આસીફા પર થયેલ બળાત્કારના વિરોધમાં સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી અને સાયલા દલીત મુસ્લીમ એકતા મંચ દ્વારા મૌન રેલી સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ.
થોડા સમય પહેલા આસીફા પરના બળાત્કાર અને હત્યા બનાવના વિરોધમાં જયારે દેશ ભરમાં હાહાકાર મચી જવા પામ્યો ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી અને સાયલા ખાતે દલીત મુસ્લીમ એકતા મંચ દવારા શહરેમા મૌન રેલી સાથે સરકારને બરખાસ્ત કરવા રાષ્ટ્રપતીને સંબોધિને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ.
ત્યારે આ રેલીમા નાના બાળકોથી લઇને વૃધ્ધો બેનરો સાથે આસીફાને ન્યાય મળે તે માટે રોડ ઉપર ઉતરી આવ્યા હતા. ત્યારે હાલની સરકાર સામે કઇક કડક પગલા લઇ સરકાર બરખાસ્ત કરવામાં આવે તેવુ રાષ્ટ્રપતિને સંબોધન કરતુ આવેદનપત્ર સાયલા મામલતદારને પાઠવવામાં આવ્યુ હતુ.
જયારે બીજી તરફ લીંબડી ખાતે પણ ભારે સંખ્યામાં દલીત મુસ્લીમ સમાજ દ્રારા સરકારની સામે ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને બળાત્કાર કરનાર આરોપીઓ સામે કડકમાં કાર્યવાહી થાય સખ્તમા સખ્ત પગલા ભરાય અને ફાંસી જેવી સજા અપાય તેવી માંગણી સાથે લીંબડીમાં દલીત મુસ્લીમ ભાઇઓએ લીંબડી ડેપ્યેટી કલેકટરને આવેદન પત્ર પાઠવ્યુ હતુ. જેથી આવનાર સમયમાં કોઇપણ ધર્મની બહેન દીકરી સાથે અભદ્ર વ્યવહાર કે લાગણી દુભાય તેવી ઘટના ન ઘટે તે અનુસંધાને આવેદન પત્ર સાથે માંગણી કરવામાં આવી હતી.