
ઓલપાડ -10
કામરેજ -4
પલસાણા-2
બારડોલી -5
માંડવી -1
માંગરોળ – 2