ગરીબ, ખેતમજુર, આદિવાસી અને દલિત જેવા તમામ પરિવારોમાં કોઈ સભ્યનું મુર્ત્યું થયા બાદ કેટલીક વખત અંતિમ સંસ્કાર કરવા બાબતે વર્ગ વિગ્રહ અને ઘર્ષણની ઘટના બનતી હોય છે. સુરતમાં મૃતદેહના અંતિમ સંસ્કાર (Funeral) કરવા માટે ની સંપૂર્ણ જવાબદારી વિશ્વ હિન્દૂ પરિષદ (Surat VHP) દ્વારા લેવામાં આવી છે. હાલમાં જ સુરતના બારડોલી તાલુકાના એના ગામમાં આવી જ ઘટના બની હતી. જેમાં અંતિમ સંસ્કાર (Funeral) માટે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જેથી આ પ્રકારનો વિવાદ બીજી વખત ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે.
હાલમાં જ સુરત જિલ્લાના એના ગામના હળપતિ સમાજના મોહનકુમાર રાઠોડનું મોત નીપજ્યું હતું . તેમની અંતિમ વિધિ (Funeral)કરવા સ્મશાનગૃહના વહિવટકર્તાઓ દ્વારા રૂપિયા માંગવામાં આવ્યા હતાં.
નિયત કરેલી ફી ભરવા પૂરતા પૈસા ન હોવાને કારણે સ્મશાનગૃહ ચલાવતા યુવક મંડળના સભ્યો સાથે હળપતિ સમાજના લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ મોહનકુમાર રાઠોડના પુત્ર અને પરીવારના અન્ય સભ્યો તેમના પિતાના મૃતદેહનો મુખ્ય માર્ગ પર અંતિમ સંસ્કાર (Funeral)કર્યું હતુ. તે પછી ગામના સભ્યો વચ્ચે તણાવ સર્જાયો હતો.